દશેરાના દિવસે ગુજરાતીઓ આટલા કરોડના ફાફડા જલેબી ઝાપટી જશે

આવતીકાલે,11 ઓકટોબરે દશેરો છે અને દશેરાના દિવસે ફાફડા અને જલેબીની જયાફત ઉડાવવાની ગુજરાતમાં વર્ષોથી પંરપરા છે. દશેરોના દિવસે ગુજરાતના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જાય છે.

આ વખતે ફાફડા અને જલેબીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધારે ફાફડા જલેબી અમદાવાદના લોકો ખાય છે એ પછી સુરતમાં પણ લોકો ફાફડા જલેબી માટે લાઇન લગાવી દે છે. એક અંદાજ મુજબ આખા ગુજરાતમાં 1 લાખ જેટલા ફાફડા અને જલેબીનું વેચાણ થશે એટલે અંદાજે 8થી 10 કરોડ રૂપિયાના ફાફડા-જલેબી એક જ દિવસમાં ખવાઇ જશે.

દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા પાછળનું કારણ એવું છે કે ભગવાનને રામને શશકુલી નામની મિઠાઇ બહુ ભાવતી હતી જેને આજે જલેબી કહેવામાં આવે છે. સમય જતા મિઠાઇને સાથે તીખી આઇટમ તરીકે ફાફડા પણ જોડાઇ ગયા.

બીજું એક કારણ એ છે કે સપ્ટેબર- ઓક્ટોબર મહિનામાં બેવડી  સિઝન હોવાને કારણે ઘણા લોકોને માઇગ્રેનનો અનુભવ થતો હોય છે. શરીરમાં સિરોટોરીન નામનું તત્વ ઓછું થઇ જાય છે અને જલેબીમાં ટિરામાઇનનું તત્વ હોય છે જે સિરોટોરીને અંકુશમાં રાખે છે, જલેબી ખાવાથી માઇગ્રેનમાં રાહત મળે છે એવું માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

આપણું ગુજરાત જેને આપણે સૌ ગુજરાતીઓ આપણી ‘કર્મભૂમિ’ કહીએ છીએ, જ્યાં મહેનતના પરસેવાનું ટીપું પણ હીરો અને સોનું બની જાય...
Opinion 
ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઉત્તર પ્રદેશ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (SI) ભરતી પરીક્ષા સાથે સંબંધિત એક મોટી સાયબર છેતરપિંડી સામે આવી છે. UP STFની...
National 
UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ

રસોઇના બજેટ અને ગેસના અર્થશાસ્ત્રમાં આજે એક એવો ભુકંપ આવ્યો છે, જેણે મધ્યમ વર્ગના પરિવારોની બેકઅપ યોજનાઓને સંપૂર્ણપણે ઉથલાવી દીધી...
National 
ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ

બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે, AAP નેતા ચૈતર વસાવાએ સરકારના આ પરિપત્રનો કર્યો વિરોધ

રાજ્ય સરકારે તાજેતરમાં જ બે નિર્ણય લીધા હતા. જેમાં હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે...
Gujarat 
બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે, AAP નેતા ચૈતર વસાવાએ સરકારના આ પરિપત્રનો કર્યો વિરોધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.