રક્ષાબંધને બાબા રામદેવે કંગનાને મીઠાઈ અને રૂપિયા મોકલ્યા, કહ્યું- 'વિવાદ પૂરો કરો'; કંગનાએ આપ્યો જવાબ

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર યોગગુરુ બાબા રામદેવે અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌત માટે મીઠાઈ અને ભેટ મોકલી છે. આ સાથે જ તેમણે એક પરબિડીયામાં રૂ. 500ની અનેક નોટો પણ ભેટ તરીકે મોકલી હતી. આ પ્રસંગે બાબા રામદેવે જણાવ્યું હતું કે સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેવી જોઈએ અને જૂના મનદુઃખ ભૂલીને પ્રેમપૂર્વક આગળ વધવું જોઈએ.

બાબા રામદેવે કહ્યું કે દેશમાં કોઈપણ કારણે નફરત કે એકબીજા પ્રત્યે વેરભાવ ન હોવો જોઈએ. તેમણે ઉમેર્યું, છેલ્લા કેટલાક દિવસોમાં મારા અને કંગના રણૌત વચ્ચે વિવાદની ચર્ચા થઈ હતી, જેને સંવાદ દ્વારા પૂરો કરવો જોઈએ. હું કંગનાને ફોન કરીને પણ રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવીશ.

photo_2026-08-29_18-21-36

બાબા રામદેવના આ સંદેશ બાદ કંગના રણૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમનો વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું, તહેવારનો દિવસ બધી ભૂલચૂક માફ કરવા માટે હોય છે. મારા ભાઈ બાબા રામદેવજીએ ખૂબ સરસ વાત કહી કે વિવાદ નહીં, સંવાદ થવો જોઈએ. આજે રક્ષાબંધનના દિવસે હું તેમની મીઠાઈ અને મોટા ભાઈનો પ્રેમ, બંને સ્વીકારું છું. ખૂબ ખૂબ આભાર, ઈશ્વર તમને દીર્ઘાયુ આપે.

અગાઉ કંગના રણૌતે Gen-Z વિરોધ પ્રદર્શનકારીઓને 'ગટરછાપ'  કહ્યા હતા. આ મુદ્દે બાબા રામદેવે કંગના પર નિશાન સાધતા કહ્યું હતું, તેમની લાયકાત શું છે? તેમનું બાળપણ કેવું રહ્યું છે? તેમની યુવાની કેવી રહી છે? તેમના ભૂતકાળના કારનામા કેવા રહ્યા છે? હું આવા લોકો વિશે વાત કરવા નથી માંગતો. દેશના યુવાનોને, Gen-Z ને ગટર-પટર કહેવું એ બગડેલા મગજની નિશાની છે. આ ખોટી વાત છે અને તેમની પાર્ટીના લોકોએ આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ.

photo_2026-08-29_18-21-34

બાબા રામદેવની આ ટિપ્પણી બાદ કંગનાએ પણ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બાબા રામદેવે તેમની યુવાની કે બેડરૂમ વિશે 'ડે-ડ્રીમ' (દિવાસ્વપ્ન) ન જોવું જોઈએ.

કંગના રણૌતે 'ડીડી ન્યૂઝ'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું, બાબા રામદેવ મારાથી પહેલેથી જ નારાજ ચાલી રહ્યા છે. તાજેતરમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કંગનાએ પ્રદર્શનકારીઓને ગટરછાપ કહ્યા છે, તો તેમણે કહ્યું કે તેનું બાળપણ કેવું હતું, તેની યુવાની કેવી હતી તે જોયું છે? શું બાબા રામદેવ મારા બેડરૂમમાં ચામાચીડિયું બનીને લટકેલા હતા? મને સમજ નથી પડતી કે તેમણે એવું તે શું જોયું, તેમણે કહેવું જોઈતું હતું ને કે તેમણે શું જોયું છે!

photo_2026-08-29_18-21-32

બીજી તરફ, કંગના કૃતિ સેનનની રક્ષાબંધનની જાહેરાત પર આપેલા પોતાના અગાઉના નિવેદનથી પાછળ હટી ગયા છે. 'ડીકોડ લાઈવ' શોમાં કંગનાએ કહ્યું કે કૃતિનું જે મન થાય તે પહેરી શકે છે, તેમને કોઈ રોકી નથી રહ્યું. કોને શું પડી છે?  ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આજે મહિલાઓ પાસે પહેરવા માટે તમામ પ્રકારના કપડાંના વિકલ્પો ઉપલબ્ધ છે, તો પછી રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતી વખતે આ પ્રકારના કપડાં શા માટે પસંદ કરવામાં આવ્યા.

 

About The Author

Top News

Atherએ 200 કિલોમીટર રેન્જ ધરાવતું નવું Ather Konarc EV સ્કૂટર લોન્ચ કર્યું, કિંમત છે આટલી

Ather Energyએ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદદારો માટે નવું Ather Konarc લોન્ચ કર્યું છે. કંપનીએ તેને ખાસ કરીને કૌટુંબિક ઉપયોગ અને...
Tech and Auto 
Atherએ 200 કિલોમીટર રેન્જ ધરાવતું નવું Ather Konarc EV સ્કૂટર લોન્ચ કર્યું, કિંમત છે આટલી

ફિટનેસ સર્ટિફિકેટની મુદત પૂરી થઇ ગઇ હોય તો પણ વીમો મળવાપાત્ર છે: કોર્ટ

શ્રી ચલથાણ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમીટેડ (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત એક વીમા કંપની વિરુદ્ધ દાખલ કરાવેલ ફરિયાદની વિગત...
Gujarat 
ફિટનેસ સર્ટિફિકેટની મુદત પૂરી થઇ ગઇ હોય તો પણ વીમો મળવાપાત્ર છે: કોર્ટ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 30-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ કોંગ્રેસ સાંસદના અવસાન પર તેમના પરિવારને સાંત્વના આપવા ગયેલા BJPના 3 સાંસદોને નીતિન નબીને ઠપકો આપ્યો

પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારના નિધન બાદ તેમના પરિવારને સાંત્વના આપવા અને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા દિલ્હીના 3 ભાજપ લોકસભા સાંસદોને...
Politics 
પૂર્વ કોંગ્રેસ સાંસદના અવસાન પર તેમના પરિવારને સાંત્વના આપવા ગયેલા BJPના 3 સાંસદોને નીતિન નબીને ઠપકો આપ્યો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.