અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

ભારતીય સંગીત જગતમાંથી એવા સમાચાર આવ્યા છે જેણે લાખો ફેન્સના દિલ તોડી નાખ્યા છે. પોતાના અવાજથી બધાને મોહિત કરનારા ગાયક અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડી દેવાનો મોટો નિર્ણય લીધો છે. અરિજિતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ચોંકાવનારા સમાચારની જાહેરાત કરી છે. અરિજિતે સ્પષ્ટતા કરી કે તે હવે કોઈપણ નવી ફિલ્મો માટે ગીતો રેકોર્ડ નહીં કરે, જોકે તેણે ખાતરી પણ આપી કે તે સંગીતની દુનિયામાંથી પૂરી રીતે નિવૃત્તિ લઈ રહ્યો નથી.

transfer1
divyabhaskar.co.in

ફેન્સને આશ્ચર્યચકિત કરતા અરિજિતે લખ્યું કે, ‘બધાને નવા વર્ષની શુભકામનાઓ. આટલા વર્ષો સુધી એક શ્રોતાના રૂપમાં મને આટલો પ્રેમ આપવા બદલ હું તમારા બધાનો આભાર માનું છું. મને જાહેરાત કરતા ખુશી થાય છે કે હવે હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવું અસાયમેન્ટ નહીં લઉં. હું અહીં રોકાઈ રહ્યો છું. આ સફર ખૂબ શાનદાર રહી છે અને ભગવાન તેમના પર ખૂબ મહેરબાન રહ્યા છે. તેણે પોતાને નાના કલાકાર ગણાવતા કહ્યું કે તે ભવિષ્યમાં સંગીતને વધુ નજીકથી શીખવા માંગે છે.’ 


ફેન્સ માટે રાહતની વાત એ છે કે અરિજીત સિંહ સંગીત બનાવવાનું બંધ નહીં કરે. તેણે સ્પષ્ટતા કરી કે તે પોતાના પ્રોજેક્ટ્સ અને સ્વતંત્ર સંગીત પર કામ કરવાનું ચાલુ રાખશે. અરિજિતે એ પણ સ્પષ્ટતા કરી કે તેની પાસે પહેલાથી જ કેટલાક પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે જેને તે પૂરા કરશે. એટલે કે આ વર્ષે, ફેન્સને તેના કેટલાક ગીતો સાંભળવા મળશે, જે પહેલાથી જ રેકોર્ડ થઈ ચૂક્યા છે અથવા જેના પર કામ ચાલી રહ્યું છે.

Arijit-Singh
siasat.com

તાજેતરમાં જ અરિજિત સિંહનું નવું ગીત રીલિઝ થયું હતું, જેનું ટાઇટલ છે ‘માતૃભૂમિ.’ આ ગીત સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું છે, જેને તેણે શ્રેયા ઘોષાલ સાથે મળીને ગાયું છે. સંગીત હિમેશ રેશમિયાએ આપ્યું છે. આ ફિલ્મ 17 એપ્રિલે સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.

About The Author

Related Posts

Top News

વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'

અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં એજન્સીઓ દ્વારા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને અન્ય આંદોલનકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના,...
National 
વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'

દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનનો અંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે...
National 
દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

ભારતની લોકશાહીના ઇતિહાસમાં જ્યારે પણ યુવાઓ રસ્તા પર ઉતર્યા છે ત્યારે તેમણે રાજકીય ભૂકંપ લાવી દીધો છે. પરંતુ તાજેતરમાં 'નીટ'...
National 
NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

શુક્રવારે સવારે દિલ્હીમાં થયેલા એક માર્ગ અકસ્માતે એક પરિવારની ખુશી થોડીક જ મિનિટોમાં છીનવી લીધી. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કાર...
National 
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.