9 નિર્દોષના જીવ ગયા અને એન્જિનિયર કહે છે- બ્રિજમાં મેજર ડેમેજ નહોતું, પુલ જર્જરિત નથી

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રનો જોડતો 45 વર્ષ જૂનો બ્રિજ આજે તૂટી ગયો, જેમાં 9 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ અંગે જવાબદારી લેવાને બદલે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર એન. એમ. નાયકાવાલા કહે છે- આ બ્રિજ 1985માં બનેલો હતો અને બ્રિજની લાઇફ 100 વર્ષની હોય છે. ગયા વર્ષે માલુમ પડતા કામગીરી કરાઇ હતી અને આ વર્ષે પણ ખાડા પુરાયા હતા. અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું. પુલ જર્જરિત નથી, રિપોર્ટ આવે ત્યારબાદ કારણોની જાણ થશે. મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું હતું કે, આ બ્રિજનું નિયમિત મેન્ટેનન્સ થતું હતું.

03

ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટતા વાહનો નદીમાં ખાબકવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બ્રિજ તૂટતા 4 વાહન મહીસાગર નદીમાં પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા જેમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.

photo_2025-07-09_09-37-06

ઉલ્લેખનીય છે કે આ બ્રિજને સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર તૂટવાને કારણે 2 ટ્રક, એક પિકઅપ વાન સહિત 4 વાહનો મહીસાગર નદીમાં પડી ગયા.  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે.

આ બ્રિજ ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. પરંતુ આજે આ બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે. આ સાથે ટોલ પર પણ લાંબી કતારો લાગે તો નવાઈ નહી.

https://twitter.com/AmitChavdaINC/status/1942780277027201251

તો આ મામલે કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને તાત્કાલિક ધોરણે રેસક્યું કરવાની હાકલ કરી છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર આ અંગે પોસ્ટ કરતા લખ્યું કે, આણંદ  અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.