ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. એવી જ રીતે ભાવનગરના હીરા ઉદ્યોગની પણ પરિસ્થિતી દયનીય બની છે. અહીં હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ યથાવત જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત દિવાળી બાદ કેટલાય કારખાના ખૂલ્યા જ નથી અને સ્ટાફને પણ છૂટો કરવાની નોબત આવી છે.

દિવાળીની રજાઓ બાદ હીરા ઉદ્યોગમાં લાભ પંચમના શુભમુહૂર્તે અથવા સામાન્ય રીતે અગિયારસથી કામકાજ શરૂ જાય છે, પરંતુ આ વર્ષે મંદીનો માહોલ યથાવત્ છે. હાલમાં હીરા બજારોમાં મંદી છે. દિવાળી બાદ જે કારખાનાઓ અને હીરા ઓફિસો શરૂ થઈ જવી જોઈએ, તે શરૂ થઇ નથી. ભારે મંદીને કારણે આ યુનિટો હજુ પૂરી રીતે રીતે કાર્યરત થયા નથી. હાલમાં માત્ર 10-20 ટકા હીરા ઓફિસો અને જિલ્લામાં 30-35 ટકા હીરાના કારખાનાઓ જ ખુલ્યા છે.

diamond1
theneweconomy.com

દિવાળી બાદ સામાન્ય રીતે અગિયારસના શુભમુહૂર્તે હીરા ઉદ્યોગ ફરીથી રાબેતા મુજબ કાર્યરત થઇ જતા હોય છે, પરંતુ આ વર્ષે ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગને મંદીનો માર પડ્યો છે. શહેરમાં સ્થિત લગભગ 3000-4000 હીરાની ઓફિસો અને કારખાનાઓમાં લગભગ 1.5-2 લાખ જેટલા લોકો રોજગાર મેળવે છે છતાં હાલ મોટાભાગના યુનિટો બંધ છે. છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકાના ટેરિફના પ્રભાવને કારણે ઉદ્યોગ પર ભારે અસર જોવા મળી રહી છે. દિવાળી બાદ હીરા બજારોમાં ફરી ચહલપહલ જોવા મળે તેવી સંભાવના હતી, પરંતુ આવું થયું નથી.

ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ જણાવ્યું હતું કે, ‘હીરામાં છેલ્લા 2-3 વર્ષથી મંદીનો માહોલ છે. એના હિસાબે દિવાળી બાદ પાંચમ અને અગિયારશે મુહૂર્ત થઈ બજારો અને ઓફિસો કારખાના રાબેતા મુજબ થવા જોઈ તે હજુ શરૂ થયા નથી. કારણ કે એમાં ટેરિફ અને રશિયા-યુક્રેન યુદ્ધની અસર બજારો પર જોવા મળી રહી છે. આજે પૂનમ બાદ કેટલાય દિવસ થઈ ગયા છટ હજી 10% ઓફિસો કાર્યરત થઈ છે અને જિલ્લામાં 2-3 હજાર હીરાના કારખાનાઓ છે. એમાંથી 30-35% કારખાનાઓ જ શરૂ થયા હશે.

diamond2
indiatoday.in

આ અંગે હીરાના વેપારી ભરત ભાયાણીએ જણાવ્યું હતું કે, ‘માર્કેટમાં એવું છે કે છેલ્લા 3 વર્ષથી પહેલા રશિયા યુક્રેન યુદ્ધ બાદ ઇઝરાયેલવાળું યુદ્ધ શરૂ થયું. એમાંથી માર્કેટ થોડું ઉગરતું અને બહાર આવતું હતું તથા અમેરિકાવાળાએ ટેરિફવાળું શરૂ કર્યું, જેએસના કારણે માર્કેટ સાવ ઊભું રહી ગયું છે. હું પણ મેન્યુફેક્ચર છું. મેં પોતે મારા યુનિટ હજુ શરૂ કર્યા નથી. મારો પ્લાન એવો છે કે હું 50%ના સ્ટાફથી શરૂ કરી શકીશ. દિવાળી પછી એવું મારું આયોજન છે પૂરેપૂરી રોજગારી આપવાની અમે મહેનત કરીએ છીએ પરંતુ માર્કેટમાંથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ થતો નથી.

હીરાના વેપારી સતિષભાઈ માંડાણીએ જણાવ્યું કે, હું 2003થી હીરા વ્યવસાય સાથે સંકળાયેલો છું. એમાં છેલ્લા 3-4 વર્ષમાં રશિયા-યુક્રેન યુદ્ધ થયું એ પછી સતત ધીમે-ધીમે મંદીનો માહોલ છે અને દિવાળી બાદ વેકેશન ખુલે અને પાંચમે અને અગિયારસે મુહૂર્ત થતા હોય છે તે મુહૂર્ત હજુ થયા નથી. મારે ઓફિસમાં 30-35 લોકોનો સ્ટાફ હતો. અત્યારે અમે બધાને છૂટા કર્યા છે. અમારે પણ તે લોકોને રોજી રોટી આપવી છે પરંતુ કઈ રીતે આપવી.

રોજે રોજ નુકસાની જતી હોવાથી કેટલીક નુકસાની સહન કરવી અને અત્યારે પણ મારે જે 30-35 લોકોનો સ્ટાફ હતો તે મારે બેસાડવો છે, પરંતુ હું બેસાડી શકું એવી પરિસ્થિતીમાં નથી. એવું લાગે છે કે ઓફિસમાં 4-5 વ્યક્તિને સાચવી શકીશું. પરંતુ જે સાચવવા છે એ એટલે સાચવવા છે કે થોડું કામ ચાલુ થાય, પરંતુ તોય પણ નફાનું તો એક બાજુ રહ્યું, નુકસાની કરીને પણ એમને સાચવવાના છે. અત્યારે હીરા ઉદ્યોગની પરિસ્થિતી ખૂબ ખરાબ છે.

About The Author

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.