અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતીઓ, આગામી 36 કલાક કાળજી રાખજો, ભારે વરસાદ પડશે

જો હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ફરી એકવાર  વરસાદની આગાહી કરીને ગુજરાતના લોકોની ચિંતા વધારી દીધી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 36 કલાકમાં  દેમાર વરસાદ પડી શકે છે, એટલે આટલો સમય ખાસ કાળજી રાખજો, તેમણે કહ્યું કે જુલાઇ મહિનામાં લો પ્રેસર અને ડિપ્રેશનની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસું દર વખતની સરખામણીએ આ વખતે મોડું શરૂ થયું હતું, પરંતુ 25 જૂન પછી વરસાદ એકધારો વરસી રહ્યો છે અને જેને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યુ કે હજુ 12 જુલાઇ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે.તેમાં પણ 10 તારીખે મેઘરાજાની વધારે તોફાની બેટીંગ રહેવાની આશંકા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. તેમણે આગાહી કરતા કહ્યું છે કે 10 જૂને દ્વારકા, પોરબંદર,જૂનાગઞ, પોરબંદર, વેરાવળ, અમરેલી, ભાવનગર જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે વરસાદનું વહન પશ્ચિમ ઘાટને તરબોળ કરી શકે છે. તેમણે કહ્યું કે 10 જૂને ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગો, પંચમહાલના પણ કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યુ કે, 15 જુલાઇએ બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઉભુ થશે જે ઉત્તર અને પૂર્વ ભારતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ લાવશે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. 15 જૂન અને તે પછી 17થી 20 જૂલાઇ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મેહુલિયાનું આગમન ચાલું રહેશે.

હવામાનના જાણકાર પટેલે આગળ કહ્યું કે, 20 મી પછી ચોમાસાનું જે વહન આવી રહ્યું છે, તે ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે. ગંગા-જમુનાની સપાટીમાં પણ વધારો થશે. તેમણે કહ્યું કે, ઉત્તર ભારતની નદીઓમાં પૂર આવી શકે છે, એટલે  20મી તારીખનું લો પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાઇ જાય તો નવાઇ નહીં.

અંબાલાલ પટેલની આગાહી છે કે, આગામી 36 કલાકમાં બનાસકાંઠા, પાલનપુર, રાંધનપુર, કાંકરેજ,થરાદ, મહેસાણામાં ભારે વરસાદ પડશે.બનાસકાંઠાની નદીઓમાં પૂર આવી શકે છે. આગામી 48 કલાકમાં સાવલી, વડોદરા,જંબુસર, અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યુ કે, 9-10 તારીખ પછી ચોમાસાનું વહન ઘટશે, પરંતુ આગામી 36 કલાક ખાસ કાળજી રાખવી પડશે.

જો કે અંબાલાલ પટેલે રાહત આપનારી વાત એ પણ કરી છે કે બેક ટૂ બેક લો પ્રેશર બની રહ્યું છે જે ગુજરાત માટે સારું ચોમાસું લઇને આવશે.

About The Author

Top News

2027ની પંજાબ ચૂંટણીને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

શિરોમણી અકાલી દળ (SAD) સાથે સમાધાન અંગેની અટકળોનો અંત લાવતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જાહેરાત કરી...
Politics 
2027ની પંજાબ ચૂંટણીને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના...
Opinion 
દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

એક ખૂબ પ્રખ્યાત ફિલ્મી ડાયલોગ છે- ‘કાનૂન કે હાથ બડે લાંબે હોતે હૈ...’ એટલે કે ભલે ગમે તેટલી...
Gujarat 
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

અભિનેતા અને કાર શોખીન અજિત કુમારે મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની ડિલિવરી લઇ લીધી છે. મહિન્દ્રાએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ...
Tech and Auto 
સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

Opinion

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ
(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના જીવનમાં અભિન્ન રીતે...
PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?
કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે
એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.