ઋષિભારતી બાપુ બોલ્યા- અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવતા દુઃખ, સમાજના કેટલાક નેતાઓ...

ગુજરાતના રાજકીય પટલ પર એક નવો વિવાદ જન્મ લઈ રહ્યો છે, અને તેનું કારણ છે ઠાકોર સમાજ માટે સન્માનિય અને પ્રખ્યાત ધર્મગુરુ ઋષિભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન. માણસાના ધમેડા ગામમાં યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલન સમારોહમાં ઋષિભારતી બાપુએ એવું નિવેદન આપી દીધું કે રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. જે કાર્યક્રમમાં ઠાકોર સમાજના તમામ પક્ષના નેતાઓ હાજર હતા ત્યાં સંબોધન દરમિયાન ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, આ વખતે અલ્પેશજી ઠાકોર નાયબ મુખ્યમંત્રી બને તે માટે પ્રયાસો ચાલુ હતા, ગાંધીનગરમાં બેઠક કરી છતા બાકાત રહ્યા. સારા ખાતા પણ ન મળ્યા. એ વાતનું દુઃખ થવું જોઈએ. આપણા સમાજના કેટલાક નેતાઓ વ્હાઈટ કોલર ગુલામી કરી રહ્યા છે, જે રાજનીતિમાં કૂટનીતિનો અભાવ દર્શાવે છે. આ નિવેદનની ગુંજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓની હાજરીમાં વધુ તીવ્ર બની અને ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચાઓ જન્મી છે.

ઠાકોર સમાજના નેતાઓને ગુજરાતમાં અને દેશમાં સમાજની વસ્તીના આંકડા જણાવતા કહ્યું કે, આપણે પોઝિશનિંગમાં નહીં, પાવરમાં આવવાની જરુર છે. આપણા સમાજના નેતાઓને રાજનીતિ આવડે છે પરંતુ કૂટનીતિ કરતા આવડતી નથી, એટલા માટે પાછળ રહી જાય છે. કુટનીતિ શીખશો, ત્યારે પોઝિશનમાં નહીં, પાવરમાં હશો, નિર્ણાયક ભૂમિકામાં હશો. રાજકીય પક્ષો આપણી નબળી કડી જાણે છે એટલે ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે.

thakor samaj snehmilan
gujaratfirst.com

ગાંધીનગરના માણસા તાલુકાના ઘમેડા ગામમાં માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષના નેતાઓ અને સમાજના સંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઋષિભારતી બાપુએ આ નિવેદન અપ્યું હતું. ઋષિભારતી બાપુએ કહ્યું કે, ઠાકોર સમાજ 4 વિભાગમાં વહેંચાયેલો છે. જેમાં 10 ટકા VIP ગુલામ થઈ ગયા છે. 20 ટકા અવસરવાદી છે, જેઓ ડબલ ઢોલકી વગાડે છે. જ્યારે 50 ટકા હજી પણ નિદ્રાધિન અવસ્થામાં છે. રાજકીય પક્ષો આપણા સમાજની નબળી કડી જાણે છે એટલે ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે.

આ નિવેદન બાદ રાજકીય પક્ષોમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ ઋષિ ભારતી બાપુ દ્વારા અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગણી અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ નિવેદન રાજુલાના હડદડ ગામની મુલાકાત દરમિયાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઋષિ ભારતી બાપુને જે લાગ્યું હશે તે બોલ્યા હશે. વાત પાર્ટીની હોય તો સમાજને સમયે સમયે પદ આપ્યા જ છે અન્યાયની કોઈ વાત નથી. ગુજરાતમાં ઠાકોર-કોળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. પાર્ટીએ સમય સમયે આ સમાજને યોગ્ય પદ આપ્યા છે અને કોઈ અન્યાય થયો નથી. આગામી સમયમાં પણ જ્યાં કોળી સમાજની વસ્તી વધુ હશે, ત્યાં ટિકિટો આપવામાં આવશે અને યોગ્ય વ્યક્તિઓને સ્થાન આપવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, તેઓ તેમની સાથે સહમત છે. બાપુ સાથે મોટો સમાજ જોડાયેલો છે અને જો તેમને ક્યાંક અન્યાય થયો હોવાનું લાગતું હોય તો તે તેમની વિચારધારા છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે આ નિવેદનની ટીકા કરતા કહ્યું કે, ‘આવા નિવેદનો સમાજમાં વિભાજન પેદા કરે છે. અમે હંમેશાં ઠાકોર સમાજના હિત માટે કામ કર્યું છે. બીજી તરફ અલ્પેશ ઠાકોરે આ નિવેદનને ઋષિભારતીના અંગત વિચારો ગણાવી સમાજને એકજૂટ રહેવાની અપીલ કરી. ભાજપના કેટલાક નેતાઓએ આ નિવેદન પર હાલ કોઈ સીધી પ્રતિક્રિયા આપી નથી, પરંતુ પક્ષની અંદર ચર્ચાઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

thakor samaj snehmilan
gujaratfirst.com

ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોરે મીડિયા સામે નાયબ મુખ્યમંત્રીના સવાલથી કિનારો કરી દીધો હતો અને સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો, અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ઋષિ ભારતીએ શું કહ્યુ તે હું જાણતો નથી, સરકાર તમામ સમાજને યોગ્ય સ્થાન આપી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે પણ ફૂંકી-ફૂંકીને જવાબો આપ્યા હતા.

આ નિવેદનથી યુવાનોમાં રાજકીય સજાગતા અને સમાજના હિત માટે એકજૂટ થવાની ચર્ચાઓ શરૂ થઈ શકે છે. ઋષિભારતી બાપુની આધ્યાત્મિક અને સામાજિક પ્રભાવને જોતાં તેમનું આ નિવેદન સમાજના લોકોને રાજકીય રીતે વધુ સક્રિય બનાવી શકે છે. જોકે, કેટલાક લોકો માને છે કે આવા નિવેદનો સમાજમાં વિભાજન પણ પેદા કરી શકે છે.

ઋષિભારતી બાપુના આ નિવેદન બાદ રાજકીય પક્ષો હવે ઠાકોર સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસોમાં લાગી શકે છે. ગુજરાતના રાજકારણમાં ઠાકોર સમાજની ભૂમિકા અને વોટિંગ પાવરને લઈને ચર્ચાઓ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. આ ઘટનાએ એકવાર ફરીથી રાજનીતિ અને કૂટનીતિના સમન્વયનું મહત્ત્વ ઉજાગર કર્યું છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.