કરીનાએ ફ્લાઇટમાં ફેન્સ સાથે કરી હતી ગેરવર્તણૂક, નારાયણ મૂર્તિનો દાવો

બોલિવૂડ સ્ટાર્સના દરેક લોકો દિવાના છે. પરંતુ હાલમાં જ ઈન્ફોસિસ કંપનીના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કરીના કપૂર વિશે એક ખુલાસો કર્યો છે. તે કહે છે કે કરીના કપૂર તેના ચાહકોની અવગણના કરે છે. તેણે કહ્યું કે એકવાર તે અને કરીના એક જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમણે પોતે પણ કરીનાને ચાહકો સાથે આવું વર્તન કરતી જોઈ છે. નારાયણ મૂર્તિનો વીડિયો આ સમયે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જૂનો છે, જેમાં નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિ એક કાર્યક્રમમાં લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. દરમિયાન, નાયરણ મૂર્તિએ કરીના કપૂર પર તેના ચાહકોની અવગણના કરવા બદલ ટીકા કરી હતી. જોકે સુધા મૂર્તિએ તેમને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નારાયણ મૂર્તિએ તેમની આખી વાત કહી હતી.

તેણે કહ્યું, 'એકવાર હું લંડનથી આવી રહ્યો હતો ત્યારે કરીના કપૂર મારી બાજુની સીટ પર બેઠી હતી. ઘણા લોકો આવ્યા અને તેમને હેલો કહ્યું, પરંતુ તેમણે પ્રતિક્રિયા આપવી જરૂરી પણ ન માન્યું. મને એકદમ નવાઈ લાગી. કોઈ પણ મારી પાસે આવ્યું, હું ઊભો થયો અને અમે એક કે દોઢ મિનિટ માટે વાત કરી. બસ આટલું જ તેઓ ઇચ્છતા હતા.' દરમિયાન, સુધા મૂર્તિએ તેમને અટકાવતા કહ્યું કે 'કરીનાના કરોડો ચાહકો છે, શક્ય છે કે કદાચ તે થાકી ગઈ હોય.'

સુધા મૂર્તિએ આ વાત કરતાં ત્યાં બેઠેલા ટોળાએ જોરથી તાળીઓ પાડી. તેમની પત્ની સુધા મૂર્તિએ કહ્યું, 'નારાયણ મૂર્તિ એક સોફ્ટવેર કંપનીના સ્થાપક છે, એક સોફ્ટવેર કંપનીના માલિકના 10,000 જેટલા ચાહકો હોઈ શકે છે, પરંતુ તે એક ફિલ્મ અભિનેત્રી છે, તેના ચાહકોની સંખ્યા તમને 10 લાખ જેટલી જોવા મળશે.' જોકે, તેઓના આવી રીતે રોકવાથી પણ નારાયણ મૂર્તિ રોકાયા ન હતા.

નારાયણ મૂર્તિએ આગળ કહ્યું, 'સમસ્યા એ નથી, મુદ્દો એ છે કે, જ્યારે કોઈ વ્યક્તિ સ્નેહ દર્શાવે છે, ત્યારે તમે પણ તેને એવો સ્નેહ બતાવી શકો છો, ભલે તેની રીત અલગ હોય શકે. મને લાગે છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા અહંકારને ઘટાડવાના આ જ રસ્તાઓ છે, બસ.'

અહીં તમને જણાવી દઈએ કે, કરીના કપૂરના કરોડો ફેન્સ છે. આ જ કારણ છે કે, તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 23 વર્ષ પૂરા કર્યા છે, પરંતુ તેનો ક્રેઝ હજુ એવોને એવો જ છે. અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 23 વર્ષ પૂરા થવા પર સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને આ બાબતમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કરીનાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, તે આગામી સમયમાં રિયા કપૂરની ફિલ્મ 'ધ ક્રૂ'માં જોવા મળશે. તબ્બુ, કૃતિ સેનન અને દિલજીત દોસાંઝ પણ આ ફિલ્મમાં તમને જોવા મળશે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.