ગુજરાતઃ સરકારી નોકરીનું રિઝલ્ટ 26 વર્ષ પછી આવ્યું, બે ઉમેદવારો પાસ થયા, પણ...

કોઇની કારકિર્દી કેવી રીતે ધૂળમાં મળી જાય છે તેનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે ઉમેદવારો સાથે જે થયું તે જાણીને તમને દુખ થશે. સરકારી નોકરી મળશે એવી આશાએ યુવાન વયે પરીક્ષા હતી, પરંતુ 26વર્ષ પછી એ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે 4માંથી 2 ઉમેદવાર પાસ થયા છે, પરંતુ અફસોસ કે રિઝલ્ટ આવતા સુધીમાં તેમની ઉંમર 58 વર્ષ પર પહોંચી ગઇ એટલે નોકરી મળે તેવી સ્થિતિ નથી.

ઘણા લોકો એવા હોય છે જેમને સરકારી નોકરી મળવાની આશા હોય છે અને ગુજરાતમાં તો આપણે જોયું છે કે નોકરીઓની પોસ્ટ નહીં નિકળવાને કારણે કે નોકરીના રિઝલ્ટ મોડા આવવાને કારણે અવારનવાર પ્રદર્શનો પણ થતા રહે છે.

ગુજરાતમાં સરકારી નોકરીઓની ભરતીને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરીક્ષા આપ્યા બાદ ચાર યુવકો પરિણામની રાહ જોતા રહ્યા. તે યુવાનથી વૃદ્ધ થઈ ગયા પણ તેમની સરકારી નોકરીનું પરિણામ આવ્યું નહીં, જે પરિણામ તેઓ જાણવા માંગતા હતા, હાઈકોર્ટના આદેશ બાદ જ્યારે તેમનું પરિણામ આવ્યું ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું, ચારમાંથી બે આ પરીક્ષા પાસ કરી હતી. હવે રિટાયરમેન્ટની ઉંમરે પહોંચી ગયેલા 2 ઉમેદવારોને દુખ છે કે પાસ થવા છતા તેમને નોકરી ન મળી શકી.

26 વર્ષ પહેલા એટલે કે 1997માં લેવામાં આવેલી પરીક્ષાના રિઝલ્ટના સીલબંધ કવર જ્યારે કોર્ટમાં ખોલવામાં આવ્યા. રિઝલ્ટ જોયા પછી હાઇકોર્ટે કહ્યું કે અરજી કરનાર જે કે ધાનાણીની ઉંમર અત્યારે 58 વર્ષની છે અને તેઓ સેવા નિવૃતિની નજીક છે. એ જ રીતે અરજદાર કે વી વડોદરિયા કે જેમણે ખેતી નિયામકની પરીક્ષા 1997માં આપી હતી અને તેઓ પાસ થયા છે.

ધાનાણી, વડોદરિયા, પી.ડી. વહારિયા અને વી.એ. નંદાણીયાએ ગુજરાત જાહેર સેવા આયોગ સામે અદાલતમાં અરજી કરી હતી કારણ કે ચારેયની વય મર્યાદા 30 વર્ષથી વધુ હોવાના આધારે કૃષિ વિભાગના નાયબ નિયામકની જાહેરાત કરાયેલી જગ્યાઓ માટેની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.

 

મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે તેના એક વચગાળાના આદેશમાં ચારેયને પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી. બેન્ચે કમિશનને એમ પણ કહ્યું હતું કે ચારેય પરીક્ષા એ શરતે આપશે કે તેમના પરિણામો કેસના નિકાલ સુધી રોકી રાખવામાં આવશે. પરંતુ અરજદારોને એવી ખબર નહોતી કે કેસ ચાલવામાં અઢી દાયકા જેટલો સમય જશે.

જ્યારે એવો સવાલ ઉભો થયો કે કેસના પરિણામ દ્વારા શું હેતુ પૂરો થશે અને શું પરીક્ષણ પરિણામ ધરાવતું સીલબંધ કવર ખોલવું જોઈએ? અરજદારના વકીલે કહ્યું કે, અરજદારો એ જાણવા ઉસ્તુક છે કે તેઓ એ પરીક્ષામાં પાસ થયા છે કે નહી.

ધાનાણીને જ્યારે ખબર પડી કે તેઓ પરીક્ષામાં પાસ થયા છે ત્યારે તેમના ચહેરા પર ખુશી આવી હતી, પરંતુ પળવારમાં ગાયબ થઇ ગઇ હતી, કરાણકે  નોકરી તો મળવાની નથી તો પરિણામનો કોઇ મતલબ નથી.

ધાનાણી અને વડોદરિયાના વકીલોએ બંને કોઈ પણ રીતે લાભ મેળવવાને પાત્ર છે કે કેમ તે અંગે ખુલ્લી દલીલો માંગી હતી. કોર્ટે આ અવલોકન સાથે અરજીનો નિકાલ કર્યો હતો કે બે દાયકા પહેલા જાહેરાત કરાયેલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની નિમણૂક હવે કરી શકાતી નથી

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.