જ્ઞાન સહાયક યોજનાની ભરતી રદ કરો નહીં તો... વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ચિમકી

જ્ઞાન સહાયક આંદોલનમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાના નિવેદનથી વિરોધ કરનારા યુવાનોમાં જોમ આવી ગયું છે અને રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે.

ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરતીનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. આ યોજનામાં TAT-TET પાસે ઉમેદવારોની જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરતી કરવાની છે. રાજ્યભરમાં ઉમેદવારો તથા સંગઠન વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોના સમર્થનમાં કોંગેસ દ્વારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 'શિક્ષણ બચાવો' ધરણા પ્રદર્શન કરાયું હતું. જેમાં AAP અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ચિમકી આપી હતી કે જ્ઞાન સહાયક હેઠળ ભરતી રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.યુવરાજ સિંહે કહ્યુ કે, જો સરકાર જ્ઞાન સહાયક હેઠળની ભરતી રદ નહીં કરશે તો અમે અસહકાર આંદાલન ચલાવીશું અને કરો યા મરો આંદોલન પણ કરીશું.

છેલ્લાં ઘણા સમયથી વિદ્યાર્થીઓ માટે આંદોલન કરતા યુવરાજ સિંહ જાડેજાએ ક્હયું હતું. જ્ઞાન સહાયક યોજનામાં કરાર આધારિત ભરતી કરવામાં આવશે. જ્ઞાન સહાયક યોજનાથી શિક્ષક નહીં પરંતુ માત્ર સહાયક જ મળશે માટે અમારી માગ છે કે, જ્ઞાન સહાયક નહીં પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.

યુવરાજ સિંહે કહ્યું કે આ પહેલાં જ્યારે અમે આંદોલન કરતા હતા ત્યારે પોલીસ અમારી ધરપકડ કરી લેતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે મંજૂરી લઇને આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસના આ ધરણામાં જુદા જુદા જિલ્લામાંથી આવેલા શિક્ષિત બેરોજગાર યુવાનો પણ જોડાયા છે.

યુવરાજ સિંહે એક મીડિયા સાથેની વાતમાં ચિમકી આપતા કહ્યુ હતું કે જો સરકાર જ્ઞાન સહાયક હેઠળની ભરતી રદ નહીં કરશે તો આંદોલને વેગવુંત બનાવવામાં આવશે, અસહકાર આંદોલન કરવામાં આવશે અને અમે કરો યા મરો આંદોલન કરીને પણ સરકાર પાસે આ રદ કરાવીને રહીશું.

યુવરાજ સિંહે સરકાર સામે નિશાન સાધીને કહ્યું હતુ કો, 156+ 3 બેઠકો જીતનારી સરકારને હવે ડર લાગે છે, કારણકે સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં અનેક આંદોલનોના પરિણામ મળ્યા છે. જાડેજાએ કહ્યું કે લોકસભા 2024ની ચૂંટણીમાં અમે આ મુદ્દો પણ ઉઠાવીશું.

યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે સરકારને બધી ખબર છે, પરંતુ સરકારે સાંભળનું નથી, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 1 લાખ પોસ્ટકાર્ડ મોકલ્યા છે, જેમાંથી માત્ર 1 જવાબ આપ્યો છે..

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.