ચંડોળા તળાવમાં ધાર્મિક સ્થાનો પર બૂલડોઝર ફરી વળ્યું, મસ્જિદો અને મંદિર તોડાયા

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ 12,000 કરતાં વધુ કાચાં-પાકાં મકાનો અને દબાણો દૂર કરાયા હતાં, પણ કેટલાક ધાર્મિક સ્થળો – જેમ કે મંદિરો અને મસ્જિદો તાત્કાલિક ન તોડવામાં આવ્યા. આજે, 28 મે સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમની ઉપસ્થિતિમાં, ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે.

Chandola-Lake1
gujaratijagran.com

મહત્વપૂર્ણ સ્થળો પર કાર્યવાહી

ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોને તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ચંડોળાની સૌથી મોટી મસ્જિદ ગણાતી ગરીબ નવાબ મસ્જિદ ખાલી કરાવીને તોડી પાડવામાં આવી છે. આ કામગીરી પહેલાં મંદિર અને મસ્જિદોમાંથી તમામ ધાર્મિક ચીજવસ્તુઓ અને પુસ્તકો સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.

ડિમોલિશન માટે ભારે બંદોબસ્ત

મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોનની એસ્ટેટ ટીમ, વિવિધ ઝોનના અધિકારીઓ અને 500થી વધુ પોલીસકર્મચારીઓની હાજરીમાં કામગીરી કરવામાં આવી. ઘટના સ્થળે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી, સેક્ટર 2ના જેસીપી અને ઝોન 6ના ડીસીપી પણ હાજર રહ્યા.

Chandola-Lake2
gujarati.opindia.com

મશીનરીની મદદથી વિસ્તૃત કામગીરી

5 હિટાચી મશીન અને જેસીબીની મદદથી ડિમોલિશનની પ્રક્રિયા ચાલી. ચંડોળા તળાવ પાસે આવેલા ઇસનપુર દશામાતા મંદિર નજીકના ઘરોને પણ તોડી પાડવામાં આવ્યાં. અત્યાર સુધી 20થી વધુ ધાર્મિક સ્થળો અને 500થી વધુ કાચાં-પાકાં મકાનો તોડવામાં આવ્યા છે.

Chandola-Lake3
gujarati.news18.com

અગાઉના લેવાયેલ પગલાં

21 મેના રોજ ફેઝ-2ના બીજા દિવસે 20 ધાર્મિક સ્થળો અને 500 મકાનો તોડાયા હતાં. 20 મેના રોજ 35 હિટાચી અને 15 જેસીબી મશીન સાથે 8500 મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં. ચંડોળા તળાવ વિસ્તારની આશરે 2.5 લાખ ચો.મીટરની જગ્યામાંથી મોટાભાગના દબાણો દૂર કરાઈ ચુક્યા છે.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.