અનાર પટેલ બન્યા ખોડલધામ સંગઠનના અધ્યક્ષ, કહ્યું- પટેલોને એકજૂથ કરવા મુશ્કેલ પણ નરેશભાઈ...

કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે 9 વર્ષ પૂર્ણ થયા. આ અવસર પર ખોડલધામ ખાતે હાલ વર્ષ 2026 કન્વિનર મીટનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. 2026 કન્વિનર મીટમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ખોડલધામ ખાતે યોજાયેલી 'કન્વિનર મીટ 2026' દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય ગલિયારામાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે.

અનાર પટેલના નામની જાહેરાત કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, ‘સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. કન્વિનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ નિર્ણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.

Anar-Patel
gujarati.news18.com

નરેશ પટેલે જણાવ્યું હતું કે, ‘પ્રોટોકોલ તોડીને નિર્ણય લેવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. ખોડલધામના કુલ 11 ઝોન છે ગુજરાતમાં, જે પૈકી અમદાવાદ ઝોનમાં 3 અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરષોત્તમભાઈ ઢેબરિયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે. આ જ રીતે અમરેલી કે જે લેઉવા પાટીદાર સમાજનું પાટનગર છે, અમરેલી જિલ્લાના ઝોન અધ્યક્ષ તરીકે બાવકુભાઇ ઊંઘાળની નિમણૂક કરવામાં આવી છે.

આ કાર્યક્રમ દરમિયાન ખોડલધામ સંગઠનના નવનિયુક્ત અધ્યક્ષ અનાર પટેલે પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું. આ અવસર પર તેમણે કહ્યું હતું કે, ‘નરેશભાઈ પટેલનો વિશ્વાસ હું ક્યારેય ડગમગવા નહીં દઉં. મને મળેલું પદ કોઈ સામાન્ય પદ નથી, પરંતુ એક મોટી જવાબદારી છે, જે બાબતનું પૂરું ભાન તેમને છે. નરેશભાઈ પટેલે ‘મા ખોડલની ભક્તિ અને એકતાની શક્તિ’ના સૂત્ર સાથે ખોડલધામની સ્થાપના કરી છે અને આ સંસ્થાએ સમાજને એકજૂથ કરવાનો સંદેશ આપ્યો છે.

Anar-Patel1
gujarati.news18.com

અનાર પટેલે સ્ટેજ પરથી વધુમાં કહ્યું કે, ‘આપણી પાસે શક્તિ છે, સંપત્તિ છે, પટેલ સમાજ પાસે શું નથી? પરંતુ સાચી તાકાત એકતામાં છે. જેથી આપણે સંગઠિત રહેશું તો જ ઇતિહાસ રચી શકીશું. અનાર પટેલે નરેશ પટેલના શબ્દોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય છે, પરંતુ પટેલોને એકજૂથ કરવું મુશ્કેલ છે. છતા પણ નરેશભાઈ પટેલે પટેલ સમાજને એકત્રિત કરીને બતાવ્યું છે, જે તેમની નેતૃત્વ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.

અનાર પટેલે કહ્યું કે, ‘મતભેદ ચાલી શકે, ચર્ચા-વિવાદ પણ થઈ શકે, પરંતુ મનભેદ ક્યારેય ન હોવા જોઈએ. આંતરિક વિખવાદ સમાજને નબળો બનાવે છે. વૃદ્ધ માતા-પિતાની સંભાળ બાબતે તેમણે ભાવુક અપીલ કરતા કહ્યું કે, ‘પટેલ સમાજના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં જવા ન પડે તે આપણી સૌની સંયુક્ત જવાબદારી છે. અંતે અનાર પટેલે કહ્યું કે, ‘નરેશ પટેલને ટેકો આપીએ, ટીકા નહીં. તેમણે સમાજને એકતાની દિશામાં આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું.

About The Author

Top News

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ...
Gujarat 
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત...
Business 
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેરમેન સી.એસ. સેટ્ટીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં એક મોટું નિવેદન...
Business 
SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.