સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ રિયા ચક્રવર્તીને આપી ક્લિનચીટ

બોલિવુડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBIએ હવે મોટું પગલું ઉઠાવ્યું છે. મીડિયા મુજબ, CBIએ મુંબઈની કોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત કેસનો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે. આ સાથે જ CBIએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને પણ ક્લીનચીટ આપી દીધી છે. તમને જણાવી દઈએ કે, એક્ટરનું મોત વર્ષ 2020માં થયું હતું અને તે મુંબઈમાં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને હવે એક્ટરના મોતના લગભગ 4 વર્ષ બાદ CBIએ કોર્ટમાં આ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે.

rhea-chakraborty
theprint.in

સુશાંત સિંહ રાજપૂતના મોતને પહેલા આત્મહત્યા માનવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે તેની હત્યા થઇ છે. એવામાં CBIએ વર્ષ 2020માં તેની તપાસની શરૂઆત કરી હતી. આ કેસમાં દિવંગત એક્ટરની બહેન અને તેના પિતાએ પણ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપો લગાવ્યા હતા. અહીં સુધી કે રિયા અને તેની નજીકના લોકોએ પણ પોત-પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. હવે રિયા અને તેના પરિવારને ક્લીનચીટ આપી દેવામાં આવી છે.

CBIનું કહેવું છે કે, તેમને કોઈ પુરાવા મળ્યા નથી, જેનાથી એ સાબિત થઇ શકે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે કોઈએ ફોર્સ કર્યો હતો. તો આ કેસમાં કોઈ ગુનાહિત એંગલ કે 'ફાઉલ પ્લે' (ષડયંત્ર) જોવા મળ્યું નથી. AIIMS ફોરેન્સિકની ટીમે પણ હત્યાની સંભાવનાને પણ નકારી દીધી છે અને સોશિયલ મીડિયા ચેટ્સ મોકલીને અમેરિકા મોકલીને પણ તપાસ કરવામાં આવી, જેમાં છેડછાડના કોઈ પુરાવા મળ્યા નથી.

rhea-chakraborty2
zoomtventertainment.com

તમને જણાવી દઈએ કે, CBIનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા બાદ હવે અંતિ નિર્ણય કોર્ટનો હશે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ પરિણામથી સહમત થશે કે પછી તપાસને આગળ વધારવા માટે નિર્દેશ આપી શકે છે. આ સિવાય સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પાસે હવે એ ઓપ્શન છે કે તે મુંબઈ કોર્ટમાં 'પ્રોટેસ્ટ પિટિશન' દાખલ કરી શકે છે.

About The Author

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.