ભાજપમાં બધું સમુસુથરુ નથી,ગુજરાતમાં વધુ એક પ્રદેશ નેતાનું રાજીનામું

લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપમાં છેલ્લાં કેટલાંક સમયથી જે આંતર કલહ ઉભો થયો છે તે હજુ થાળે પડ્યો હોય તેવું લાગતું નથી. ગુજરાતમાં ડેમેજ કંટ્રોલ વચ્ચે વધુ એક પ્રદેશ નેતાના રાજીનામાને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આનો મતલબ એ થાય છે કે ભાજપમાં હજુ બધુ સમુસુથરું નથી. જો કે આ પ્રદેશ નેતાનું રાજીનામું હજુ સ્વીકારાયું ન હોવાનું જાણવા મળ્યું છે.

શિસ્તની પાર્ટી ગણાતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક બેઠકો મેળવનાર અને છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરનાર ભાજપમાં અત્યારે આતંરિક ડખો વધી ગયો છે. હજુ થોડા સમય પગેલા પ્રદિપ સિંહ વાઘેલા અને ભાર્ગભ ભટ્ટ જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામા પછી હવે મહેસાણાના નેતા પંકજ ચૌધરીએ રાજીનામું આપી દીધું છે.

પંકજ ચૌધરી પ્રદેશ સંગઠનમાં મહામંત્રી અને સાથે યુવા મોર્ચાના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા હતા. જો કે પંકજ ચૌધરીનું કહેવું છે કે તેમણે તો દોઢેક મહિના પહેલાં જ પારિવારિક કારણોસર રાજીનામું આપી દીધું છે.

ભાજપના સૂત્રોના કહેવા મુજબ પંકજ ચૌધરીનું રાજીનામું હજુ સ્વીકારવામાં આવ્યું નથી. જો કે બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૌધરી પાસે રાજીનામું માંગી લેવામાં આવ્યું છે.

સવાલ એ છે કે શિસ્તની પાર્ટી અને સૌનો સાથ સૌનો વિકાસનું ચિત્ર બતાવનારી ભાજપમાં એવું તે શું થયું છે કે ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. હજુ થોડા સમય પહેલા ભાજપમાં પત્રિકા કાંડ ગાજયું હતું અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે ગંભીર આરોપો કરતી પત્રિકાઓ ફરતી થઇ હતી. પત્રિકા કાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે કેટલાંક લોકોની ધરપકડ પણ કરી છે અને ભાજપના મોટા ચહેરાઓ પણ ખુલ્લાં પડી ગયા હતા, પરંતુ થોડા સમય પછી બધું શાંત પડી ગયું.

એ પછી જામનગરામાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક ટપાટપીનો ઇશ્યૂ ઉભો થયો. જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે બીજા દિવસે આ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો.

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા સી આર પાટીલના નજીકના નેતા ગણાતા હતા, પરંતુ પ્રત્રિકા કાંડમાં તેમનો ભોગ લેવાઇ ગયો હતો. એ પછી વડોદરના ભાર્ગવ ભટ્ટે પણ રાજીનામું આપ્યું હતું.

About The Author

Top News

120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા...
Business 
120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ;  પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.