‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મથી નારાજ શશી થરૂર, બોલ્યા- એ તમારા કેરળ...

શાલિની ઉન્નીકૃષ્ણન.. કેરળની એક છોકરી જે ઘરથી આંખોમાં સપના લઈને નીકળે છે કે નર્સ બનશે અને લોકોની સેવા કરશે, પરંતુ ટ્રેનિંગ દરમિયાન ક્યારે હિજાબ, ધર્મ અને જિહાદ તેની જિંદગીનો હિસ્સો બની જાય છે ખબર ન પડી. તે પોતે પણ એ શાલિની ન રહી, ફાતિમા બનાવી દેવામાં આવી. આ પ્રકારે ISISની જાળમાં ફસાયેલી એક છોકરીનું મિશન સેવાથી હટીને આતંક બની ગયું. આ સ્ટોરી લાઇન છે 5 મેના રોજ રીલિઝ થનારી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની. જેના ટીઝરે અત્યારે આખા દેશમાં એક નવા વિવાદનો પાયો નાખી દીધો છે.

‘ધ કેરળ સ્ટોરી’ દાવો કરે છે કેરળથી 32,000 હિન્દુ અને ઈસાઈ છોકરીઓનો ધર્મ બદલવામાં આવ્યો અને તેમને ISISમાં સામેલ થવા માટે દેશથી બહાર મોકલી દેવામાં આવી. ફિલ્મ કોઈ તથ્ય અને કથ્યને લઈને વિવાદ સૌથી વધારે વધી રહ્યો છે. તેને લઈને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ પણ આરોપ લગાવી રહી છે અને કહી રહી છે આ ફિલ્મ માત્ર એક એજન્ડા છે અને તેના દ્વારા શાંતિને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો રવિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે ટ્વીટ કરીને કહ્યું કે, ‘It May be Your kerala story, it is not ‘our’ Kerala story.’

મતલબ શશી થરુર કહી રહ્યા છે કે, આ તમારા કેરળની સ્ટોરી હશે, એ આપણાં કેરળની સ્ટોરી નથી. શશી થરૂર પહેલા પણ ઘણા અન્ય નેતા પર ફિલ્મ ટીઝરનો વિરોધ કરી ચૂક્યા છે. 5 મે 2023ના રોજ રીલિઝ થઈ રહેલી ફિલ્મને સુદીપ્તો સેને બનાવી છે. વિપુલ અમૃતલાલ શાહ તેના પ્રોડ્યુસર અને ક્રિએટિવ ડિરેક્ટર છે. રવિવારે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને ‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતા પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, લવ-જિહાદ જેવા મુદ્દાઓને કોર્ટો, તપાસ એજન્સીઓ અને અહીં સુધી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફગાવી દીધા છે.

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે, પહેલી નજરમાં આ ફિલ્મનું ટ્રેલર સાંપ્રદાયિક ધ્રુવીકરણ ઉત્પન્ન કરવા અને રાજ્ય વિરુદ્ધ નફરત ફેલાવવાના કથિત ઉદ્દેશ્યથી જાણીજોઇને બનાવેલું લાગે છે. એ છતા દુનિયા સામે રાજ્યને અપમાનિત કરવા માટે ફિલ્મના મુખ્ય આધારના રૂપમાં કેરળને દેખાડવામાં આવ્યું છે. આ પ્રકારની પ્રચાર ફિલ્મો અને તેમાં દેખાડવામાં આવેલા મુસ્લિમો પ્રત્યે નફરને કેરળમાં ધાર્મિક સદ્દભવને નષ્ટ કરવાનો પ્રયાસ કરવા અને સામ્પ્રદાયિકતાના ઝેરી બીજ રોપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો.

થોડા દિવસ અગાઉ કેરળમાં સત્તાધારી CPI(M) અને વિપક્ષી કોંગ્રેસ બંનેએ વિવાદાસ્પદ આવનારી આ ફિલ્મ પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે ઝેર ઓકવાના લાઇસન્સ માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી નથી અને ફિલ્મ રાજ્યના સાંપ્રદાયિક સદ્દભાવને નષ્ટ કરવાનો એક પ્રયાસ છે. કેરળના DGPએ તિરુવનંતપુરમ શહેરના પોલીસ કમિશનરને ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના ટીઝર પર FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે. FIR નોંધવાનો આદેશ મુખ્યમંત્રીને મોકલવામાં આવેલી ફરિયાદ બાદ આપવામાં આવ્યો છે.

હાઇ ટેક ક્રાઇમ ઇન્ક્વાયરી સેલે આ બાબતની પ્રાથમિક તપાસ કરી અને તેનો રિપોર્ટ DGPને મોકલ્યો છે. એક રિપોર્ટ મુજબ, તામિલનાડુના એક પત્રકારે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મનું ટીઝર જોયા બાદ ચિઠ્ઠી લખી હતી. પત્રકારે કેરળ સરકારને ફિલ્મના ડિરેક્ટરને બોલાવવા અને ટીઝરની હકીકતની તપાસ કરાવવાની રિક્વેસ્ટ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાં 32,000 છોકરીઓનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું, જે બાદમાં આતંકવાદી ગ્રુપ ISISમાં સામેલ થઈ ગઈ.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.