‘પઠાણ’ના ડિરેક્ટરે ખોલ્યું રહસ્ય, ફિલ્મના સારા સીન હજુ બતાવ્યા જ નથી

‘પઠાણ’નું ટ્રેલર રીલિઝ થયા બાદ તે ચર્ચામાં બનેલું છે. યશ રાજ ફિલ્મ્સનો શાનદાર એક્શન શો ‘પઠાણ’ આદિત્ય ચોપડાના મહત્વાકાંક્ષી સ્પાઇ યૂનિવર્સનો હિસ્સો છે અને તેમાં શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ છે. ફિલ્મના સૌથી શાનદાર પળોને જાહેર ન કર્યા બાદ પણ ટ્રેલરને મળી રહેલી શાનદાર પ્રતિક્રિયાથી નિર્દેશક સિદ્ધાર્થ આનંદ રોમાંચિત છે. તેમણે કહ્યું કે, ફિલ્મના શાનદાર પળોને હજુ સુધી શેર નથી કરવામાં આવ્યા અને તે તમને ફિલ્મમાં જ જોવા મળશે.

‘પઠાણ’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ કહે છે કે, પઠાણનું ટ્રેલર બનાવવું એક સારો પડકાર હતો કારણ કે, તેના ટીઝર અને બે ગીતો ‘બેશર્મ રંગ’ અને ‘ઝૂમે જો પઠાણ’એ ફિલ્મ વિશેની આશાઓને સાતમા આસમાને પહોંચાડી હતી. આપણા મગજમાં એ વાત એકદમ સાફ હતી કે, અમે એક એવું ટ્રેલર બનાવીશું જે ફક્ત એ ચર્ચાઓ અને પ્રચારને પ્રોત્સાહન આપશે જે ફિલ્મને હાલ મળી રહ્યા છે.

અમે ઘણી સાવધાનીથી અને રણનૈતિક રૂપે એક ટ્રેલર બનાવ્યું છે, જે ‘પઠાણ’ના અમુક પળોની ઝલક દર્શકોને બતાવે છે જેથી તેનો આનંદ લો, પણ તેમ છતાં એ ખાસ દૃષ્યો વિશે જરા પણ અંદાજો નથી લાગવા દેતા કે જે ‘પઠાણ’ને એક્શન ફિલ્મ બનાવે છે. મને ખુશી છે કે, ફિલ્મ વિશે ઘણું બધું જાહેર કર્યા વિના, અમે એક એવું ટ્રેલર બનાવ્યું કે, જેનાથી દરેકના વખાણ થયા છે.

સિદ્ધાર્થ આનંદ કહે છે કે, આ તો ફક્ત ટ્રેલર છે, એ વાતનો અનુભવ કરવા માટે, પઠાણને કયા બેઝ પર બનાવવામાં આવી છે, તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે. અમને આશા છે કે, અમે દુનિયાભરના ભારતીયોનું મનોરંજન કરીશું અને એ વાત પર ગર્વનો અનુભવ થશે કે, અમે એક એવી ફિલ્મ બનાવી છે કે, જે કોઇપણ આંતરરાષ્ટ્રીય એક્શન એન્ટરટેનરથી વિઝ્યુઅલ સ્પેક્ટેકલના મુદ્દે મુકાબલો કરી શકે છે. યશરાજ ફિલ્મ્સની રોમાંચથી ભરૂપર ફિલ્મ ‘પઠાણ’, 25મી જાન્યુઆરીના રોજ, હિંદી, તામિલ અને તેલુગુમાં રીલિઝ થશે.

 
 
 
View this post on Instagram

A post shared by @varindertchawla

ટ્રેલરના રીલિઝ બાદ દીપિકા પદુકોણ મુંબઇ એરપોર્ટ પર નજરે પડી હતી. જ્યાં પાપારાઝીએ એક્ટ્રેસના ઘણા ફોટોઝ લીધા હતા તો દીપિકાએ પણ ફિલ્મ‘પઠાણ’ને લઇને પાપારાઝીને એક સવાલ કર્યો હતો. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.