સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ રિયા ચક્રવર્તીને આપી ક્લિનચીટ

બોલિવુડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBIએ હવે મોટું પગલું ઉઠાવ્યું છે. મીડિયા મુજબ, CBIએ મુંબઈની કોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત કેસનો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે. આ સાથે જ CBIએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને પણ ક્લીનચીટ આપી દીધી છે. તમને જણાવી દઈએ કે, એક્ટરનું મોત વર્ષ 2020માં થયું હતું અને તે મુંબઈમાં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને હવે એક્ટરના મોતના લગભગ 4 વર્ષ બાદ CBIએ કોર્ટમાં આ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે.

rhea-chakraborty
theprint.in

સુશાંત સિંહ રાજપૂતના મોતને પહેલા આત્મહત્યા માનવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે તેની હત્યા થઇ છે. એવામાં CBIએ વર્ષ 2020માં તેની તપાસની શરૂઆત કરી હતી. આ કેસમાં દિવંગત એક્ટરની બહેન અને તેના પિતાએ પણ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપો લગાવ્યા હતા. અહીં સુધી કે રિયા અને તેની નજીકના લોકોએ પણ પોત-પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. હવે રિયા અને તેના પરિવારને ક્લીનચીટ આપી દેવામાં આવી છે.

CBIનું કહેવું છે કે, તેમને કોઈ પુરાવા મળ્યા નથી, જેનાથી એ સાબિત થઇ શકે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે કોઈએ ફોર્સ કર્યો હતો. તો આ કેસમાં કોઈ ગુનાહિત એંગલ કે 'ફાઉલ પ્લે' (ષડયંત્ર) જોવા મળ્યું નથી. AIIMS ફોરેન્સિકની ટીમે પણ હત્યાની સંભાવનાને પણ નકારી દીધી છે અને સોશિયલ મીડિયા ચેટ્સ મોકલીને અમેરિકા મોકલીને પણ તપાસ કરવામાં આવી, જેમાં છેડછાડના કોઈ પુરાવા મળ્યા નથી.

rhea-chakraborty2
zoomtventertainment.com

તમને જણાવી દઈએ કે, CBIનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા બાદ હવે અંતિ નિર્ણય કોર્ટનો હશે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ પરિણામથી સહમત થશે કે પછી તપાસને આગળ વધારવા માટે નિર્દેશ આપી શકે છે. આ સિવાય સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પાસે હવે એ ઓપ્શન છે કે તે મુંબઈ કોર્ટમાં 'પ્રોટેસ્ટ પિટિશન' દાખલ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.