શાહિદ કપૂરે પોતાનું ઘર કાર્તિક આર્યનને ભાડે આપ્યું, દર મહિને આપશે આટલું ભાડું

કાર્તિક આર્યન ટૂંક સમયમાં જ શાહિદ કપૂરના જુહૂના ઘરમાં શિફ્ટ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકે જુહૂ તારા રોડ પર પ્રણેતા બિલ્ડિંગમાં એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે જે શાહિદ કપૂરનું છે. શાહિદ ગયા વર્ષ સુધી પત્ની મીરા રાજપૂત અને બંને બાળકો સાથે એ જ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. હવે તે મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા ડુપ્લેક્સ હાઉસમાં શિફ્ટ થઈ ગયો છે. બીજી તરફ જે ફ્લેટ કાર્તિકે ભાડે રાખ્યો છે તેમાંથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહિદ કપૂરે વર્ષ 2014માં આ પ્રોપર્ટી ખરીદી હતી, જે 3 હજાર 681 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. આ ફ્લેટમાં બે કાર પાર્કિંગ પણ છે. રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યન આ ઘર માટે દર મહિને 7.5 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે. સિક્યોરિટી તરીકે કાર્તિકે 45 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકે 36 મહિનાના લીઝ ટ્રાન્ઝેક્શન માટે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન પણ કર્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2018 જુલાઈમાં શાહિદ કપૂરે લગભગ 55 કરોડ રૂપિયામાં 8 હજાર 625 સ્ક્વેર ફીટનું લક્ઝુરિયસ ડુપ્લેક્સ ખરીદ્યું હતું. તેના પરિવાર સાથે શાહિદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ નવા ઘરમાં શિફ્ટ થયો હતો. તો શાહિદનો ફ્લેટ ભાડે લેતા પહેલા કાર્તિક આર્યન વર્સોવામાં રહેતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકે વર્ષ 2019માં વર્સોવાવાળું ઘર 1.60 કરોડમાં ખરીદ્યું હતું.

જો હવે વાત કરીએ શાહિદ કપૂર અને કાર્તિક આર્યનના વર્કફ્રન્ટની તો કાર્તિકની ફિલ્મ 'શહેજાદા' 10 ફેબ્રુઆરીએ રીલિઝ થઈ રહી છે, જેમાં તે કૃતિ સેનન સાથે જોવા મળશે. આ સિવાય તેની પાસે કિયારા અડવાણી સાથે 'સત્યપ્રેમ કી કથા' પણ છે. તો શાહિદ કપૂર આગામી પ્રાઈમ વીડિયો સીરિઝ 'ફર્ઝી'માં જોવા મળશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.