જ્ઞાન સહાયક યોજનાની ભરતી રદ કરો નહીં તો... વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ચિમકી

On

જ્ઞાન સહાયક આંદોલનમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાના નિવેદનથી વિરોધ કરનારા યુવાનોમાં જોમ આવી ગયું છે અને રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે.

ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરતીનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. આ યોજનામાં TAT-TET પાસે ઉમેદવારોની જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરતી કરવાની છે. રાજ્યભરમાં ઉમેદવારો તથા સંગઠન વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોના સમર્થનમાં કોંગેસ દ્વારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 'શિક્ષણ બચાવો' ધરણા પ્રદર્શન કરાયું હતું. જેમાં AAP અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ચિમકી આપી હતી કે જ્ઞાન સહાયક હેઠળ ભરતી રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.યુવરાજ સિંહે કહ્યુ કે, જો સરકાર જ્ઞાન સહાયક હેઠળની ભરતી રદ નહીં કરશે તો અમે અસહકાર આંદાલન ચલાવીશું અને કરો યા મરો આંદોલન પણ કરીશું.

છેલ્લાં ઘણા સમયથી વિદ્યાર્થીઓ માટે આંદોલન કરતા યુવરાજ સિંહ જાડેજાએ ક્હયું હતું. જ્ઞાન સહાયક યોજનામાં કરાર આધારિત ભરતી કરવામાં આવશે. જ્ઞાન સહાયક યોજનાથી શિક્ષક નહીં પરંતુ માત્ર સહાયક જ મળશે માટે અમારી માગ છે કે, જ્ઞાન સહાયક નહીં પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.

યુવરાજ સિંહે કહ્યું કે આ પહેલાં જ્યારે અમે આંદોલન કરતા હતા ત્યારે પોલીસ અમારી ધરપકડ કરી લેતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે મંજૂરી લઇને આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસના આ ધરણામાં જુદા જુદા જિલ્લામાંથી આવેલા શિક્ષિત બેરોજગાર યુવાનો પણ જોડાયા છે.

યુવરાજ સિંહે એક મીડિયા સાથેની વાતમાં ચિમકી આપતા કહ્યુ હતું કે જો સરકાર જ્ઞાન સહાયક હેઠળની ભરતી રદ નહીં કરશે તો આંદોલને વેગવુંત બનાવવામાં આવશે, અસહકાર આંદોલન કરવામાં આવશે અને અમે કરો યા મરો આંદોલન કરીને પણ સરકાર પાસે આ રદ કરાવીને રહીશું.

યુવરાજ સિંહે સરકાર સામે નિશાન સાધીને કહ્યું હતુ કો, 156+ 3 બેઠકો જીતનારી સરકારને હવે ડર લાગે છે, કારણકે સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં અનેક આંદોલનોના પરિણામ મળ્યા છે. જાડેજાએ કહ્યું કે લોકસભા 2024ની ચૂંટણીમાં અમે આ મુદ્દો પણ ઉઠાવીશું.

યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે સરકારને બધી ખબર છે, પરંતુ સરકારે સાંભળનું નથી, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 1 લાખ પોસ્ટકાર્ડ મોકલ્યા છે, જેમાંથી માત્ર 1 જવાબ આપ્યો છે..

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.