બાબા નિરાલા ફરી આવી ગયો છે, સીરિઝ જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

લોકડાઉન દરમિયાન જ્યારે લોકો ઘરે હતા, ત્યારે મનોરંજન ઉદ્યોગે તેમનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી ન હતી. તે સમય દરમિયાન, વિવિધ OTT પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારની સામગ્રી આવી, જેની વાર્તાઓએ દર્શકોને તેમની જગ્યાએ જકડી રાખ્યા. બોલિવૂડમાં રાજકીય થ્રિલર ફિલ્મો બનાવતા ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા આ સમય દરમિયાન તેમની પ્રથમ વેબ શ્રેણી 'આશ્રમ' લઈને આવ્યા. જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે લોકપ્રિય વેબ સીરિઝની યાદીમાં સામેલ થઈ. પહેલી વાર લોકોએ બોબી દેઓલને એક અલગ અવતારમાં જોયો, જેમાં તે હિટ બન્યો. વર્ષ 2020માં આવેલી આ શ્રેણીની અત્યાર સુધીમાં 3 સીઝન આવી છે, અને તે બધી જ સુપરહિટ સાબિત થઈ છે.

Aashram 3 Part 2
prabhatkhabar.com

શ્રેણીના દરેક પાત્રની પોતાની વાર્તા અને હેતુ છે, જે તે પૂર્ણ કરતો જોવા મળે છે. છેલ્લી સીઝનમાં, એવું બતાવવામાં આવ્યું હતું કે, બોબી દેઓલના પાત્ર બાબા નિરાલાએ પરમિંદર ઉર્ફે 'પમ્મી' પહેલવાનનો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો હતો. તે તેને પોતાની જાળમાં ફસાવે છે અને તેની સાથે ખરાબ કામ કરે છે, જેના વિશે પમ્મીને ખબર પડી જાય છે. તે બાબા વિશેનું સત્ય દુનિયા સમક્ષ બહાર લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાબા નિરાલા, જેને 'ભગવાન' કહેવામાં આવે છે, તે છટકી જાય છે. હવે આ શ્રેણીની ત્રીજી સીઝનનો બીજો ભાગ રિલીઝ થયો છે, જેમાં પમ્મી અને બાબા વચ્ચેની લડાઈ બતાવવામાં આવી છે. તો ચાલો જોઈએ કે તેનો છેલ્લો ભાગ કેવો છે...

Aashram 3 Part 2
hindi.etnownews.com

પાછલા ભાગમાં, પમ્મી (અદિતિ પોહાનકર)ને કોર્ટ દ્વારા જેલમાં મોકલી દેવામાં આવે છે. તેના પર બાબા નિરાલા (બોબી દેઓલ) સામે ખોટા આરોપો લગાવવાનો અને તેના ભાઈ અને પિતાની હત્યા કરવાનો આરોપ છે. જેલમાં તેની સાથે દુર્વ્યવહાર થાય છે અને તે દરમિયાન, તેની માતાનું પણ આઘાતથી મૃત્યુ થાય છે. આ સમય દરમિયાન પમ્મી સંપૂર્ણપણે ભાંગી પડે છે, પણ બાબા નિરાલા ખુલ્લેઆમ બહાર ફરતા રહે છે. તે જેલમાં પમ્મી પાસે પહોંચે છે, જ્યાં પમ્મી તેના પગે પડી જાય છે. તે બાબાની માફી માંગે છે, જેનાથી બાબાનું 'મીણ' જેવું હૃદય પીગળી જાય છે. નિરાલા બાબા ઉર્ફે મોન્ટી પમ્મીને જેલમાંથી મુક્ત કરવાની વાત કરે છે, જેનાથી ભોપા સ્વામી (ચંદન રોય) ગુસ્સે થાય છે અને તે મોન્ટીને ચેતવણી આપે છે.

પમ્મી બાબાના આશ્રમમાં આવે છે, જ્યાં તે તેની ભાભી બબીતા ​​લોચન (ત્રિદા ચૌધરી)ને પોતાનું બદલાયેલું રૂપ બતાવે છે. તે તેને મનાવવાનો પ્રયાસ કરે છે, પણ પમ્મી બાબાની ભક્તિમાં ડૂબેલી હોવાનું નાટક કરવાનું ચાલુ રાખે છે. આ દરમિયાન, તે ભોપા સ્વામીને પણ પોતાની જાળમાં ફસાવી લે છે. તે તેને પોતાની નજીક આવવા દે છે, જે જોઈને નિરાલા બાબા ગુસ્સે થઈ જાય છે અને ભોપા સ્વામીનું 'શુદ્ધિકરણ' કરાવી દે છે. ભોપા આ અપમાનથી ખૂબ ગુસ્સે થાય છે અને બદલાની આગમાં તે મોન્ટી સામે થઈ જાય છે. હવે, શું ભોપા સ્વામી પમ્મી સાથે મળીને નિરાલા બાબા વિશે સત્ય બહાર લાવી શકશે? જો હા, તો કેવી રીતે, તમને શ્રેણી જોયા પછી જ ખબર પડશે.

Aashram 3 Part 2
thesandeshwahak.com

આ સીઝનમાં પણ મુખ્ય હીરો અને ખલનાયક બોબી દેઓલનું કામ પાછલી સીઝનની જેમ ઉત્તમ રહ્યું છે. જો આપણે તેમના પાત્ર વિશે વાત કરીએ તો તેમણે બાબા નિરાલાની ભૂમિકા પૂરી નિષ્ઠા અને સમર્પણથી ભજવી છે. જ્યારે પણ તે સ્ક્રીન પર આવશે, તે તમને નિરાશ નહીં કરે. બોબીએ પોતાને જે પાત્ર ભજવવાનું કહેવાયું છે, તે પાત્રમાં ખુબ અંદર સુધી ઉતરી ગયો છે. તે એવો લાગતો હતો કે જાણે તે કોઈને કંઈ પણ કહે, તો કોઈ પણ તેના શબ્દોને અવગણશે નહીં. જેના માટે આપણે સહાયક કલાકારોની પણ પ્રશંસા કરવાની જરૂર છે.

https://www.instagram.com/reel/DGQNLDvSlGh/

'પમ્મી'ના પાત્રમાં અદિતિ પોહાનકરે પણ ખૂબ જ સારું કામ કર્યું છે. આ સીઝનમાં, તેણે બદલાની આગમાં સળગતી છોકરીના પાત્રને એટલું અસરકારક બનાવ્યું છે કે તે કોઈપણના હૃદયને હચમચાવી શકે છે. તેનો અભિનય અદ્ભુત છે અને તે યોગ્ય સમયે યોગ્ય અભિવ્યક્તિઓ આપતી જોવા મળે છે. આ શ્રેણીમાં ભોપા સ્વામીની ભૂમિકામાં અભિનેતા ચંદન રોય એક આશ્ચર્યજનક ભૂમિકા ભજવી રહ્યા છે. તેણે પોતાની ભૂમિકા એવી રીતે ભજવી છે કે, તેને જોયા પછી તમે તેની પ્રતિભાના વખાણ કરશો. આ ઉપરાંત અભિનેત્રી ત્રિધા ચૌધરી, અભિનેતા દર્શન કુમાર, સચિન શ્રોફે તેમને જે પણ સ્ક્રીન ટાઇમ મળ્યો છે તેમાં સારું પ્રદર્શન કર્યું છે. અંતે, જો તમે આ શ્રેણીના ચાહક છો, તો તમે આ શ્રેણી જોઈ શકો છો.

About The Author

Top News

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.