અદાએ 'ધ કેરલા સ્ટોરી' વિવાદ પર મૌન તોડ્યું,પ્રોપોગેન્ડા બોલનારને આપ્યો જવાબ

અદા શર્મા સ્ટારર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના ટ્રેલરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ, જે 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જ્યાં કેટલાક કહી રહ્યા છે કે, તેઓ થિયેટરોમાં ફિલ્મ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે કેટલાક તેને વિવાદાસ્પદ અને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. હવે 'કમાન્ડો' અભિનેત્રીએ લોકોના કેટલાક સવાલોના જવાબ આપ્યા છે અને જણાવ્યું છે કે, તેણે આ ફિલ્મ કેવી રીતે કરી અને પીડિત યુવતીઓએ પણ તેને મેસેજ કરીને આભાર પણ માન્યો હતો.

અદા શર્માએ મીડિયા સાથે 'ધ કેરલા સ્ટોરી' વિશે વાત કરી હતી. એક વીડિયો પણ શેર કર્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા તે વીડિયોમાં તે કહી રહી છે, 'અમારી ફિલ્મ કોઈ ધર્મની વિરુદ્ધ નથી. પરંતુ તે ચોક્કસપણે આતંકવાદ વિરોધી સંગઠન છે. અમારી ફિલ્મ છોકરીઓને ડ્રગ્સ, મગજ ફેરવી નાખવું (બ્રેઇનવોશ), બળાત્કાર, માનવ-તસ્કરી, બળજબરીથી ગર્ભાવસ્થા અને લોકો દ્વારા વારંવાર બળાત્કાર કરવા વિશે છે. અને તેઓ જે બાળકને જન્મ આપે છે તે તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે અને પછી તેમને આત્મઘાતી બોમ્બર બનાવવામાં આવે છે.'

આ સિવાય અભિનેત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં બધાના સવાલોના જવાબ પણ આપ્યા. તેણે કહ્યું, 'ભારતીય હોવાના કારણે, એક માણસ હોવાના કારણે, એક છોકરી હોવાના કારણે, તે ખૂબ જ ડરામણી વાર્તા છે કે છોકરીઓ ગાયબ થઈ રહી છે. તેનાથી પણ વધુ ડરામણી વાત એ છે કે, જે કોઈ પણ તેને પ્રોપેગેન્ડા કહે છે અથવા નંબરો પર ચર્ચા કરે છે, હું માની શકતી નથી કે પહેલા આપણે લોકો નંબરને સમર્થન આપી રહ્યા છીએ અને પછી આપણે જ કહી રહ્યા છીએ કે, છોકરીઓ ગાયબ થઈ ગઈ છે. જ્યારે આપણે તેનાથી વિપરીત હોવું જોઈએ. પહેલા આપણે એ ચર્ચા કરવી જોઈએ કે છોકરીઓ ગુમ છે અને પછી તમે તેની સંખ્યાઓની ચર્ચા કરો.'

અદા શર્માએ આગળ કહ્યું, 'પણ મને લાગે છે કે આ પાત્ર... જ્યારે તમે લોકો આ ફિલ્મ જોશો, મને એવું લાગે છે, જ્યારે તમે આખી ફિલ્મ જોશો ત્યારે કોઈને પણ આ બધા પ્રશ્નો નહીં થાય. નંબરની ચર્ચા કરશે નહીં. હા હું આ પાત્રને જીવી છું અને પીડિતાને મળી છું. હું શબ્દોમાં વર્ણવી શકીશ નહીં, હું ન્યાય કરી શકીશ નહીં કે, અનુભવ કેવો હતો. જો હું એક-બે લીટીમાં કહું તો હું તેને બરાબર રીતે સમજાવી શકીશ નહીં. પણ ફિલ્મ જોયા પછી તમને ખબર પડી જશે.'

અદા શર્માએ જણાવ્યું કે, એક પીડિત છોકરીએ તેને લેખિતમાં સંપૂર્ણ વાક્ય આપી દીધું કે, ક્યારે, શું અને કેવી રીતે થયું. તેનો અભ્યાસ કર્યા બાદ સીન શૂટ કરવામાં આવ્યા હતા. અને જ્યારે ટ્રેલર રીલિઝ થયું અને તે છોકરીએ તે જોયું, ત્યારે તેણે અભિનેત્રીને મેસેજ કર્યો કે, તે કરવા બદલ તેનો આભાર અને તમે તેને સારી રીતે શૂટ કર્યું. તેણે આખી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Top News

સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ઓપરેશન સિંદુર વખતે આપણા દેશની વાસ્તવિક સરહદ પર તો પાકિસ્તાને હુમલા કર્યો, પરંતુ તેનાથી પણ વધારે પાકિસ્તાને સાયબર હુમલા કર્યા....
Gujarat 
સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.