સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો ત્યારે 90 કરોડના જમીન કેસમાં વસંત ગજેરા સામે ગુનો

On

સુપ્રીમ કોર્ટના આદેશ પછી આખરે સુરતની પાલ વિસ્તારની કરોડો રૂપિયાની જમીનના કેસમાં જાણીતા ડાયમંડ કિંગ અને બિલ્ડર વસંત ગજેરા સહિત 5ની સામે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે છેતરપિંડી અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો લગાવી છે.

આ કેસની વિગત એવી છે કે સુરતના પાલ વિસ્તારમાં મહેસાણામાં રહેતા 82 વર્ષના મહિલા લક્ષ્મીબેન સુરતીના નામથી બે વડીલોર્પાજિત જમીન છે. વર્ષ 2012માં આ જમીનનો સોદો દલાલ મારફતે આદિત્ય હડકીયા અને તેના હીરાલાલ હડકીયાએ 90 લાખ રૂપિયામાં કર્યો હતો. તે વખતે 8 વારસદારોને 11-11 હજાર રૂપિયા રોકડા અને બાકીની રકમ હપ્તાથી આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ આદિત્ય હડકીયા ખેડુતોના નામની બોગસ સહી કરીને આ જમીન વસંત ગજેરા, બકુલ ગજેરા, ધર્મેશ હપાણી અને હીરાલાલ હડકીયાના નામે કરી દીધી હતી. આજે જમીનનની વેલ્યૂ લગભગ 90 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.

લક્ષ્મીબેન સુરતીએ વર્ષ 2018માં અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે આ કેસમાં કશું કર્યું નહોતું. એટલે લક્ષ્મીબેન સુરતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે ગુનો નોંધવાનો આદેશ કરતા પાલ પોલીસે આદિત્ય હડકીયા, હીરાલાલ હડકીયા, વસંત ગજેરા, બકુલ ગજેરા અને ધર્મેશ હપાણી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ પાંચેયની સામે IPCની કલમ 467, 471, 420 લગાવી છે.

આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી એમ. ડી. ઉપાધ્યાયએ કહ્યું હતું કે, પરમ દિવસે રાત્રે આ ગુનો નોંધવામાં આવ્યો છે. બધા દસ્તાવેજો તપાસવામાં આવશે અને એ પછી પગલાં લેવામાં આવશે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.