હરાજીમાં મિલકત ખરીદવા માટે ડિપોઝીટ જમા કરાવ્યા બાદ મિલકત ન ખરીદી, કોર્ટમાં રિફંડ માંગ્યું, કોર્ટે ફરિયાદ રદ કરી

સુરત બેંક ઓફ બરોડાએ સરફેસી એકટની કાર્યવાહી અન્વયે લોનના ડિફોલ્ટરની કબજે લીધેલી મીલકતના વેચાણ માટે જાહેર હરાજી કરતા જાહેર હરાજીમાં મીલકત ખરીદવા માટે બીડ કરીને રૂા 2.12લાખ ડિપોઝીટ કર્યા બાદ સુચિત ખરીદનારે પોતાને મીલકત લીગલ ન હોવાનું જણાતું હોવાથી પોતે બેન્કને ચૂકવેલ રૂા. 2.12 લાખ તથા કહેવાતા મીડીએટર (બ્રોકર) ને ચૂકવેલ રૂા. 1.75 લાખ વ્યાજ અને વળતર સહિત પરત અપાવવા માટે સૂચિત ખરીદનારે બેંક ઓફ બરોડા સામે સુરત જીલ્લા ગ્રાહક કમિશન (એડીશનલ) સમક્ષ કરેલી ફરિયાદ કમિશને સરફેસી એકટ અન્વયેની કાર્યવાહી થયેલ હોય ત્યારે સિવિલ કોર્ટ કે કન્ઝયુમર કોર્ટને તે સંબંધના કેસો ચલાવવાની હકૂમત હોતી નથી તેવું ઠરાવી ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો છે.

ફરિયાદીએ બેંક ઓફ બરોડા (સામાવાળા) વિરૂધ્ધ સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ (એડીશનલ) સમક્ષ કરેલી ફરિયાદની વિગતો એવી હતી કે સામાવાળા બેન્કે 2017ના વર્તમાનપત્રમાં અલગ અલગ સ્થળોએ મકાનોની હરાજી માટેની જાહેર નોટીસ બહાર પાડેલ અને હરાજી 2017ના રોજ નકકી કરેલી. જેમાં પ્લોટ નં. એ/૧૫૨ અને એ/૧૫૩, રેશ્મા રો-હાઉસ વિભાગ–બી, મોજે : મગોબ, સુરતવાળી મીલકત અંગે જણાવવામાં આવેલ મકાનની લધુતમ કિંમત રૂા. 29,29,૦૦૦/- હતી. અને જો મકાન ખરીદવું હોય તો મકાનની કિંમત 10% રકમ જમા કરાવવાની હતી. જેથી ફરિયાદીએ સામાવાળા બેન્કને ચેકથી રૂા. 2,92,૦૦૦/- ચૂકવેલ. ત્યારબાદ તા. ૩/૮/૨૦૧૭ ના રોજ હરાજી થયેલ તેમાં સદર મકાનના રૂા. 40,49,૦૦૦/- રકમની બીડ (બોલી) ફરિયાદીએ લગાવેલ અને રૂા. 40,49,૦૦૦/- ભરવા સંમતિ આપેલ. 

