ગુજરાતની બે વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

ચૂંટણી પંચે રવિવારે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ ચાર રાજ્યોમાં ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ 19 જૂને યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતના કડી અને વિસાવદર મતવિસ્તારમાં પેટાચૂંટણીઓ યોજાશે. કડીના ભાજપના ધારાસભ્ય કરસનભાઈ પંજાબભાઈ સોલંકીનું આ વર્ષે ફેબ્રુઆરીમાં અવસાન થયું હતું, જેના કારણે આ બેઠક ખાલી પડી છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. વર્ષ 2023માં ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

03

વર્ષ 2022માં ભાજપના હારેલા ઉમેદવાર હર્ષદ રિબડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં ભૂપત ભાયાણીની જીતને પડકારી હતી. માર્ચમાં હર્ષદ રિબડિયાએ તેમની અરજી પાછી ખેંચી લીધી હતી, જેના પછી પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર પોતાના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે બંને બેઠકો પર AAP અને કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય. હાલમાં ગુજરાત વિધાનસભામાં BJPના 161 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 11 અને AAP પાસે 4 ધારાસભ્યો, 3 અપક્ષ અને 1 SP ધારાસભ્ય છે.

 

અગાઉ 23 મેના રોજ મતદાનની ટકાવારી વધારવા અને મતદાનના દિવસે સિસ્ટમને સુવ્યવસ્થિત કરવાના હેતુથી વિવિધ પહેલોને અનુરૂપ, ચૂંટણી પંચે મતદારોને મતદાન મથકોની બહાર તેમના મોબાઇલ જમા કરાવવાની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત ચૂંટણી પ્રચારના ધોરણોને તર્કસંગત બનાવવા માટે બે વધુ વ્યાપક સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આ સૂચનાઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અને ચૂંટણી આચારસંહિતા નિયમો 1961ની સંબંધિત જોગવાઈઓ સાથે સુસંગત છે. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મોબાઇલ ફોનના વધતા ઉપયોગ અને કવરેજને ધ્યાનમાં રાખીને અને મતદાનના દિવસે ફક્ત સામાન્ય મતદારો જ નહીં પરંતુ વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગ મતદારો દ્વારા મોબાઇલ ફોન રાખવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પંચે મતદાન મથકોની બહાર મોબાઇલ ફોન જમા કરાવવાની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. મતદાન મથકથી ફક્ત 100 મીટરની અંદર જ મોબાઇલ ફોન રાખવાની મંજૂરી આપવામાં આવશે અને તે પણ બંધ હોય ત્યારે.

02

મતદારોને મતદાન મથકની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે પ્રતિકૂળ સ્થાનિક પરિસ્થિતિઓને આધારે રિટર્નિંગ ઓફિસર દ્વારા કેટલાક મતદાન મથકોને આ જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. મતદાન મથકની અંદર મતદાનની ગુપ્તતા સુનિશ્ચિત કરતા ચૂંટણી આચાર નિયમો 1961 ના નિયમ 49Mનું કડક પાલન ચાલુ રહેશે.

About The Author

Related Posts

Top News

એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

એશિયામાં પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાને કોઈ અસુવિધા ન થાય તે માટે કેટલાક ખાસ ફેરફારો લાગૂ કરવામાં આવ્યા છે. એવામાં...
Business 
એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...
Opinion 
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

વૈશાલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સંબંધો, વિશ્વાસ અને પરિવાર પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. એક...
National 
પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

વાપી GIDC કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીના પર હાથ સાફ કરી ફરાર થયેલા બે આરોપીની LCBએ ધરપકડ...
Gujarat 
કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.