મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાઃ આરોપી ઓરેવાના માલિક જયસુખને સપોર્ટ કરતા પોસ્ટર વાયરલ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદથી ભાગતા ફરતા આરોપી જયસુખ પટેલે મંગળવારે કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું. ત્યારબાદ પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે તેને રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. મોરબીમાં ઝુલતા પુલના રિપેરિંગમાં બેદરકારી રાખીને ખુલ્લો મૂકી દેવાતા ગયા વર્ષે 135 લોકોના મોત થઇ ગયા હતા. પોલીસની ચાર્જશીટમાં પણ 10માં આરોપી તરીકે ઓરેવા કંપનીના માલિક અને પુલનો કોન્ટ્રાક્ટ લેનારા જયસુખ પટેલના સપોર્ટમાં સોશિયલ મીડિયામાં અભિયાન ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં હાલ કેટલાક પોસ્ટરો વાયરલ થઇ રહ્યા છે. જેમાં લખ્યું છે કે, ‘ઓ.આર. પટેલ જેમને મોરબીના ભમાષા તરીકે ઓળખવામાં આવે છે, તેમના પરિવારની વિચારધારા હંમેશાં સેવાની રહી છે. તેમના દીકરા જયસુખ પટેલનો સામાજિક પ્રવૃત્તિમાં સિંહફાળો રહ્યો છે. આવા ઉચ્ચતમ વિચારોવાળા 10-15 રૂપિયાની ટિકિટમાં કોઇ દિવસ ખોટું ના કરે. બાકી તો અકસ્માત તો હજારો થાય જ છે. તેનું દુઃખ સમાજના દરેક લોકોને છે. આવો સાથે મળીને જયસુખભાઇને સપોર્ટ કરીએ. આવા લખાણ સાથે જે તે વ્યક્તિનો ફોટો અને તેની નીચે હું મોરબીના સમાજ સેવક સાથે છું તેવું લખાણ છે.’

આ સાથે એક https://eventselfie.in/home/Jaysukh_patel નામની લિંક પણ વાયરલ થઇ રહી છે. જેના પર જઇને લોકો પોતાના ફોટો સાથે જયસુખ પટેલના સપોર્ટમાં આવા પોસ્ટરો બનાવી રહ્યા છે. એક બાજુ પોલીસે ચાર્જશીટમાં જયસુખ પટેલ પર ગંભીર આરોપો લગાવ્યા છે ત્યારે કેટલાક લોકો ખુલીને તેમના સમર્થનમાં આવીને બચાવ કરી રહ્યા છે. પોલીસ દ્વારા જયસુખ પટેલના રિમાન્ડની માગ કરી હતી અને સરકારી વકીલ સંજય વોરાએ ધારદાર દલીલ કરી હતી કે, જાન્યુઆરી 2020માં ઓરેવા કંપનીએ કલેક્ટરને એક લેટર લખીને કહ્યું હતું કે, આ પુલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે તેમ છે.

ત્યારબાદ કોઇ પત્ર વ્યવહાર થયો અને કોન્ટ્રાક્ટ રિન્યૂ થયો ન હોવા છતા ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સનું કામ ચાલુ રાખ્યું હતું. ઓરેવા કંપનીને ખબર જ હતી કે તે અકસ્માતમાં ગમે ત્યારે તૂટી જાય તેમ છે. છતા પણ જે મુખ્ય કેબલ બદલવાની જરૂર હતી એ કેબલ તાર બદલ્યા વિના નાના-નાના કોસ્મેટિક બદલાવ કરીને મેન્ટેનન્સનું કામ પુરૂ કરી દીધું હતું. તેનો અર્થ એવો થાય છે કે ભૂકંપમાં મકાન આખું હાલી ગયું હોય. તેની દીવાલો, સિલિંગ અને ફ્લોર સરખી કરવાની હતી ત્યારે તેમણે લાદી સરખી કરી એના જેવી વાત હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.