ત્યારબાદ સામાવાળા બેન્કના 25% રકમ ભરવાનો ફરિયાદી ઉપર ફોન આવેલ. તેથી ફરિયાદીએ રકમ ભ૨વા તૈયારી બતાવેલ. જેથી ફરિયાદીએ સામાવાળા બેન્ક પાસેથી મીલકતના પેપર્સ માંગેલ, તેથી સામાવાળાએ ફરિયાદીને મીલકતનો નકશો અને એક રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની નકલ આપેલ. ત્યારબાદ ફરિયાદીએ કોર્પોરેશનમાંથી  મકાનનો નકશો કઢાવેલ. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે  મકાન સીઓપીમાં આવતું હતુ અને એસએમસી મુજબ લીગલ ન હતું. જેથી ફરિયાદીએ તુરત સામાવાળા નં. 1 ને જાણ કરેલ, અને પૈસા રીફંડની અરજી પણ આપેલ. સામાવાળા નં. 1 ફરિયાદીને કોઈ સરખો જવાબ આપેલ નહી. ત્યારબાદ સામાવાળા બેન્કે તા. ૨૩/૧૧/૨૦૧૭ ના રોજ વર્તમાનપત્રમાં એ જ મકાન અંગેની ફરીથી હરાજીની નોટીસ આપેલ. અને તા. ૧૪/૧૨/૨૦૧૭ હરાજીની તારીખ નકકી કરવામાં આવેલ. જેથી ફરિયાદીએ નારાજ થઈ સુરત જીલ્લા ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ કરી સામાવાળા નં. ૧ બેન્ક ફરિયાદીને રૂા. 2,92,9૦૦/- વ્યાજ સહિત પરત ચુકવી આપે તેવો હુકમ કરવા તેમજ ફરિયાદીએ પોતે કહેવાતા મીડીએટરને ચૂકવેલ રૂા. 1,75,૦૦૦/- વ્યાજ સહીત પરત ચુકવી આપે તેવો હુકમ કરવા તેમજ માનસિક/શારીરિક, ત્રાસ-આઘાતનું વળતર તથા ફરિયાદ ખર્ચ મેળવવા માટે અત્રેના કિંમશનમાં દાખલ કરેલ.

બેંક ઓફ બરોડા તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇની ગ્રાહક અદાલત સમક્ષ ઉપસ્થિત થઈ દલીલ કરતા જણાવ્યું હતુ કે ફરિયાદીની ફરિયાદ સામાવાળા નં.(૧) બેંકે સર્ફેસી એક્ટ-૨૦૦૨ અન્વયે કબજે લીધેલી મિલકતોની જાહેર હરાજી (પબ્લીક ઓડશન) થી કરવામાં આવેલ વેચાણ સબંધીત છે. પબ્લીક ઓક્શનમાં ભાગ લેનાર વ્યકિત ગ્રાહક સુરક્ષા ધારામાં આપેલી વ્યાખ્યા અનુસારના ગ્રાહક નથી. તેવું નેશનલ કમિશનના ચુકાદાથી પ્રસ્થાપિત થયેલું છે. જે સંજોગોમાં ગ્રાહક સુરક્ષા ધારામાં આપેલી વ્યાખ્યા અનુસાર ગ્રાહક નથી. જેથી ફરિયાદ પ્રથમ દર્શને રદ થવાને પાત્ર છે. વધુમાં, ફરિયાદીની ફરિયાદ પણ સર્ફેસી એકટ-૨૦૦૨ અન્વયે સામાવાળા નં.(૧) બેંકે કબજે લઈ જાહેર હરાજીમાં મુકેલ વેચાણના વ્યવહાર સબંધીત છે. એટલે કે, આ પ્રકારની ફરિયાદ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ મેઇન્ટેઇનેબલ નથી અને પ્રથમ દર્શને રદ થવાને પાત્ર છે. ફરિયાદીએ હરાજીવાળી મિલકતનું મકાન COP માં આવતું હોવાની અને મકાન લીગલ ન હોવાની વગેરે જે તમામ હકીકત જણાવી છે. તે તમામ હકીકતો ખરી નથી અને કબુલ નથી. મિલકત સબંધીત તમામ વિગતો/માહીતી જાણી/સમજીને જ ફરિયાદીએ હજરાજીમાં ભાગ લીધેલો જેથી પાછળથી ફરિયાદી કોઈ વાંધા વાચકા કાઢવા હકદાર નથી. 

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ઇન્ચાર્જ પ્રમુખ ન્યાયાધીશ કે.જે.દર્સોંદી અને સભ્ય પૂર્વી જોષીએ એડવોકેટ શ્રેયસ દેસાઇની દલીલો ગ્રાહ્ય રાખી ફરિયાદની ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો છે. 

About The Author

Related Posts

Top News

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.