ગુજરાતમાં 7 કરોડ લોકો, જાણો અમદાવાદ અને સુરતની વસ્તી કેટલી થવાનો અંદાજ

ભારતની વસતીના પ્રોજેક્ટેડ આંકડા પ્રમાણે દેશમાં 2021ના અંત સુધીમાં વસતી વધીને 140 કરોડ થવાનું અનુમાન છે. જો વસતીની ગતિ આ પ્રમાણે ચાલુ રહી તો યુએનના રિપોર્ટ પ્રમાણે 2025 સુધીમાં ભારત વસતી વધારામાં ચીનને પાછળ રાખી શકે છે. વસતી વધારામાં ગુજરાતનો ક્રમ દેશના ટોપટેન રાજ્યોમાં નવમો આવે છે.

ગુજરાતમાં 2011ના સેસન્સ પ્રમાણે કુલ વસતી 6.04 કરોડ હતી જે 10 વર્ષમાં વધીને સાત કરોડ સુધી પહોંચે તેવું અનુમાન છે. કોરોના સંક્રમણના કારણે છેલ્લા દોઢ વર્ષથી સેન્સસ ઇન્ડિયા દ્વારા વસતી ગણતરીનું કાર્ય અટકી ગયું છે અને હજી નવો કાર્યક્રમ ઘડાયો નથી તેમ છતાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇએઆઇ) ના એસ્ટીમેટ પ્રમાણે 2021ના અંતે વસતી વધારાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આ અનુમાન પ્રમાણે રાજ્યોના વસતી ગ્રોથરેટમાં બિહાર 19.89 ટકા સાથે પ્રથમક્રમે છે. બીજાક્રમે 19.05 ટકા સાથે ઉત્તરપ્રદેશ અને ત્રીજાક્રમે 18.21 ટકા સાથે રાજસ્થાન છે. જો કે ગુજરાતનો ગ્રોથરેટ 5.68 જોવા મળ્યો છે જે સૌથી લોએસ્ટ ગ્રોથરેટના 10 રાજ્યોમાં સૌથી ઓછો છે.

રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે સાક્ષરતા દર (લિટરસી રેટ) માં કેરાલા આજેપણ 96.02 ટકા સાથે ટોચક્રમે છે. દિલ્હીમાં લિટરસી રેટ 88.7 ટકા અને ઉત્તરાખંડમાં 87.7 ટકા જોવા મળે છે. ગુજરાતમા આ રેટ 82.4 ટકા છે, જ્યારે દેશની એવરેજ 77.7 ટકા માલૂમ પડી છે.

વસતીના પ્રોજેક્ટેડ આંકડા પ્રમાણે 2021માં ભારતની વસતી 139.50 કરોડ અંદાજવામાં આવી છે. પ્રતિદિન 65881 બાળકોના જન્મ થાય છે જ્યારે પ્રતિદિન 27873 લોકોના મૃત્યુ થાય છે. દેશમાં એક સેકન્ડે એક બાળકનો જન્મ થાય છે. અનુમાનિત આંકડા પ્રમાણે ભારતની વસતી 2020ના અંતે 138.00 કરોડ હતી.

દેશના મેટ્રોસિટી પૈકી મુંબઇ એક એવું ભરચક શહેર બનશે કે જ્યાં સૌથી વધુ 2.44 કરોડની વસતી હશે. બીજાક્રમે 2.05 કરોડ સાથે દિલ્હી અને 1.42 કરોડ સાથે બેંગલુરૂનો ક્રમ આવી શકે છે. દેશના 10 મેટ્રો શહેરોમાં વસતીના ક્રમાંકમાં અમદાવાદનો ક્રમ પાંચમો અને સુરતનો ક્રમ આઠમો આવશે.

રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે 2022માં ભારતની વસતી 140.66 કરોડ થવાનું અનુમાન છે જે લોકસભાની ચૂંટણીના વર્ષ એટલે કે 2024માં વધીને 143.24 કરોડ થવાની સંભાવના છે. 2021ની પ્રોજેક્ટેડ વસતીમાં ભારતના પ્રમુખ રાજ્યોમાં 23 કરોડ સાથે ઉત્તરપ્રદેશ ટોચક્રમે આવે છે. બીજાક્રમે 12.44 કરોડ સાથે મહારાષ્ટ્રનો ક્મ છે. આ બન્ને રાજ્યો પછી ત્રીજાક્રમે 12.30 કરોડ સાથે બિહાર, 9.8 કરોડ સાથે પશ્ચિમબંગાળ, 8.45 કરોડ સાથે મધ્યપ્રદેશ, 7.65 કરોડ સાથે તામિલનાડુ, 8 કરોડ સાથે રાજસ્થાન, 6.70 કરોડ સાથે કર્ણાટક, 7 કરોડ સાથે ગુજરાત અને 5.27 કરોડ સાથે આંધ્રપ્રદેશ આવે છે. વસતી વધારામાં ગુજરાતનું સ્થાન દેશના ટોપટેન રાજ્યોમાં નવમું બનશે.

દેશના ટોચના 10 મેટ્રો શહેરની વસતી...

મુંબઇમાં --- 2.44 કરોડ

દિલ્હી --- 2.05 કરોડ

બેંગલુરૂ --- 1.42 કરોડ

હૈદરાબાદ --- 1.38 કરોડ

અમદાવાદ --- 1.14 કરોડ

કોલકત્તા --- 1.49 કરોડ

ચેન્નાઇ --- 97.22 લાખ

સુરત --- 75.67 લાખ

પૂના --- 68.53 લાખ

જયપુર --- 40.67 લાખ

 

Related Posts

Top News

'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
Tech and Auto 
'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
World 
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
Gujarat 
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Sports 
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.