CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં ઓનલાઈન મીંટિગ કરવા અને વર્ક ફ્રોમ હોમ અંગે નિર્ણય લેવાયો, તમામ મંત્રીઓને...

15મેના ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના મુદ્દે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં પેટ્રોલ-ડીઝલના વપરાશ અને સરકારી ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરી હતી. જ્યારે મુખ્યમંત્રીએ તમામ વિભાગને ઓનલાઈન મીંટિગ કરવા સૂચના આપી અને વર્ક ફ્રોમ હોમ ચકાસવા નિર્દેશ આપ્યો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને પોતાના વિભાગમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની શક્યતાઓ ચકાસવા માટે પણ આદેશ આપ્યા છે. જ્યાં શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ માધ્યમથી મીટિંગ અને કામગીરી વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાતી બેઠકોમાં હવે સરકારી કર્મચારીઓને બિનજરૂરી બોલાવવામાં નહીં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મંત્રીઓને લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોમાં જવાની મંજૂરી આપી છે, પરંતુ આવા કાર્યક્રમોમાં લાંબા સુરક્ષા કાફલા ન લઈ જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘આવતીકાલથી રાજ્યમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે 300 નવી ST બસો સીધી સેવામાં મૂકવામાં આવશે. કોઈપણ સમારોહ વિના બસોને સીધા સેન્ટર પરથી દોડતી કરવામાં આવશે જેથી સામાન્ય નાગરિકોને વધુ સગવડ મળી શકે.જાહેર પરિવહનનો વધુ ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકારે મેટ્રો સેવા રાત્રે 11:00 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવા જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે. લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમો પણ સાદગીપૂર્ણ રીતે યોજવા સૂચના આપી છે. 

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડીઝલ અને પેટ્રોલ બચાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ કારપૂલિંગ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને રાજ્યની જનતાએ પ્રેમપૂર્વક સ્વીકારી છે અને હવે એકથી વધુ કારના બદલે એક જ કારનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 

harsh-sanghavi1
facebook.com/sanghaviharsh

કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કરેલી અપીલ બાદ ગુજરાત સરકાર પણ સજ્જ બની છે અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો, ઇંધણ બચત અને ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવે સરકારી કામકાજ માટે જરૂરી હોય ત્યારે જ પ્રવાસ કરવામાં આવશે. શક્ય હોય ત્યાં સુધી બેઠકો ઓનલાઈન યોજાશે અને અન્ય રાજ્યોમાં યોજાતી બેઠકોમાં પણ જરૂરી હોય ત્યારે જ હાજરી આપવામાં આવશે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ ટાળવા સૂચનાઓ આપવામાં આવી છે.

વર્ક ફ્રોમ હોમ મુદ્દે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વાઘાણીએ જણાવ્યું કે, હાલ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કરવું જ એવું નથી અને ન કરવું એવું પણ નથી. પરિસ્થિતિ મુજબ સરકાર નિર્ણય લેશે. ટેક્નોલોજીના ઉપયોગમાં વર્ક ફ્રોમ હોમનો પણ સમાવેશ થઈ શકે છે તેવી સંકેતરૂપ સ્પષ્ટતા તેમણે કરી છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને ચીફ સેક્રેટરી કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. નવા શૈક્ષણિક સત્ર પહેલાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે. રાજકીય કાર્યક્રમોની ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દશેલા ખાતે મધુર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ ગાંધીનગરમાં અંદાજે રૂ. 600 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ભાગ લેશે.

કેબિનેટ બેઠક પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના કાફલામાં માત્ર ત્રણ ગાડીઓ સાથે બેઠકમાં પહોંચ્યા હતા. સરકાર દ્વારા મંત્રીઓ માટે પાયલોટિંગ કારની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના અનેક મંત્રીઓ કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને સચિવાલય પહોંચ્યા હતા. પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક સ્કૂટર પર બેઠકમાં પહોંચ્યા હતા. ડૉ. પ્રદ્યુમન વાજા અને સંજયસિંહ મહીડા પણ ઇલેક્ટ્રિક વાહન સાથે કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા.

