AAPના સહ-પ્રભારીનું રાજીનામું, AAPને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવી

છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ખૂબ જ સક્રિય રહી છે. અને ગુજરાતની પેટા ચૂંટણીમાં કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરથી જીત મળતા પાર્ટીમાં હજી વધારે ઉત્સાહનું સર્જન થયું છે, પરંતુ સાથે-સાથે AAP પર આરોપ પણ લાગી રહ્યા છે. મોરબી પણ કંઇક આવું જ થયું.

મોરબીના રવાપર રોડ પર AAPની પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. એક તરફ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ AAPના જ સહ-પ્રભારી હિતુભા રાઠોડે ગંભીર આક્ષેપો લગાવતા રાજીનામું ધરી દીધું. તેમણે AAPને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવતા, મોરબીનું રાજકારણ ગરમાઈ ગયું છે.

hitubha rathore
bhaskarenglish.in

AAPના સહ-પ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટી પર ગંભીર આક્ષેપ લગાવ્યો કે AAPમાં અંદરખાને ભાજપ કરતા પણ વધારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અહીં નાના કાર્યકરોઓની કોઈ કિંમત નથી. તેમણે લોકોને અપીલ કરી કે કોઈએ આ પાર્ટીમાં ન જોડાવું. કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં.

હિતુભા રાઠોડને સભાના સ્ટેજ સુધી જવા ન દેવાતા તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદનોનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે જે પાર્ટી પોલીસને ‘ટોમી’ ગણે છે અને પટ્ટા ગળામાં પહેરાવવાની વાત કરે છે, જો તેની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડારાજ ચલાવશે. આ તાનાશાહી સહન ન થતા તેમણે પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો.

AAP
bhaskarenglish.in

સભાના સ્થળની બહાર પણ દૃશ્યો હેરાન કરી દેનારા હતા. એક તરફ પાર્ટી પરિવર્તનના દાવા કરી રહી હતી, ત્યારે બીજી તરફ રસ્તા પર AAPના ખેસ રઝળતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર લોકોએ પણ પાર્ટીની આ ખેંચતાણ જોઈને રોષે ભરાતા કહ્યું હતું કે આ ખેસ પર ચાલો. પાર્ટીના આંતરિક વિખવાદને કારણે સભાનો મૂળ ઉદ્દેશ સાઈડ પર રહી ગયો હતો અને ચારેય તરફ રાજીનામાં અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી.

બીજી તરફ, મંચ પરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યોના કામ અધિકારીઓ કરતા નથી. જો વેપારીઓ અને કારખાનેદારો દબાયેલા રહેશે તો પરિવર્તન નિશ્ચિત છે, જોકે પક્ષની અંદર જ ઊઠેલા આ બળવાએ ઇટાલિયાના દાવાઓ સામે મોટાં સવાલ ઊભાં કરી દીધા છે.

hitubha rathore
bhaskarenglish.in

મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે AAPની 'પરિવર્તન સભા' આયોજિત થઈ હતી. આ સભામાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જોકે એક તરફ પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ પાર્ટીના જ સહ-પ્રભારીએ ગંભીર આક્ષેપો સાથે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાઇ ગયું છે. AAPએ મોરબીમાં શક્તિપ્રદર્શન તો કર્યું છે, પરંતુ આગામી સમયમાં આંતરિક વિખવાદ, અસંતોષ અને ગંભીર આક્ષેપો પાર્ટી માટે પડકારજનક સાબિત થઈ શકે છે.

About The Author

Top News

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.