જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા કલાકાર માયાભાઇના પુત્ર જયરાજ આહીર પર ગંભીર આરોપ લાગ્યા હતા. પરંતુ બગદાણા પોલીસની તપાસમાં આ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો હતો કે આ ઘટનામાં જયરાજ આહીરની સંડોવણી છે. ત્યારબાદ કોળી સમાજમાં નારાજગી વ્યાપી અને કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા. આ બેઠકની ગણતરીની મિનિટોમાં જ નવનીત બાલધિયા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી.

ત્યારબાદ નવનીત બાલધિયા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો. આ તપાસનો રેલો આખરે માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીર સુધી પહોંચ્યો. તેણે SIT સમક્ષ હાજર થવા કહેવામાં આવ્યું હતું. જયરાજ પહેલી વખત SIT સમક્ષ હાજર થયો અને કલાકો સુધી તેની પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ SITએ ફરી એક વખત જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યો અને આ પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને 25 જાન્યુઆરીએ મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને તેને ભાવનગર જિલ્લા જેલમાં ધકેલવા આદેશ કરવામાં આવ્યો હતો.

Jayraj3
facebook.com/JAYRAJAATAAHIR

જો કે આશ્ચર્યની વાત તો એ છે કે, હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં SIT દ્વારા આરોપી જયરાજ આહિરના રિમાન્ડની માંગવામાં આવ્યા નથી. તેમજ જયરાજ આહિરે જામીન અરજી કરી છે, પરંતુ કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ તેને ચૂસ્ત બંદોબસ્ત સાથે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2021થી પુત્ર જયરાજ આહીર તળાજા તાલુકાના યુવા મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો છે.

કોળી સમાજના આગેવાન કિશન મેરે જણાવ્યું કે, નવનીત બાલધિયાના કેસમાં SITએ જયરાજની ધરપકડ કરી મહુવા કોર્ટમાં રજૂ કર્યા ત્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવી નથી, પરંતુ આ કેસ ગંભીર પ્રકારનો હોવાથી અને જયરાજ ભમ્મરની ધરપકડ કરાઈ હોવાથી પોલીસ કસ્ટડીમાં પૂરતા પૂરાવા મળ્યા હોય તો રિમાન્ડની માંગણી ન કરાઈ હોવાથી વાત સાચી છે. પણ SITની ટીમને કોઈ રાજકીય પ્રેશર થકી આ કેસમાં રિમાન્ડની માંગણી ન કરી હોય તેવું પણ બની શકે છે,

Jayraj1
bhaskarenglish.in

જેલમાં જયરાજ આહિરની પહેલી રાત કેવી વીતી હતી? આ અંગે પોલીસ સૂત્રો માહિતી મળી કે, જયરાજ આહીરને ભાવનગર જિલ્લા જેલની જનરલ બેરેક રાખવામાં આવ્યો છે અને હજુ સુધી તેને બેરેક ફાળવવામાં આવી નથી. જયરાજ આહીરના પરિવારજનોએ તેના માટે ગોદડા-પથારી અને ટિફિનની સુવિધા માટે અરજી કરી છે. જેલમાં મળતું ખીચડી, શાક, રોટલીનું ભોજન કર્યું હતું.

ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમાર દ્વારા SITની રચના કરાઇ અને જયરાજની ધરપકડ બાદ ગૌતમ પરમારે માહિતી આપી હતી. જે દરમિયાન તેમને હજુ પણ કેટલીક તપાસ બાકી હોવાનું જણાવ્યું હતું. ત્યારે જયરાજ વિરૂદ્ધ શું SITને પુરતા પુરાવા મળી ગયા છે કે પછી અંદરોઅંદર કઈક રંધાઈ ગયું છે? તેવી વાત લોકોમાં ભારે ચર્ચા થઇ રહી છે.

Jayraj2
gujaratijagran.com

આ અગાઉ SITએ તમામ 8 આરોપીઓ સામે મહુવા કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આમ હત્યાના પ્રયાસ જેવા આ ગુનામાં જયરાજના રિમાન્ડ ન માગવાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

About The Author

Top News

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ...
Gujarat 
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત...
Business 
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.