લોકસભા: ક્લીન સ્વીપની હેટ્રીક બનાવવા માટે શું BJP ગુજરાતમાં ટિકિટ કાપશે?

લોકસભા ચૂંટણીના ઓપિનિયન પોલ અને સર્વેમાં ગુજરાતમાં ભાજપ આગળ છે. સર્વેમાં પાર્ટી 26 માંથી 26 સીટો જીતતી જોવા મળી રહી છે, પરંતુ આ બધા પછી પણ પાર્ટી પોતાના સૌથી મજબૂત ગઢમાં કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી જ નવી રણનીતિ પર કામ કરી રહી છે.

ગુજરાત ભાજપનો ગઢ છે. ભાગ્યે જ કોઈને તેના પર શંકા હશે. આ અભેદ્ય કિલ્લામાં ભાજપ ત્રીજીવાર ક્લીન સ્વીપ જીતવા માટે નવી રણનીતિ ઘડી રહી છે. પાર્ટી હાઈકમાન્ડ I.N.D.I.A ગઠબંધનની અસરનું આકલન કરી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2019 અને 2014ની ચૂંટણીમાં પાર્ટીએ તમામ સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા.

બંને લોકસભામાં કોંગ્રેસ પાર્ટી એક પણ સીટ જીતી શકી નહોતી. ભાજપ હવે કોઇ પણ સંજોગોમાં આ પ્રદર્શનને જાળવી રાખવા માંગે છે. ગુજરાતમાં કોંગ્રેસ અને AAPના ગઠબંધનને ધ્યાનમાં રાખીને ભાજપ એલર્ટ થઇ ગઇ છે. જેને કારણે આગામી દિવસોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. પાર્ટી નવી રીતે સોશિયલ એન્જિનિયરીંગ કરી શકે છે, એટલું જ નહી, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે મોટા પાયે હાલના સાંસદોની ટિકિટ કાપી શકે છે.

જાણવા મળેલી માહિતી મુજબ 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપ 12થી વધારે બઠકો પર નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે. ભાજપ પહેલા પણ ઉમેદવારોમાં  મોટા ફેરફાર કરતી રહી છે. પાર્ટી અનેક વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓની ટિકિટ કાપીને તેમને સંગઠનની જવાબદારી સોંપી શકે છે.

સૂત્રોના કહેવા મુજબ ભાજપ અત્યારે એ વિશે જાણકારી મેળવી રહી છે કે INDIA ગઠબંધનને કારણે કઇ સીટ પર અસર થઇ શકે છે?  ભલે, ભાજપમાં અત્યારે આંતરિક ઝગડા ચાલતા હોય, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં બધું ઠીક થઇ જશે. નવરાત્રી પહેલા ભાજપ ચૂંટણી મોડમાં આવી જશે.

વિપક્ષના I.N.D.I.A ગઠબંધન પહેલા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ 5 લાખ મતોના માર્જિનથી તમામ 26 બેઠકો જીતવાનું લક્ષ્‍ય રાખીને આગળ વધતા રહ્યા હતા, પરંતુ વચમાં આંતરિક વિખવાદને કારણે પાટીલ થોડા શાંત છે.

આમ આદમી પાર્ટી ગુજરાતામં 6 બેઠકો પર લડવા માંગે છે. એવામાં કોંગ્રેસ 19 સીટ પર થી ચૂંટણી લડશે. અત્યારે બંને પાર્ટીઓ પાસે એક પણ સીટ નથી, એવામાં ભાજપે બધી 26 સીટો બચાવવી પડશે. રાજકારણના જાણકારોનું કહેવું છે કે 12થી 15 સાંસદોની ટિકિટ કપાઇ શકે છે. એવા સંજોગોમાં કદાવર નેતાઓની ચૂંટણી રાજનીતિ પર વિરામ લાગી શકે છે. પાર્ટી આદિવાસી બેલ્ટની સાથે ઉત્તર ગુજરાતમાં ખાસ સતર્ક છે. ભાજપને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારોમાં વધારે પડતો આત્મવિશ્વાસ રાખવો ભારે પડી શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.