શું આર્યન પણ હીરો બનશે? જાણો પપ્પા શાહરૂખે શું કહી દીધું

બોલીવુડ અભિનેતા હોલીવુડ હોસ્ટ ડેવિડ લેટરમેનના શો માય નેક્સ્ટ ગેસ્ટ નીડ્સ નો ઇન્ટ્રોડક્શનમાં પહોંચ્યો હતો. જ્યાં તેમણે પોતાના દિકરા આર્યન ખાનને લઇને ઘણી વાતો કરી છે. આર્યનના કરિયર પર પણ કિંગ ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, આર્યન અભિનેતા નથી બનવા માગતો.

શાહરૂખે કહ્યું કે, તે પોતાના સંતાનોના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડની સમસ્યાઓ સાથે કેવી રીતે વર્તે છે. શાહરૂખ ખાને અનુભવી ઇન્ટરવ્યુઅરને કહ્યું કે, તનો દિકરો આર્યન અભિનેતા નથી બનવા માગતો. શાહરૂખે ઇન્ટરવ્યુઅરને કહ્યું કે, તેનો દિકરો એક સારો લેખક છે અને તેનામાં એવા ગુણ નથી કે તે એક સારો અભિનેતા બની શકે. આર્યન હાલના સમયમાં અમેરિકામાં ફિલ્મ નિર્માણનું અધ્યયન કરી રહ્યો છે.

શાહરૂખ ખાને કહ્યું કે, તેની પાસે તે નથી કે જે એ અભિનેતા બનવા માટે જોઇએ અને તેને પણ આ વાતની ખબર છે, પણ તે એક સારો લેખક છે. મને લાગે છે કે, એક અભિનેતા બનવાની ઇચ્છા અંદરથી આવવી જોઇએ.

શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનને એક્ટિંગમાં કોઇ ઇન્ટરેસ્ટ નથી. તેનું હંમેશાથી એવું માનવું રહ્યું છે કે, જો તે દર્શકોની આશા પર ન ઉતરી શકે તો તે તેના પિતાની વિરાસતને ન જાળવી શકશે અને તે બાબતે તેની આલોચના થઇ શકે છે. તેની તુલના સતત તેના પિતા સાથે કરવામાં આવશે.

હાલમાં જ શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાને પોતાની ક્લોધિંગ બ્રાન્ડ ચેન્જ કરી છે, જે બ્રાન્ડના લક્ઝરી કપડા ખૂબ જ મોંઘા છે. કપડાની ભારે કિંમતને લઇને સોશિયલ મીડિયા પર આર્યન ખાનને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે, આસ્ક એસઆરકે સેશન દરમિયાન એક ફેને શાહરૂખ ખાનને આર્યનના લક્ઝરી કપડાની કિંમત ઓછી કરવા માટે કહ્યું, જેના પર શાહરૂખ ખાને અલગ અંદાજમાં જવાબ આપ્યો.

ટ્વીટર પર એક યુઝરે શાહરૂખ ખાનને કહ્યું કે, આર્યન ખાનના ક્લોધિંગ બ્રાન્ડનું જેકેટ 1000-2000 વાળા પણ બનાવડાવી દો, તે ખરીદવામાં તો ઘર જશે. આ વાત પર શાહરૂખે જવાબ આપતા લખ્યું કે, એ ક્લોધિંગ બ્રાન્ડ મને પણ સસ્તામાં કપડા નથી આપતી. આ ક્લોધિંગ બ્રાન્ડની એડમાં શાહરૂખ અને આર્યને પહેલી વખત સ્ક્રીન શેર કરી હતી અને તેના દ્વારા આર્યને નિર્દેશક તરીકે ડેબ્યુ પણ કર્યું.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.