‘...તો સાર્વજનિક કરી દઇશ’, સ્મૃતિ મંધાના-પલાશ મુચ્છલ મામલે ચહલની GF મહાવીશની એન્ટ્રી

સ્મૃતિ મંધાનાએ પિતાના ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને તેના લગ્ન મુલતવી રાખવાની જાહેરાત કરી, ત્યારે કોઈને અંદાજો પણ નહોતો કે પડદા પાછળ શું ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઘણી થિયોરી સામે આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પલાશ મુચ્છલની ચેટ વાયરલ થઈ રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે, સ્મૃતિએ બેવફાઈની જાણ થયા બાદ તેના મ્યૂઝિક કંપોઝર બોયફ્રેન્ડ સાથેના લગ્ન તોડી નાખ્યા. આમ તો કોઈને સત્ય ખબર નથી, પરંતુ હવે આ આખા વિવાદમાં RJ મહવિશની એન્ટ્રી થઈ ચૂકી છે.

rj-mahvash1
ndtv.com

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની કથિત ગર્લફ્રેન્ડ RJ મહવિશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કટાક્ષપૂર્ણ અંદાજમાં સમગ્ર પુરુષ સમુદાયને કઠેડામાં ઊભો કરી દીધો છે. મહવિશનું કહેવું છે કે, જો મારા વાળો કોઈ છોકરીને મેસેજ કરે છે તો, તેનો સ્ક્રીનશૉટ વાયરલ કરી દઈશ.

https://www.instagram.com/reel/DRhVPTMDJ5v/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

પુરુષો ખૂબ જ સુંદર વસ્તુ હોય છે. જ્યારે તમે પૂછો છો ત્યારે તેઓ સિંગલ જ હોય છે. જુઓ ભાઈ, મને સત્ય-અસત્ય ખબર નથી, પરંતુ હું મારા લગ્નના એક અઠવાડિયા પહેલા મારા વરરાજાને ઇન્ટરનેટ પર લોન્ચ કરી રહી છું. અને મારા વાળો જેના પણ DMમાં સુહાગરાત મનાવી રહ્યો હશે, છોકરીઓ પ્લીઝ મને આવીને કહી દેજો. અને એ ન વિચારતા કે હવે તો લગ્ન કરી રહી છે, તેને કેવી રીતે ખબર પડશે? તેના પર ભરોસો કરતી જ હશે. નહીં! હું આ દુનિયામાં કોઈ પર વિશ્વાસ કરતી નથી. હવે હું કોઈ માટે એમ શકતી નથી કે આ છોકરો કોઈ માટે કંઈ નહીં કરી શકે. કોઈ કંઈપણ કરી શકે છે. તમે તેના સ્ક્રીનશૉટ સાર્વજનિક કરી શકો છો, અથવા મને વ્યક્તિગત રીતે મોકલી દેજો અને હું તેને સાર્વજનિક કરી દઈશ અને કદાચ હું તેને સાર્વજનિક પણ ન કરું, હું માત્ર શાંતિથી નીકળીને જવા માગુ છું. બચાવો, મિત્ર! આ લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 184,000થી વધુ લાઈક્સ મળી છે અને કોમેન્ટ સેક્શન મજેદાર વાતોથી ભરેલો છે.

Smriti-Mandhana2
newsbytesapp.com

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને મ્યૂઝિક કંપોઝર પલાશ મુચ્છલ 23 નવેમ્બરના રોજ લગ્ન કરવાના હતા. પરંતુ સમાચાર આવ્યા કે સ્મૃતિના પિતા હોસ્પિટલમાં દાખલ થવાને કારણે લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે. અહી સુધી તો બધું બરાબર લાગતું હતું, પરંતુ વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્મૃતિએ પલાશ સાથેના તેના લગ્ન સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરી દીધી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા, જેમાં પલાશ એક કોરિયોગ્રાફર સાથે ફ્લર્ટિંગ મેસેજની કરતો જોવા મળે છે. પલાશની પ્લેબેક સિંગર બહેન પલકે એક ટૂંકી નોટ શેર કરીને અટકળોને શાંત કરવાનો પ્રયાસ કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે લગ્ન માત્ર દુલ્હનના પિતાના સ્વાસ્થ્યને કારણે મુલતવી રાખવામાં આવ્યા છે. જોકે, સ્મૃતિ કે પલાશે હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.