ભાવનગરમાં ગોઝારો અકસ્માત, ઘાસ ભરેલી ટ્રક પલટી જતા 6 લોકોના મોત

ભાવનગર જિલ્લાના વલભીપુરમાં થયેલા ગોઝારા અકસ્માતમાં 6 કરતા વધુ લોકોના મોત થઈ ગયા છે. લીલું ઘાસ ભરીને જે ટ્રક જઈ રહ્યી હતી તે પલટી જતા આ અકસ્માત થયો છે. અકસ્માતની જાણકારી મળતા લોકો આસપાસમાંથી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને મદદ કરવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણકારી 108ની ટીમને આપવામાં આવતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. લીલુ ઘાસ લઈને જતા આ ટ્રકમાં 15 જેટલા લોકો સવાર હોવાની જાણકારી મળી રહી છે. ઘટના મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વલભીપુર તાલુકાના મેવાસા ગામમાં લીલુ ઘાસ ભરીને જઈ રહેલી ટ્રક અચાનક રસ્તા પરથી નીચે ઉતરી જતા આ ગોઝારો અકસ્માત થયો હતો. ઘટના એટલી ભયાનક હતી કે વટેમાર્ગુઓના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક ટ્રક નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા હતા. 108ની ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિકો અને 108ની ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માત થવાનું કારણ શું છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ ટ્રકનો માલિક કોણ છે, અકસ્માત સર્જાવા પાછળનું કારણ શું છે અને ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા અને મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ટ્રક નીચે દબાયેલા લોકોની એક પછી એક લાશ કાઢી રહેલા લોકોને પણ કંપારી છૂટી ગઈ હતી. મૃતકોની ઓળખ નવઘણભાઈ ગભરૂભાઈ રાઠોડ (ઉંમર 21 વર્ષ), કવાભાઈ ભીખાભાઈ મકવાણા (ઉંમર 45 વર્ષ), સીતુભાઈ દાનાભાઈ ચૌહાણ (ઉંમર 51 વર્ષ), અલ્પેશભાઈ સવશીભાઈ વેગડ (ઉંમર 22 વર્ષ), મનીબેન ગભરૂભાઈ રાઠોડ, કોમલબેન મનસુખભાઈ રાઠોડના રૂપમાં થઇ છે.

બીજી તરફ રવિવારે અમદાવાદ જિલ્લામાં ધંધુકા-બગોદરા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. જેમા 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. જ્યારે ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા છે. હરિપુરા ગામના પાટિયા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે વ્યકિતની હાલત ખુબ જ ગંભીર હોવાની જાણકારી છે. અકસ્માતની જાણકારી મળતા જ ધંધુકા અને પીપળી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને બધા ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.