- Gujarat
- દિવાળીમાં નકામી વસ્તુ કાઢી નાખો તો સુરત મહાનગર પાલિકાને આપી દેજો
દિવાળીમાં નકામી વસ્તુ કાઢી નાખો તો સુરત મહાનગર પાલિકાને આપી દેજો

મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાયમેન્ટ ચેન્જનું એક અભિયાન છે જેનું નામ છે મેરી લાઇફ મેરા સ્વચ્છ શહેર. આ અભિયાન હેઠળ સુરત મહાનગર પાલિકાએ દિવાળીમાં લોકો જે નકામી વસ્તુઓ કાઢી નાંખે છે તે સ્વીકારીને જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું છે.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો,કન્હૈયા અરોરાએ કહ્યુ હતું કે. સરકારના મિશન હેઠળ દેશભરની પાલિકાઓમાં 3R હેઠળ અભિયાન ચાલે છે. રિફ્યુઝ, રિડ્યુસ અને રિસાયકલ, પરંતુ સુરત મહાનગર પાલિકાએ બે ડગલાં આગળ વધીને 5R કર્યું છે. જેમાં રિયુઝ અને રિપેરને ઉમેરવામાં આવ્યું છે. દિવાળીમાં કપડા, રમકડાં, પુસ્તકો, પગરખા કે ઇવેસ્ટ હોય તો પાલિકાની વોર્ડ ઓફિસમાં આવીને આપી શકો છો અથવા પાલિકાના ટોલ ફ્રી નંબર 1800 123 8000 ને કોલ કરશો તો ટીમ આવીને લઇ જશે. જો તમારા ઘરમાં કોઇ ભગવાનની પ્રતિમા સાજી કે ખંડિત હોય અને તમે કાઢી નાંખવાના હો તો પણ પાલિકાને આપી દેજો. પુરા સન્માન સાથે તેનું વિસર્જન કરવામાં આવશે. આ મળેલી વસ્તુઓ જરૂરિયાત મંદને પહોંચાડવામાં આવે છે.
Related Posts
Top News
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...
Opinion
