અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા, જુઓ 8 તસવીરો

ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા છે. આ બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. સુરતની વરાછા સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડનાર અલ્પેશ કથીરિયાએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ ઉપરાંત ઓલપાડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર ધાર્મિક માલવ્યા પણ લગ્નગ્રંથીથી જોડાયા છે. અલ્પેશ કથીરિયા કાવ્યા પટેલ સાથે 7 ફેરા લઇને નવા જીવનની શરૂઆત કરી છે.

એ ઉપરાંત ઓલપાડ વિધાનસભાની સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડનારા ધાર્મિક માલવ્યા પણ લગ્નગ્રંથિથી જોડાયા છે. આ દરમિયાન અલ્પેશ કથીરિયાની પીઠી વિધિની તસવીર સામે આવી છે. તો ધાર્મિક મલવીયાએ મોનાલી હિરપરા સાથે નવા જીવનની શરૂઆત કરી છે.

પાટીદાર આંદોલનથી લાઇમલાઇટમાં આવનાર અલ્પેશ કથીરિયા વ્યવસાયે વકીલ છે અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. અલ્પેશ કથીરિયાએ ભાજપના પૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા છે.

અલ્પેશ કથીરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. પાટીદાર વિસ્તારોમાં પાસ અનામત આંદોલન સમિતિ બાદ અલ્પેશ કથીરિયાની રાજકીય સફર શરૂ થઇ છે. એક વર્ષ પહેલા અલ્પેશ કથીરિયાએ ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે સગાઇ કરી હતી.

અલ્પેશ કથીરિયાએ ભાજપના નેતા સાથે સગાઇ કરતા લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.

ધાર્મિક માલવ્યાના લગ્ન કોર્પોરેટર મોનાલી હિરપરા સાથે સૌરાષ્ટ્ર પટેલ સમૂહ લગ્નમાં થયા છે પોતાના લગ્નની આમંત્રણ પત્રિકામાં સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ધાર્મિક એ આ અંગે જણાવ્યું હતું કે હાલના સમયમાં યુવાનો વ્યસન કરતા કરતા ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે.

લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃતિનો અભાવ છે, ઓનલાઇન પ્લેટફોમના બેફામ ઉપયોગ થકી ઘણા લોકો સાઇબર ક્રાઇમ નો ભોગ બને છે. મોટાભાગના ગુના પોલીસના ચોપડે નોંધાતા નથી.

સાઇબર ક્રાઇમથી બચવા શું કરી શકાય, આવા સમાજ જાગૃતિના ઘણાં મુદ્દાની સાથે‘ હતાશ થવું નહીં નિરાશ થવું નહીં ’ વગેરે પ્રોત્સાહિત વાક્યો લગ્નની કંકોત્રીમાં લખ્યા છે. સરકારની ગાઇડલાઇન શું છે વગેરે બાબતને ખૂબ જ ડિટેલમાં સમજાવતી બધી જ વિગતો કંકોત્રીમાં છાપવામાં આવી હતી.

કંકોત્રીમાં ટ્રાફિક જાગૃતિ વિશે પણ મેસેજ આપ્યો હતો. ટૂંકો રસ્તો ટૂંકો જીવન રોંગ સાઇડ વાહન ચલાવવું જોખમી છે. વગેરે વાક્યોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. લગ્ન કંકોત્રીના માધ્યમથી દરેક ઘરમાં આવા જાગૃતિના મેસેજ પહોંચડવાનો પ્રયાસ કરાયો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.