હેર સલુન-બ્યૂટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મ્યુ.કમિશનરે જુઓ શું કહ્યુ

સુરત શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાને લેતા શહેરના મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાનીએ હેર કટિંગ અને બ્યૂટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકોને ખાસ તકેદારીના પગલાઓ લેવા બાબતે જણાવ્યું હતું કે, હેર કટિંગ અને બ્યૂટીપાર્લરના સાથે સંકળાયેલા લોકો એકની એક વસ્તુઓ વારંવાર ઉપયોગમાં ન કરે તે જરૂરી છે. કારણ કે, જો બહાર ફરતા લોકોમાં જો ચેપ લાગ્યો હોય તો દુકાનદારને ચેપ લાગવાની શક્યતા વધારે રહેલી છે તેમજ દુકાનદારને ચેપ લાગ્યો હોય તો ગ્રાહકોને પણ ચેપ લાગી શકે છે. આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ મહાનગર પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા એસ.ઓ.પીનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તે જરૂરી છે.

ખાસ કરીને દુકાનમાં અડધા કારીગરોથી કામ કરવુ અથવા નાની દુકાન હોય તો તેણે એક કારીગરથી તથા વારાફરતી કામ કરવુ હિતાવહ છે. હેરકટિંગના સંચાલકો અને ગ્રાહકોએ માસ્ક અને હાથના મોજા પહેરવા ફરજીયાત છે. અથવા સેનેટાઈઝ કરવા રજીયાત છે. દરેક શોપમાં સેનેટાઈઝર રાખવુ ફરજીયાત છે. જે કપડા અથવા નેપકીન વાપરવામાં આવતુ હોય તેને દર વખતે બદલવુ જરૂરી છે. ઉપયોગમાં આવતા તમામ સાધનોને દર વખતે બદલવા અને 30 મિનીટ સુધી ગરમ પાણીમાં રાખી મુકવાના રહેશે. આ તમામ નિયમોનુ પાલન નહીં કરનારને સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુ. કમિશનરે જણાવ્યું હતું.

સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ વરાછા-એ ઝોન વિસ્તારમાં આવેલી સમરસ અને શાંતિનાથ સોસાયટીમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ મુલાકાત લઇ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, સોસાયટીના લોકોને કોવિડ 19ની ગાઈડલાઈન SOPનું પાલન કરવા, સામાજિક અંતર રાખવા, માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા તથા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કમિશ્નરે વૈશાલી હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ આ વિસ્તારના નકશા મારફતે આ વિસ્તારની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. વોર રૂમનું નિરીક્ષણ કરી સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરીની ચકાસણી કરી વધુ સારી રીતે કામગીરી કરવા માટે સુચનો તથા માર્ગદર્શન આપ્યું હતું. આ વિસ્તારમાં કોરોનાનો વ્યાપ ન વધે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરી હતી. કમૅચારીઓને પણ ઓફિસમાં તકેદારી રાખવા તથા ફરજિયાતપણે માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. મુલાકાત દરમ્યાન ખાસ ફરજ પરના આઈએએસ અધિકારી એચ. કે. લાંગા, ડે.મ્યુ.કમિશનર(હે. અને હો.) ડો. આશિષ કે. નાયક, વરાછા-એ ઝોનનાં એડી.સીટી ઈજનેર ડી.એમ.જરીવાલા અને કાર્યપાલક ઈજનેર અમીત જે. દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

Top News

આ કાર કંપનીએ 2022ની કારમાં ગ્રાહકને સલાહ આપી કે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરો!

તમે તમારી કાર લઈને ઘરની બહાર નીકળ્યા છો... મારે કયું પેટ્રોલ ભરવું જોઈએ? જો હું આ ઇથેનોલ બ્લેન્ડ (...
Tech and Auto 
આ કાર કંપનીએ 2022ની કારમાં ગ્રાહકને સલાહ આપી કે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરો!

અમેરિકાના ટેરિફની અસર પર સુરત પર દેખાવા લાગી, 100થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા

ગઈકાલથી અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાગૂ કરી દીધો છે, ત્યારે હવે આ ટેરિફની અસર ડાયમંડ નગરી કહેવાતા...
Gujarat 
અમેરિકાના ટેરિફની અસર પર સુરત પર દેખાવા લાગી, 100થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા

ગુજરાતમાં નવા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ફરી વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર–કચ્છમાં વરાપ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતના દક્ષિણ,...
Gujarat 
 ગુજરાતમાં નવા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ફરી વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર–કચ્છમાં વરાપ

ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે

ગુજરાત ભાજપની રાજનીતિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પડકારો સામે આવ્યા છે જેના કારણે રાજ્યના રાજકીય માળખામાં અવિશ્વસનીયતા અને અસંતોષનો માહોલ...
Opinion 
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.