‘...તો સાર્વજનિક કરી દઇશ’, સ્મૃતિ મંધાના-પલાશ મુચ્છલ મામલે ચહલની GF મહાવીશની એન્ટ્રી

સ્મૃતિ મંધાનાએ પિતાના ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને તેના લગ્ન મુલતવી રાખવાની જાહેરાત કરી, ત્યારે કોઈને અંદાજો પણ નહોતો કે પડદા પાછળ શું ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઘણી થિયોરી સામે આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પલાશ મુચ્છલની ચેટ વાયરલ થઈ રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે, સ્મૃતિએ બેવફાઈની જાણ થયા બાદ તેના મ્યૂઝિક કંપોઝર બોયફ્રેન્ડ સાથેના લગ્ન તોડી નાખ્યા. આમ તો કોઈને સત્ય ખબર નથી, પરંતુ હવે આ આખા વિવાદમાં RJ મહવિશની એન્ટ્રી થઈ ચૂકી છે.

rj-mahvash1
ndtv.com

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની કથિત ગર્લફ્રેન્ડ RJ મહવિશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કટાક્ષપૂર્ણ અંદાજમાં સમગ્ર પુરુષ સમુદાયને કઠેડામાં ઊભો કરી દીધો છે. મહવિશનું કહેવું છે કે, જો મારા વાળો કોઈ છોકરીને મેસેજ કરે છે તો, તેનો સ્ક્રીનશૉટ વાયરલ કરી દઈશ.

https://www.instagram.com/reel/DRhVPTMDJ5v/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

પુરુષો ખૂબ જ સુંદર વસ્તુ હોય છે. જ્યારે તમે પૂછો છો ત્યારે તેઓ સિંગલ જ હોય છે. જુઓ ભાઈ, મને સત્ય-અસત્ય ખબર નથી, પરંતુ હું મારા લગ્નના એક અઠવાડિયા પહેલા મારા વરરાજાને ઇન્ટરનેટ પર લોન્ચ કરી રહી છું. અને મારા વાળો જેના પણ DMમાં સુહાગરાત મનાવી રહ્યો હશે, છોકરીઓ પ્લીઝ મને આવીને કહી દેજો. અને એ ન વિચારતા કે હવે તો લગ્ન કરી રહી છે, તેને કેવી રીતે ખબર પડશે? તેના પર ભરોસો કરતી જ હશે. નહીં! હું આ દુનિયામાં કોઈ પર વિશ્વાસ કરતી નથી. હવે હું કોઈ માટે એમ શકતી નથી કે આ છોકરો કોઈ માટે કંઈ નહીં કરી શકે. કોઈ કંઈપણ કરી શકે છે. તમે તેના સ્ક્રીનશૉટ સાર્વજનિક કરી શકો છો, અથવા મને વ્યક્તિગત રીતે મોકલી દેજો અને હું તેને સાર્વજનિક કરી દઈશ અને કદાચ હું તેને સાર્વજનિક પણ ન કરું, હું માત્ર શાંતિથી નીકળીને જવા માગુ છું. બચાવો, મિત્ર! આ લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 184,000થી વધુ લાઈક્સ મળી છે અને કોમેન્ટ સેક્શન મજેદાર વાતોથી ભરેલો છે.

Smriti-Mandhana2
newsbytesapp.com

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને મ્યૂઝિક કંપોઝર પલાશ મુચ્છલ 23 નવેમ્બરના રોજ લગ્ન કરવાના હતા. પરંતુ સમાચાર આવ્યા કે સ્મૃતિના પિતા હોસ્પિટલમાં દાખલ થવાને કારણે લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે. અહી સુધી તો બધું બરાબર લાગતું હતું, પરંતુ વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્મૃતિએ પલાશ સાથેના તેના લગ્ન સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરી દીધી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા, જેમાં પલાશ એક કોરિયોગ્રાફર સાથે ફ્લર્ટિંગ મેસેજની કરતો જોવા મળે છે. પલાશની પ્લેબેક સિંગર બહેન પલકે એક ટૂંકી નોટ શેર કરીને અટકળોને શાંત કરવાનો પ્રયાસ કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે લગ્ન માત્ર દુલ્હનના પિતાના સ્વાસ્થ્યને કારણે મુલતવી રાખવામાં આવ્યા છે. જોકે, સ્મૃતિ કે પલાશે હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

About The Author

Related Posts

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.