3 બાળકોનો પિતા છે પોપટલાલ, આવો છે તારક મેહતાના સ્ટાર્સનો પરિવાર

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેન્સનો ફેવરિટ શો છે. આ શોનું દરેક કેરેક્ટર પોતાનામાં કમાલ છે. શોની આખી સ્ટારકાસ્ટને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. સીરિયલમાં જેવી જોડીઓ બનાવવામાં આવી છે, તેને જોતા એવું જ લાગે છે કે આ જ અસલી જોડીઓ છે. પરંતુ, હકીકતમાં એવું નથી. આજે અમે તમને શોના એક્ટર્સની રિયલ લાઈફ ફેમિલી વિશે જણાવીશું.

ફોટામાં તમે જેને જોઈ રહ્યા છે, તે અમિત ભટ્ટ અને તેની પત્ની. શોમાં તે જેઠાલાલના પિતા ચંપકલાલનું કેરેક્ટર પ્લે કરે છે. અમિતના રિયલ લાઈફમાં બે ટ્વીન્સ બાળકો છે અને તે બંને TikTok સ્ટાર છે.

ગોકુલધામ સોસાયટીના એક મેવ સેક્રેટરી આત્મારામ ભિડે (મંદાર ચંદવાદકર) તો ફેન્સનો ફેવરિટ છે. શોમાં જ્યારે પણ તે આવે છે, તો પોઝિટિવિટી સાથે લાવે છે. શોમાં તે એક દીકરીનો પિતા છે. પરંતુ રિયલ લાઈફમાં ઊંધુ છે. મંદાર ચંદવાદકર એક દીકરાનો પિતા છે. તેની પત્નીનું નામ સ્નેહલ ચંદવાદકર છે.

શોના તારક મેહતાનું રિયલ નામ શૈલેષ લોઢા છે. એક્ટિંગની સાથોસાથ શૈલેષ લખે પણ છે. તે મેરિડ છે. તેની પત્નીનું નામ સ્વાતિ છે અને તેની એક દીકરી પણ છે.

પોપટલાલ (શ્યામ પાઠક)નું નામ જ્યારે પણ યાદ આવે છે, તો સૌથી પહેલા મગજમાં આવે છે લગ્ન. ભલે પોપટલાલ શોમાં કુવારો છે અને લગ્ન માટે આતુર છે. પરંતુ, અસલ જિંદગીમાં તેના લગ્ન થઈ ગયા છે અને તે ત્રણ બાળકોનો પિતા છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની એકમાત્ર  બિઝનેસ વુમન છે, માધવી ભિડે. શોમાં તે અથાણું અને પાપડનો બિઝનેસ કરે છે. અસલમાં માધવીનું નામ સોનાલિકા જોશી છે. તેના રિયલ લાઈફ પતિનું નામ સમીર જોશી છે અને તેની એક દીકરી પણ છે.

જેનિફર મિસ્ત્રી શોમાં મિસીસ રોશન સોઢી બની છે. જેનિફરના લગ્ન થઈ ગયા છે. તેની એક દીકરી છે. લોકડાઉનના સમયમાં તે પોતાની દીકરી સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.

શોમાં જેઠાલલાનું કેરેક્ટર દિલીપ જોશી પ્લે કરી રહ્યો છે. દિલીપ જોશીના લગ્ન જયમાલા જોશી સાથે થયા છે અને તેના બે બાળકો પણ છે. શોમાં જેઠાલાલનું કેરેક્ટર લોકોનું ફેવરિટ છે.

દિશા વાકાણી શોમાં દયા જેઠાલાલનું કેરેક્ટર પ્લે કરી રહી છે. ગત 2 વર્ષોથી દિશા વાકાણી શોમાંથી ગાયબ છે. થોડાં સમય પહેલા શોમાં એક એપિસોડ માટે તેની એન્ટ્રી થઈ હતી. ફેન્સ તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે. દિશાએ મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા છે અને હવે દિશા એક બાળકની મા છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.