ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોનો આવશે નિકાલ, ચીફ જસ્ટિસે લાગૂ કરી આ વ્યવસ્થા

બોલિવુડ ફિલ્મ દામિનીમાં સની દેઓલના ચર્ચિત સંવાદ તારીખ પર તારીખ ગુજરાત હાઈકોર્ટ પર લાગૂ થશે નહીં. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે હાઈકોર્ટમાં લાંબા સમયથી પડી રહેલા કેસોની સુનાવણીમાં ઝડપતા લાવવા માટે એક નવી વ્યવસ્થા લાગૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં 5થી 10 વર્ષ કે તેનાથી વધારે જૂના કેસોમાં 57 દિવસની અંદર ન્યાય મળશે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે 13,998 કેસોમાં તત્કાલ નિસ્તારણનો આદેશ આપ્યો છે. એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આવનારી પહેલી સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધીમાં દરેક કેસોની સુનાવણી પૂરી થયા પછી નિર્ણય લેવાશે. એટલું જ નહીં હાઈકોર્ટમાં એક નવો પ્રયોગ પણ કરવામાં આવશે. રાજ્યમાં વકીલોને ઈમેલ દ્વારા તારીખ મળશે. આ પ્રયોગને લાગૂ કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટે લાંબા સમયથી પડી રહેલા કેસોની સુનાવણીને લઇ અગત્યનો નિર્ણય લીધો છે. જેમાં દરેક કેસોમાં આવનારી સુનાવણીની તારીખ નિશ્ચિત કરાશે. તેના માટે સિસ્ટમ જનરેટેડ નેક્સ્ટ લિસ્ટિંગ ડેટ ઓનલાઇનથી રીતથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને અન્ય સ્થાયી સમિતિના ન્યાયાધીશોને મંજૂરી આપી દીધી છે. હાઈકોર્ટે રજિસ્ટ્રાર જનરલ અનુસાર, જો કોઈ કેસમાં આવનારી તારીખ રજિસ્ટર્ડ કરવામાં આવશે નહીં તો પણ સિસ્ટમ પોતાની જાતે કેસની લિસ્ટંગ માટે તારીખ ફાળવી દેશે. એટલું જ નહીં હાઈકોર્ટમાં લાંબા સમયથી પડી રહેલા કેસોની સંખ્યા ઓછી કરવા માટે કેસોને 10 વર્ષથી જૂના કેસ, 5-10 વર્ષ જૂના કેસની સાથે પાંચ વર્ષ જૂના કેસોની વચ્ચે વહેંચવામાં આવશે.

આ નિયમોથી મળશે તારીખ

હાઈકોર્ટમાં લાગૂ કરવામાં આવેલી વ્યવસ્થા 31 ઓગસ્ટ 2023થી શરૂ થશે અને 1 સપ્ટેમ્બરથી તેનો અમલ થઇ જશે. કેસ કેટલો જૂનો છે તેના આધારે તેની લિસ્ટિંગની તારીખ મળશે. એવામાં 10 વર્ષથી વધારે જૂના કેસોને બે મહિનાની અંદર બીજી તારીખ મળશે. પાંચથી દસ વર્ષ જૂના કેસોને બે મહિનાથી ચાર મહિનાની અંદરની તારીખ આપવામાં આવશે. આજ પ્રકારે પાંચ વર્ષ જૂના કેસને ચારથી 6 મહિના પહેલાની તારીખ આપવામાં આવશે. આ સિસ્ટમ લાગૂ થવા પર ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પર હવે નેક્સ્ટ લિસ્ટિંગ તારીખની વધારાની કોલમની સાથે કૉઝલિસ્ટના રૂપમાં એક નવી રિપોર્ટ વેબસાઇટ પર રહેશે. હાઈકોર્ટમાં લાગૂ થઇ રહેલી આ નવી વ્યવસ્થાથી લાંબા સમયથી પડી રહેલા કેસોમાં જલદી નિર્ણય આવી શકશે.

About The Author

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.