જ્ઞાન સહાયક યોજનાની ભરતી રદ કરો નહીં તો... વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ચિમકી

જ્ઞાન સહાયક આંદોલનમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાના નિવેદનથી વિરોધ કરનારા યુવાનોમાં જોમ આવી ગયું છે અને રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે.

ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરતીનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. આ યોજનામાં TAT-TET પાસે ઉમેદવારોની જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરતી કરવાની છે. રાજ્યભરમાં ઉમેદવારો તથા સંગઠન વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોના સમર્થનમાં કોંગેસ દ્વારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 'શિક્ષણ બચાવો' ધરણા પ્રદર્શન કરાયું હતું. જેમાં AAP અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ચિમકી આપી હતી કે જ્ઞાન સહાયક હેઠળ ભરતી રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.યુવરાજ સિંહે કહ્યુ કે, જો સરકાર જ્ઞાન સહાયક હેઠળની ભરતી રદ નહીં કરશે તો અમે અસહકાર આંદાલન ચલાવીશું અને કરો યા મરો આંદોલન પણ કરીશું.

છેલ્લાં ઘણા સમયથી વિદ્યાર્થીઓ માટે આંદોલન કરતા યુવરાજ સિંહ જાડેજાએ ક્હયું હતું. જ્ઞાન સહાયક યોજનામાં કરાર આધારિત ભરતી કરવામાં આવશે. જ્ઞાન સહાયક યોજનાથી શિક્ષક નહીં પરંતુ માત્ર સહાયક જ મળશે માટે અમારી માગ છે કે, જ્ઞાન સહાયક નહીં પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.

યુવરાજ સિંહે કહ્યું કે આ પહેલાં જ્યારે અમે આંદોલન કરતા હતા ત્યારે પોલીસ અમારી ધરપકડ કરી લેતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે મંજૂરી લઇને આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસના આ ધરણામાં જુદા જુદા જિલ્લામાંથી આવેલા શિક્ષિત બેરોજગાર યુવાનો પણ જોડાયા છે.

યુવરાજ સિંહે એક મીડિયા સાથેની વાતમાં ચિમકી આપતા કહ્યુ હતું કે જો સરકાર જ્ઞાન સહાયક હેઠળની ભરતી રદ નહીં કરશે તો આંદોલને વેગવુંત બનાવવામાં આવશે, અસહકાર આંદોલન કરવામાં આવશે અને અમે કરો યા મરો આંદોલન કરીને પણ સરકાર પાસે આ રદ કરાવીને રહીશું.

યુવરાજ સિંહે સરકાર સામે નિશાન સાધીને કહ્યું હતુ કો, 156+ 3 બેઠકો જીતનારી સરકારને હવે ડર લાગે છે, કારણકે સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં અનેક આંદોલનોના પરિણામ મળ્યા છે. જાડેજાએ કહ્યું કે લોકસભા 2024ની ચૂંટણીમાં અમે આ મુદ્દો પણ ઉઠાવીશું.

યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે સરકારને બધી ખબર છે, પરંતુ સરકારે સાંભળનું નથી, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 1 લાખ પોસ્ટકાર્ડ મોકલ્યા છે, જેમાંથી માત્ર 1 જવાબ આપ્યો છે..

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.