ઓલપાડમાં ખેડૂતને ધમકી આપીને ખેતરનો રસ્તો બંધ કરીને 5 લોકોની દાદાગીરી

ઓલપાડના બરબોધન ગામે ખેતીની જમીનમાં કમ્પાઉન્ડ ગેટ મૂકવાની બાબતે ખેડૂતને ગામના જ રહેવાસી 5 લોકોએ જાતિ વિષયક ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ઓલપાડ પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઓલપાડ તાલુકાના બરબોધન ગામે રહેતા અમરતભાઈ બાલુભાઈ ચૌહાણ (ઉંમર 56 વર્ષ) ખેતી કરીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરે કરે છે. તેમણે બરબોધન ગામે આવેલા બ્લોક નંબર-1199વાળી 3 વીઘા જમીનમાં 6-7 ફૂટ ઊંચી દીવાલ આવવા-જવા માટે બનાવી સરકારી રસ્તા પાસે લોખંડનો ગેટ મૂક્યો હતો.

તેમણે 20 દિવસ અગાઉ આ જમીનમાં આંબાની કલમોનું રોપણ કર્યુ હતું. ગત 2 જુલાઇ, રવિવારના રોજ ખેડૂત અમરતભાઈ ચૌહાણને બરબોધન ગામના નિશાળ ફળિયામાં રહેતા બ્રિજેશ પટેલે ફોન કરીને જણાવ્યું હતું કે, તમે તમારા ખેતરમાં આવો ગેટ કેમ મૂક્યો છે તે બાબતે વાત કરવી છે. ત્યારબાદ બરબોધન ગામના જ રહેવાસી બ્રિજેશ પટેલ, પરાગ પટેલ, ભાવેશ પટેલ, હિતેશ પટેલ અને શૈલેષ પટેલ અમરત ચૌહાણના ખેતર પર જઇ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તમે ગેટ ખોટી રીતે મૂક્યો છે જેથી તમે ગેટ બંધ કરી દો નહીં તો અમે આ ગેટ બંધ કરી દઇશું કહી ધમકી આપી હતી.

7 જુલાઇના રોજ અમરતભાઈ જ્યારે ખેતરમાં ગયા ત્યારે ત્યાં લોખંડની એંગલ બનાવીને ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ખેતરમાં 20-25 આંબાઓને નુકસાન કર્યુ હતું. આ ઘટના અંગે ખેતર માલિક અમરત ચૌહાણે પોલીસ સ્ટેશનમાં ગામના જ ઉપરોક્ત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

FIRમાં ફરિયાદી અમરતભાઇ ચૌહાણે જણાવ્યું કે, તેઓ ખેતી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. બરબોધન ગામે 1177વાળી લગભગ 3 વીઘા જમીન તેણે વર્ષ 2011માં ખરીદી હતી. હાલમાં આ જમીન પોતાની માલિકીની છે. જમીનની ફરતે 6-7 ફૂટ ઊંચી દીવાલ બનાવી છે, જે કમ્પાઉન્ડ દીવાલનું કામ હાલમાં પૂર્ણ થઈ ગયું છે અને આ જમીનમાં આવવા જવા માટે સરકારી રસ્તા પાસે લોખંડનો ગેટ મૂક્યો છે.

FIRમા જણાવેલી વિગત મુજબ અમરતલાલ ચૌહાણે કહ્યું હતું કે, તેમણે 2011મા 3 વીઘા જમીન ખરીદી હતી, જેમાં તેમણે 6-7 ફૂટ ઊંચી કમ્પાઉન્ડ દિવાલ બનાવેલી હતી અને જમીન પર આવવા-જવા માટે સરકારી રસ્તા પાસે લોખંડનો ગેટ મૂક્યો હતો અને જમીન પર 20 દિવસ પહેલા જ આંબાની કલમ રોપી હતી. 2 જુલાઈએ સવારે નિશાળ ફળિયામાં રહેતા બ્રિજેશ પટેલનો ગણપતલાલને ફોન આવ્યો હતો કે, તમે તમારા ખેતરે આવો ગેટ વિશે વાત કરવી છે, ત્યાર બાદ ગણપતલાલ તેમના ભત્રીજા સાથે ખેતરના ગેટ પાસે ગયા હતા, જ્યાં બ્રિજેશ પટેલ ચાર લોકો સાથે ઉભો હતો અને ગાડી પરથી ઉતરીને તેમને કહેવા લાગ્યો હતો કે તમે આ દેટ ખોટી રીતે મૂક્યો છે આ ગેટ બંધ કરી દો આ રસ્તો તમારા માટે નથી, આ રસ્તા પર આવવા-જવાનું બંધ કરી દો નહિતર અમે આ ગેટ બંધ કરી દઈશું અને પછી બ્રિજેશ પટેલ ગાળાગાળી કરવા લાગેલો. પણ ગણપતલાલે કહી દીધું હતું કે, આ રસ્તો સરકારી છે અને ગેટ અમે બંધ કરવાના નથી, તો બ્રિજેશ પટેલ અને તેની સાથીદારો કહેવા લાગ્યા કે 3 દિવસમાં ગેટ બંધ ન કર્યો તો અમે બંધ કરી દઈશું, પછી બધા ત્યાંથી નીકળી ગયા હતા.

પણ થોડા સમયમાં જ ગણપતલાલ પોતાની ગાડીમાં ઘરે જવા નીકળ્યા ત્યારે આ પાંચેય લોકો રસ્તા પર ઉભા હતા અને જાતિવિષયક શબ્દો કહીને ગણપતલાલને ધમકી આપવા લાગ્યા હતા. બ્રિજેશ પટેલ અને તેના સાથીદારોએ હાથ પગ ભાંગવા અને જાનથી મારી નાખવા સુધીની ધમકી આપી હતી. પછી બધા નીકળી ગયા હતા. 7 જુલાઈએ ગણપતલાલ પોતાના ખેતરે ગયા તો ત્યાં ખેતરના ગેટ પાસે સિમેન્ટનો ઢાળ બનાવીને તેની પાસે લોખંડની એંગલ લગાવીને ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દીધો હતો આ ઉપરાત આંબાની 20-25 કલમોને પણ નુકસાન કરાયું હતું, જે અંગે ગણપતલાલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.