આ રાજ્ય સરકારનો ઓર્ડર, 50થી વધુ ઉંમરના પોલીસકર્મીઓ થશે રિટાયર જો તેઓ...

આ ભાજપા શાસિત રાજ્ય સરકારે પોલીસને સ્વસ્થ રાખવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે આ રાજ્ય પોલીસમાં 50 વર્ષથી વધારે ઉંમરના પોલીસકર્મીઓને રિટાયર કરવામાં આવશે. જેને લઇ સ્ક્રીનિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 30 માર્ચ 2023ના રોજ 50 વર્ષનો આંકડો પાર કરી ચૂકેલા પોલીસકર્મીઓના ટ્રેક રેકોર્ડને જોઇ તેમને અનિવાર્ય સેવા નિવૃત્તિ આપી દેવામાં આવશે. એડીજી સ્થાપના સંજય સિંઘલ દ્વારા દરેક આઈજી રેંજ/ એડીજી ઝોન/ દરેક 7 પોલીસ કમિશ્નરની સાથે સાથે પોલીસના દરેક વિભાગને આ આદેશ મોકલી દેવામાં આવ્યો છે.

ટ્રેક રેકોર્ડના આધારે થશે નિર્ણય

ઉત્તર પ્રદેશની યોગી સરકાર 30 નવેમ્બર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસના ઓફિસરો 50 વર્ષથી વધારે ઉંમરના પોલીસકર્મીઓના ટ્રેક રેકોર્ડ જોયા પછી અનિવાર્ય સેવા નિવૃત્તિ પર નિર્ણય લેશે. આવા પોલીસકર્મીઓની લિસ્ટ હેડક્વાર્ટર મોકલવામાં આવશે. Pacમાં તૈનાત પોલીસકર્મીઓની લિસ્ટ 20 નવેમ્બર સુધીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, રિટાયરમેન્ટની ગાજ એ પોલીસકર્મીઓ પર પણ પડશે જેઓ ભ્રષ્ટ છે. તેમને પહેલા રિટાયર કરવામાં આવશે. આ ઉપરાંત સરકારે પોલીસ વિભાગમાં કામચોર અધિકારી અને કર્મીઓને પણ નોકરીમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. એડીજી સ્થાપનાએ આને લઇ એવા પોલીસકર્મીઓના ટ્રેડ રેકોર્ડ માગ્યા છે જેને લઇ નિર્ણય લઇ શકાય છે.

આવા પોલીસકર્મીઓ કે જેમની સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમનો એન્યુઅલ કોન્ફિડેંશ્યલ રિપોર્ટ(એસીઆર) પણ જોવામાં આવશે. જેમાં પોલીસકર્મીની કાર્યક્ષમતા, ચરિત્ર, યોગ્યતા, મૂલ્યાંકન અને લોકોના પ્રત્યે વ્યવહાર તેમને નોકરીમાં રહેવા કે પછી રિટાયર થવાનો માપદંડ રહેશે.

યોગી સરકારે થોડા દિવસ પહેલા આપેલા સંકેત

જણાવીએ કે, ઉત્તર પ્રદેશ પોલીસમાં કાર્યશૈલીને સુધારવા માટે પાછલા અમુક વર્ષોમાં ઘણાં પોલીસકર્મીઓને યોગી સરકારે જબરદસ્તી સેવા નિવૃત્તિ આપી દીધી છે. પાછલા દિવસોમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, જે ઓફિસરો કે પોલીસકર્મીઓમાં નિર્ણયો લેવાની ક્ષમતા નથી તેમને હટાવીને ચપળ અને કાર્યશીલ ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવશે.

Related Posts

Top News

રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. એક યુવકે મૌર્યને માળા પહેરાવવા દરમિયાન પાછળથી થપ્પડ...
National  Politics 
રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે...
National 
આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

થાણે સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવાના નવ વર્ષ જૂના કેસમાં 52 વર્ષીય વ્યક્તિને એક દિવસની સજા ફટકારી છે....
National 
વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે

ઉત્તર પ્રદેશમાં કૃષિ નવીનતાને વૈશ્વિક માન્યતા આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વિઝન અને મજબૂત ઇચ્છાશક્તિ હવે સાકાર થઈ રહી છે....
National 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.