bhupendra patel
facebook.com/ibhupendrapatel

પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્ય સરકાર ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરમાં ઈવી હવે શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યા છે અને તેઓ પોતે પણ ઇવી તથા સાયકલનો ઉપયોગ કરે છે. આજની કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત, ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ, સરકારી ખર્ચમાં ઘટાડો, વર્ચ્યુઅલ ગવર્નન્સ અને જાહેર પરિવહન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

PM નરેન્દ્ર મોદીની વિદેશ પ્રવાસ ટાળવાની અપીલને માન આપીને, ગુજરાતના સહકાર મંત્રી જીતુ વાઘાણીએ તેમનો આગામી અમેરિકા પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ મે મહિનાના અંતમાં ન્યૂયોર્ક ખાતે UNના મુખ્યાલયમાં આયોજિત વૈશ્વિક સહકારી સંમેલનમાં વિશેષ વક્તા તરીકે હાજરી આપવાના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણનો જરૂર પૂરતો ઉપયોગ કરવા આપવામાં આવેલા સંદેશ બાદ 2 દિવસ પહેલાં ગુજરાત સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર CM અને DyCMને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે, જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા ST બસ અને ટ્રેનમાં કરશે. તો આવો જાણીએ કોન્વોય સિવાય કયા નેતા-મંત્રીઓની કઈ સુવિધાઓમાં ફેરકાર કે ઘટાડો થયો છે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 મેના રોજ વડોદરામાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા અપીલ કરી હતી. સરદાર ધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતં કે,પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું.

 

ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે વિસ્તારમાંથી દુનિયાને ક્રુડ મળે છે તે જ ક્ષેત્રમાં આજે યુદ્ધની સ્થિતિ છે. એટલે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે તમામે મળીને નાના નાના સંકલ્પો કરવા પડશે. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે. મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. જેની પાસે કાર છે તેઓ અન્ય લોકોને સાથે લઈ ચાલે. જરુરી છે કે, સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટીંગ અને વર્કફ્રોમ હોમને પ્રાથમિકતા આપવામાં આવે. હું શાળાને પણ આગ્રહ કરું છું કે, થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસ માટે વ્યવસ્થા કરે.

About The Author

Top News

CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં ઓનલાઈન મીંટિગ કરવા અને વર્ક ફ્રોમ હોમ અંગે નિર્ણય લેવાયો, તમામ મંત્રીઓને...

15મેના ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના...
Gujarat 
CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં ઓનલાઈન મીંટિગ કરવા અને વર્ક ફ્રોમ હોમ અંગે નિર્ણય લેવાયો, તમામ મંત્રીઓને...

રાજકોટમાં 12 મંદિરોનું ડિમોલિશન, સ્થાનિકો લોકો બોલ્યા- કોર્પોરેટરોને મત મળી ગયા તો આજે આરામથી સૂતા છે

રાજકોટમાં 14 મેની મોડીરાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન મવડી મેઈન...
Gujarat 
રાજકોટમાં 12 મંદિરોનું ડિમોલિશન, સ્થાનિકો લોકો બોલ્યા- કોર્પોરેટરોને મત મળી ગયા તો આજે આરામથી સૂતા છે

શું વરઘોડા સાથે ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' પણ બંધ થઇ જશે?

ગુજરાતના ડીજીપીએ એક પરિપત્ર કરીને પોલીસને તાકીદ કરી છે કે રિકસ્ન્ટ્રક્શનના નામે પોલીસ આરોપીઓને જાહેરમાં દોરડા બાંધીને ચલાવે છે તે...
Gujarat 
શું વરઘોડા સાથે ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' પણ બંધ થઇ જશે?

ધાર ભોજશાલા કેસ: હિન્દુ પક્ષની જીત, કોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું, મુસ્લિમો હવે...

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચ દ્વારા શુક્રવારે ધાર ભોજશાલા વિવાદ અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે ચુકાદો સંભળાવતા સ્પષ્ટ કર્યું...
National 
ધાર ભોજશાલા કેસ: હિન્દુ પક્ષની જીત, કોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું, મુસ્લિમો હવે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.