ગંભીરા દુર્ઘટનામાં 18 મોતના ગુનેગારો કોણ? ફક્ત આ અહેવાલ વાંચી લો

વડોદરા નજીક આવેલો 40 વર્ષ જૂનો ગામભીરા પુલ ભાંગી પડતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. આ પુલને 2021થી સતત અસુરક્ષિત ગણાવામાં આવતો હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં લેવાયા નહોતા. હવે મોતો પછી ઇજનેરોને સસ્પેંડ કરવાના પગલા લેવાયા છે. પરંતુ ખરેખર તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાના હતા. અહીં આપણે એ તપાસવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર ગુનેગારો કોણ છે. અમે જુદા જુદા પ્રતિષ્ઠિત અખબારોએ લખેલા ઇન્વેસ્ટિગેટિવ અહેવાલો પરથી એક તાળો કાઢવાનો પ્રયાસ કર્યો છે કે કોના પાપે લોકોના મોત થયા.   

04

The Indian Express-લોકોએ 3 વર્ષ પહેલા જ આગાહી કરી હતી 

1. The Indian Express અનુસાર, 2022માં સ્થાનિક પંચાયતો દ્વારા તાત્કાલિક કાર્યવાહી માટે લેખિતમાં તાકીદ કરવામાં આવી હતી. પુલની તૂટેલી દિવાલો અને ધ્રૂજતો હોવાથી  તેને "સ્યુસાઇડ પોઈન્ટ" તરીકે ગણાવાયું હતું. છતાં તત્ર દ્વારા કોઇ પગલા લેવાયા ન હતા. 

Times of India-ટેક્નિકલ લોકોએ પુલના જોખમી જાહેર કર્યો હતો 

2. Times of Indiaએ જણાવ્યા મુજબ, એક ટેકનિકલ રિપોર્ટમાં પુલને "ઉપયોગ માટે અયોગ્ય" જાહેર કર્યો હતો, પણ તે રિપોર્ટ તંત્રે દબાવી દીધો હતો.

03

Ahmedabad Mirror- મજબૂતી 30થી 35 ટકા જ રહી ગઇ હતી

3. Ahmedabad Mirror મુજબ, પુલની માળખાકીય મજબૂતી માત્ર 30%થી 35% જ રહી ગઈ હતી. 2020ના પૂર પછી તેના પાયાઓની જમીન પણ ધોવાઈ ગઈ હતી. આ પછી 2023માં  રિપેર વર્ક કરાયું પરંતુ તે માત્ર દેખાવ પુરતું હતું. માત્ર પેરાપેટ અને રીસરફેસિંગ કરીને લોકોને મૂર્ખ બનાવાયા હતા. 
નિયમ મુજબ દર વર્ષે ચોમાસા પહેલા તમામ બ્રિજોનું સેફ્ટી ચેક કરવાનું હોય છે. પરંતુ આ બ્રિજ મામલે છેલ્લા 10 વર્ષથી ગંભીરતાપૂર્વક સેફ્ટી ચેક કરાયુ ન હતું તેવું અહેવાલો જણાવે છે. હવે તમે પોતે જ નક્કી કરી શકો છો કે લોકોના મોતના જવાબદારો કોણ છે.

01

હવે આ બધા રિપોર્ટ પરથી એ તો નક્કી થઇ જ જાય છે કે છેલ્લા 2 થી 3 વર્ષથી આ બ્રિજ જોખમી હોવા અંગે સામાન્ય લોકોથી લઇને એક્સપર્ટે પણ સ્પષ્ટ કરી દીધું હતું પરંતુ આંધળા અને બહેરા તંત્રને તે દેખાયું ન હતું. હવે 18 મોત પછી તેના ઉપર લિપાપોતી કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. જેટલા લોકોને સસ્પેંડ કર્યા છે તે 5થી 6 મહિના પછી પાછા નોકરીએ આવી જશે. માત્ર 18 લોકોના પરિવારો માટે જ જીવનભર આ એક ડરામણુ સપનું બની રહેશે.

About The Author

Related Posts

Top News

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ

દિલ્હીના બૂરાડીમાં રહેતા એક પરિવાર પર ત્યારે દુઃખોનો પહાડ તૂટી પડ્યો, જ્યારે તેમની 10 વર્ષની પુત્રીનું મગજે લગભગ કામ...
National 
મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.