ગુજરાતના પૂર્વ CMની વહુનો સુરતમાં મોબાઇલ છિનવાયો,લૂંટારા બાઇક પર આવેલા

સુરતના જોગસ પાર્ક પાસેથી પસાર થઇ રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યંમત્રીની પુત્રવધુ અને કોંગ્રેસના ધારાસભ્યના પત્નીનો મોબાઇલ છીનવાઇ જવાની ઘટનાએ ખળભળાટ મચાવી મુક્યો છે.પોલીસ મોબાઇલ લૂંટારાને પકડવા આકાશ પાતાળ એક કરી રહી છે. CCTV તપાસવામાં આવી રહ્યા છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની પુત્રવધૂ અને  કોંગ્રેસના ધારાસભ્યની પત્ની પાસેથી મોબાઈલ છીનવાઈ જવાની ઘટના સામે આવી છે. આ હાઈપ્રોફાઈલ લૂંટની ધારાસભ્યએ પોલીસમાં મોબાઈલ સ્નેચિંગની ફરિયાદ આપી છે. પોલીસે બાઇક પર આવેલા લૂંટારાઓને શોધવા માટે CCTV ફુટેજ તપાસી રહી છે.

ગુજરાતના સુરતમાં ગુનાખોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. ધારાસભ્યની પત્નીના મોબાઈલની લૂંટનો તાજો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ પર આવેલા જોગર્સ પાર્ક નજીકથી પસાર થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યની પત્નીનો બાઇક પર આવેલા લૂંટારાઓએ મોબાઈલ ફોન છીનવી લીધો હતો. ધારાસભ્યની પત્નીના મોબાઈલની લૂંટની ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે.

ખેડબ્રહ્માથી કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પોતાની પત્નીના મોબાઇલ લૂંટની ફરિયાદ નોંધાવી છે. તુષાર ચૌધરીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે.MBBSની ડિગ્રી મેળવનારા તુષાર ચૌધરી બે વખત સાંસદ રહેવાની સાથે કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

પૂર્વ સીએમના પુત્રવધૂ અને ધારાસભ્ય તુષાર ચૌધરીના પત્ની ડો. દિપ્તીબેન ચૌધરી સાથે મોબાઇલ લૂંટની ઘટના જોગર્સ પાર્ક પાસે બની હતી. બાઇક પર આવેલા યુવકે મોબાઇલ આંચકી લીધો હતો અને થોડીવારમાં ભાગી ગયો હતો. મોબાઈલ લૂંટની આ ઘટના બાદ પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવી લૂંટારુઓને પકડવા પ્રયાસ કરી રહી છે.

ધારાસભ્યએ આ ઘટનાની જાણ પોલીસને તો કરી જ છે, પરંતુ તેમણે સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર સાથે પણ વાત કરી છે. જાણવા મળેલી વિગત મુજબ પોલીસ કમિશ્નર તોમરે ઉમરા પોલીસ સ્ટેશનના મોબાઇલ સ્નેચરને તાકીદે પકડવાની સુચના આપી છે.

ભરબપોરે ધારાસભ્યની પત્ની સાથે મોબાઈલની લૂંટની ઘટના ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહે છે કે સુરત પોલીસ આ કેસમાં લૂંટારુઓને પકડી શકે છે કે કેમ. પોલીસે ઘટનાનો ભેદ ઉકેલવા અને મોબાઈલ છીનવનાર યુવકને શોધી કાઢવા CCTV ફૂટેજની મદદ લઈ રહી છે. થોડા દિવસો પહેલા શહેરના કાપોદ્રા વિસ્તારમાં પણ એક યુવક પાસેથી મોબાઈલ છીનવી લેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.