અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, બપોરે અકળાવી મૂકે તેવો આકરો તડકો અને રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે. હાલમાં તો કાળઝાળની ગરમી પડી રહી છે. લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો બીજી તરફ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાંનો સહારો પણ લઈ રહ્યા છે. આ બધા વચ્ચે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આ વર્ષે વરસાદ વહેલો આવશે તેવી આગાહી કરી છે.

ambalal-patel1
gujarati.news18.com

તેમણે ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે તેને લઈ આગાહી કરતા કહ્યું હતું કે, ગુજરાત ચોમાસુ સામાન્ય કરતા વધારે રહેશે. રાજ્યમાં આ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ પડશે, તો આ વર્ષે વરસાદ વહેલો આવે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રોહિણી નક્ષત્રમાં મે મહિનાની 25 તારીખથી જૂનની 4 તારીખ વચ્ચે ગુજરાતમાં વરસાદનું આગમન થઇ શકે છે. તો આ વર્ષે વરસાદ સાથે ગાજ-વીજ અને પવનનું જોર વધારે રહેશે.

અંબાલાલ પટેલે વરસાદી ઋતુ ક્યારથી બેસી જશે તેની આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની 18 તારીખથી લઈને મેની 25 તારીખ વચ્ચે અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસુ બેસી જશે. આ સાથે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે તો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું ઉદ્વભાવિ શકે છે. 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે.

Rain
india.com

ચોમાસાના વરસાદ અંગે વાત કરીએ તો ચોમાસું વર્ષ 2005-06 જેવું રહેશે. પરંતુ ગરમી વધારે પડી રહી છે, એટલે ચોમાસું 1997 જેવું રહી શકે છે. ચોમાસું નબળું નહીં રહે. આમ છતા પાછોતરો વરસાદ થોડો વધારે પડવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ખતરનાક વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. અરબ સાગરમાં પણ 10 મેથી 15 જૂન વચ્ચે એક ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે, જે 4-5 જૂદા જૂદા માર્ગે જઈ શકે છે. આ વખતે વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે.

About The Author

Top News

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.