સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ રિયા ચક્રવર્તીને આપી ક્લિનચીટ

બોલિવુડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBIએ હવે મોટું પગલું ઉઠાવ્યું છે. મીડિયા મુજબ, CBIએ મુંબઈની કોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત કેસનો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે. આ સાથે જ CBIએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને પણ ક્લીનચીટ આપી દીધી છે. તમને જણાવી દઈએ કે, એક્ટરનું મોત વર્ષ 2020માં થયું હતું અને તે મુંબઈમાં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને હવે એક્ટરના મોતના લગભગ 4 વર્ષ બાદ CBIએ કોર્ટમાં આ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે.

rhea-chakraborty
theprint.in

સુશાંત સિંહ રાજપૂતના મોતને પહેલા આત્મહત્યા માનવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે તેની હત્યા થઇ છે. એવામાં CBIએ વર્ષ 2020માં તેની તપાસની શરૂઆત કરી હતી. આ કેસમાં દિવંગત એક્ટરની બહેન અને તેના પિતાએ પણ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપો લગાવ્યા હતા. અહીં સુધી કે રિયા અને તેની નજીકના લોકોએ પણ પોત-પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. હવે રિયા અને તેના પરિવારને ક્લીનચીટ આપી દેવામાં આવી છે.

CBIનું કહેવું છે કે, તેમને કોઈ પુરાવા મળ્યા નથી, જેનાથી એ સાબિત થઇ શકે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે કોઈએ ફોર્સ કર્યો હતો. તો આ કેસમાં કોઈ ગુનાહિત એંગલ કે 'ફાઉલ પ્લે' (ષડયંત્ર) જોવા મળ્યું નથી. AIIMS ફોરેન્સિકની ટીમે પણ હત્યાની સંભાવનાને પણ નકારી દીધી છે અને સોશિયલ મીડિયા ચેટ્સ મોકલીને અમેરિકા મોકલીને પણ તપાસ કરવામાં આવી, જેમાં છેડછાડના કોઈ પુરાવા મળ્યા નથી.

rhea-chakraborty2
zoomtventertainment.com

તમને જણાવી દઈએ કે, CBIનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા બાદ હવે અંતિ નિર્ણય કોર્ટનો હશે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ પરિણામથી સહમત થશે કે પછી તપાસને આગળ વધારવા માટે નિર્દેશ આપી શકે છે. આ સિવાય સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પાસે હવે એ ઓપ્શન છે કે તે મુંબઈ કોર્ટમાં 'પ્રોટેસ્ટ પિટિશન' દાખલ કરી શકે છે.

Related Posts

Top News

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે

BCCIએ એક પ્રસંશનીય પગલું લીધું છે.IPL 2025ની ફાઇનલ મેચ ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવવાની છે અને...
Sports 
IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.