અદાએ 'ધ કેરલા સ્ટોરી' વિવાદ પર મૌન તોડ્યું,પ્રોપોગેન્ડા બોલનારને આપ્યો જવાબ

On

અદા શર્મા સ્ટારર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના ટ્રેલરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ, જે 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જ્યાં કેટલાક કહી રહ્યા છે કે, તેઓ થિયેટરોમાં ફિલ્મ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે કેટલાક તેને વિવાદાસ્પદ અને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. હવે 'કમાન્ડો' અભિનેત્રીએ લોકોના કેટલાક સવાલોના જવાબ આપ્યા છે અને જણાવ્યું છે કે, તેણે આ ફિલ્મ કેવી રીતે કરી અને પીડિત યુવતીઓએ પણ તેને મેસેજ કરીને આભાર પણ માન્યો હતો.

અદા શર્માએ મીડિયા સાથે 'ધ કેરલા સ્ટોરી' વિશે વાત કરી હતી. એક વીડિયો પણ શેર કર્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા તે વીડિયોમાં તે કહી રહી છે, 'અમારી ફિલ્મ કોઈ ધર્મની વિરુદ્ધ નથી. પરંતુ તે ચોક્કસપણે આતંકવાદ વિરોધી સંગઠન છે. અમારી ફિલ્મ છોકરીઓને ડ્રગ્સ, મગજ ફેરવી નાખવું (બ્રેઇનવોશ), બળાત્કાર, માનવ-તસ્કરી, બળજબરીથી ગર્ભાવસ્થા અને લોકો દ્વારા વારંવાર બળાત્કાર કરવા વિશે છે. અને તેઓ જે બાળકને જન્મ આપે છે તે તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે અને પછી તેમને આત્મઘાતી બોમ્બર બનાવવામાં આવે છે.'

આ સિવાય અભિનેત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં બધાના સવાલોના જવાબ પણ આપ્યા. તેણે કહ્યું, 'ભારતીય હોવાના કારણે, એક માણસ હોવાના કારણે, એક છોકરી હોવાના કારણે, તે ખૂબ જ ડરામણી વાર્તા છે કે છોકરીઓ ગાયબ થઈ રહી છે. તેનાથી પણ વધુ ડરામણી વાત એ છે કે, જે કોઈ પણ તેને પ્રોપેગેન્ડા કહે છે અથવા નંબરો પર ચર્ચા કરે છે, હું માની શકતી નથી કે પહેલા આપણે લોકો નંબરને સમર્થન આપી રહ્યા છીએ અને પછી આપણે જ કહી રહ્યા છીએ કે, છોકરીઓ ગાયબ થઈ ગઈ છે. જ્યારે આપણે તેનાથી વિપરીત હોવું જોઈએ. પહેલા આપણે એ ચર્ચા કરવી જોઈએ કે છોકરીઓ ગુમ છે અને પછી તમે તેની સંખ્યાઓની ચર્ચા કરો.'

અદા શર્માએ આગળ કહ્યું, 'પણ મને લાગે છે કે આ પાત્ર... જ્યારે તમે લોકો આ ફિલ્મ જોશો, મને એવું લાગે છે, જ્યારે તમે આખી ફિલ્મ જોશો ત્યારે કોઈને પણ આ બધા પ્રશ્નો નહીં થાય. નંબરની ચર્ચા કરશે નહીં. હા હું આ પાત્રને જીવી છું અને પીડિતાને મળી છું. હું શબ્દોમાં વર્ણવી શકીશ નહીં, હું ન્યાય કરી શકીશ નહીં કે, અનુભવ કેવો હતો. જો હું એક-બે લીટીમાં કહું તો હું તેને બરાબર રીતે સમજાવી શકીશ નહીં. પણ ફિલ્મ જોયા પછી તમને ખબર પડી જશે.'

અદા શર્માએ જણાવ્યું કે, એક પીડિત છોકરીએ તેને લેખિતમાં સંપૂર્ણ વાક્ય આપી દીધું કે, ક્યારે, શું અને કેવી રીતે થયું. તેનો અભ્યાસ કર્યા બાદ સીન શૂટ કરવામાં આવ્યા હતા. અને જ્યારે ટ્રેલર રીલિઝ થયું અને તે છોકરીએ તે જોયું, ત્યારે તેણે અભિનેત્રીને મેસેજ કર્યો કે, તે કરવા બદલ તેનો આભાર અને તમે તેને સારી રીતે શૂટ કર્યું. તેણે આખી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.