અહેેમદ પટેલ સુપુર્દ-એ-ખાક, અંતિમ યાત્રામાં જામી મોટી ભીડ, જુઓ ફોટો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ તેમના વતન પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં માતા-પિતાની કબરની બાજુમાં જ કરવામાં આવી હતી. અહેમદ પટેલનું નિધન ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં થયું હતું અને ત્યાંથી તેમના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેનના મારફતે વડોદરાના એરપોર્ટ પર લાવવમાં આવ્યો હતો. પીરામણ ગામથી કબ્રસ્તાન સુધી અહેમદ પટેલની અંતિમ યાત્રામાં મોટી ભીડ જોવા મળી હતી.

વડોદરાના એરપોર્ટ પરથી અહેમદ પટેલના પાર્થિવ દેહને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાંથી અહેમદ પટેલમાં પાર્થિવ દેહને દફનવિધિ કરવા માટે પિરામણમાં લઇ જવામાં આવ્યો હતો.

પિરામણમાં અહેમદ પટેલનો પાર્થિવ દેહ પહોંચ્યા પછી સુન્ની વ્હોરા જમાતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલન પાર્થિવદેહની દફનવિધિની તૈયારી કરવામાં આવી હતી. જનાજાની નમાજ અદા કર્યા પછી અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતો અને રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી.

અહેમદ પટેલની દફનવિધિ સમયે ક્બ્રસ્તાનની બહાર હજારો લોકો એકઠા થયા હતા. જો કે, કબ્રસ્તાનમાં 50 લોકોને જ પ્રવેશાની મંજૂરી હોવાના કારણે કબ્રસ્તાનની બહાર એકઠા થયેલા લોકો અંતિમ દર્શન માટે કબ્રસ્તાનની અંદર જઈ શક્યા ન હોતા.

અહેમદ પટેલની શ્રદ્ધાંજલિ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પુષ્પગુચ્છ મોકલવામાં આવ્યો હતો. અહેમદ પટેલની દફનવિધિ દરમિયાન કબ્રસ્તાનની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હોવાના કારણે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.

પિરામણની જે ગલીઓમાંથી અહેમદ પટેલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પરંતુ લોકોએ શિસ્તબદ્ધ રીતે લાઈન લગાવી હતી. આ ઉપરાંત કેટલીક જગ્યા પર અંતિમયાત્રામાં લોકો ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા.

અહેમદ પટેલની અંતિમની યાત્રામાં લોકો સામાજિક અંતરના ભાન ભૂલ્યા હતા તો કેટલાક લોકો માસ્ક વગરના પણ જોવા મળ્યા હતા.

અહેમદ પટેલની અંતિમયાત્રામાં જોડાવવા માટે શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર, મધુસુદન મિસ્ત્રી અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહીતના દિગ્ગજ નેતાઓ પિરામણ ગામમાં પહોંચ્યા હતા. 

About The Author

Related Posts

Top News

ગાય 7 દિવસથી કરી રહી છે ખેતરની પરિક્રમા, લોકોએ ગણ્યો ચમત્કાર... આઠમા દિવસે ખૂલ્યું રહસ્ય

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના બસભરિયા પુરૈના ગામમાં ગાયનું અસામાન્ય વર્તન એક અઠવાડિયા સુધી ચર્ચાનો વિષય રહ્યું. ગાય સાત દિવસ સુધી...
National 
ગાય 7 દિવસથી કરી રહી છે ખેતરની પરિક્રમા, લોકોએ ગણ્યો ચમત્કાર... આઠમા દિવસે ખૂલ્યું રહસ્ય

ગુજરાતના લોકો ટેસ્ટ આપ્યા વિના જ આ રાજ્યમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી રહ્યા છે

ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં ઓનલાઇન સિસ્ટમ હોવાથી વાહનચાલકોને લાયસન્સ માટે ભારે પરેશાની ઉઠાવવી પડે છે. છેલ્લાં ઘણા સમયથી ગુજરાતના કેટલાક...
Gujarat 
ગુજરાતના લોકો ટેસ્ટ આપ્યા વિના જ આ રાજ્યમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી રહ્યા છે

5000 કરોડ રૂપિયાના દવા કૌભાંડમાં IPSએ 3 કરોડ અને ઇન્સ્પેક્ટરે 1 કરોડ રૂપિયા માંગ્યા

હરિયાણા કેડરના એક IPS અધિકારી પર 3 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. આરોપ છે કે, આરોપીઓને CBI તપાસમાં રાહત...
National 
5000 કરોડ રૂપિયાના દવા કૌભાંડમાં IPSએ 3 કરોડ અને ઇન્સ્પેક્ટરે 1 કરોડ રૂપિયા માંગ્યા

એક એવો મુદ્દો જેના માટે તેલંગાણાના CM રેડ્ડીએ PM મોદીની મદદ માંગી

તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ ગુરુવારે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને રાજ્યને લગતા અનેક પડતર વિકાસ પ્રોજેક્ટ્સ અને માળખાગત...
National 
એક એવો મુદ્દો જેના માટે તેલંગાણાના CM રેડ્ડીએ PM મોદીની મદદ માંગી
Copyright (c) Khabarchhe All Rights Reserved.