ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણીમાં 'ક્લીન સ્વીપ' માટે BJPએ આ 8 નેતાને ફરજ સોંપી

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર કબજો જાળવી રાખવા માટે BJP ચૂંટણી મોડમાં આવી ગયું છે. BJPએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક સાથે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે. તેમને એકથી વધુ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી. આ નેતાઓમાં એવા ઘણા નેતાઓનો સમાવેશ થાય છે જેમની વર્ષ દરમિયાન યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપી નાંખવામાં આવી હતી. આ પછી આ નેતાઓ મુખ્ય પ્રવાહના રાજકારણમાં સામેલ ન થયા. ગુજરાતમાં BJPએ 2014 થી 2019 સુધીની લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં, જ્યારે BJP PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા પર પાછા ફરવા માંગે છે, ત્યારે પાર્ટી PM નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક પણ બેઠક ગુમાવવા માંગતી નથી. પાર્ટીએ આ પ્રભારીઓને ક્લસ્ટર ઈન્ચાર્જ તરીકે નામ આપ્યા છે.

BJPના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકે કચ્છ, બનાસકાંઠા પાટણ વિધાનસભાની જવાબદારી સોંપી છે.

BJPના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયાને ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકે મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર વિધાનસભાની જવાબદારી સોંપી છે.

BJPના રાષ્ટ્રીય તાલીમ અભિયાન વિભાગના રાજ્ય સંયોજક K.C.પટેલને ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકે ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ વિધાનસભાની જવાબદારી સોંપી છે.

BJPના રાજ્યસભાના સભ્ય નરહરિ અમીનને ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકે આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ વિધાનસભાની જવાબદારી સોંપી છે.

BJPના પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ વિધાનસભાની જવાબદારી સોંપી છે.

BJP મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકે સુરત, નવસારી, બારડોલી, વલસાડ વિધાનસભાની જવાબદારી સોંપી છે.

BJPના પૂર્વ મંત્રી અને સ્ટેટ કોર ટીમના સભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકે જૂનાગઢ અમરેલી, ભાવનગર વિધાનસભાની જવાબદારી સોંપી છે.

BJPના પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ મંત્રી અને સ્ટેટ કોર ટીમના સભ્ય R.C. ફાલ્દુને જામનગર, પોરબંદર, રાજકોટ વિધાનસભાની જવાબદારી સોંપી છે.

એક વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર BJP રાજ્યમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો જીતી હતી. લોકસભાની 22 સીટો પર પાર્ટી ઘણી મજબૂત છે. પાટણ, જૂનાગઢ, અમરેલી અને ભરૂચની બેઠકો પર પાર્ટીને કોંગ્રેસ તરફથી પડકારનો સામનો કરવો પડે તેવી ધારણા છે. પાર્ટી આ બેઠકો જીતવા માટે અલગથી રણનીતિ પણ બનાવી રહી છે. 2009ની ચૂંટણીમાં BJP પાસે 15 લોકસભા અને કોંગ્રેસ પાસે 11 લોકસભા બેઠકો હતી, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. BJP એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે 400ના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાતમાંથી એક પણ બેઠક ઓછી ન થવી જોઈએ.

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.