ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા

ગુજરાતને દેશ-વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંને 2 દિવસ અગાઉ જ હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાજપના કોર્પોરેટરે ફોર્મ નંબર-7 ભરી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજી કરી છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, વોર્ડ નંબર-7ના ભાજપના કોર્પોરેટર સંજયભાઈ મણવરે જણાવ્યું હતું કે, ‘મેં જે અરજી કરી છે તેમાં રાઠોડ હાજી કાસમ નામના વ્યક્તિનું નામ કમી કરવા માટે 7 નંબરનું ફોર્મ ભર્યું છે અને હાજીભાઈ કાસમ એટલે કે હાજી રમકડું નામના વ્યક્તિનો ખોટો દુર ઉપયોગ થતો નથી ને એ મામલે સંપૂર્ણ સચોટતાથી કામગીરી કરવામાં આવે છે કે નહીં તેને લઈને મેં અરજી કરી છે.

 હાજી રમકડુંએ આ વિવાદ અંગે કહ્યું કે હું જૂનાગઢના વોર્ડ નંબર 8માં 60 વર્ષથી રહું છું. મને ભારત સરકારે અને ગુજરાત સરકારે પણ એવોર્ડ આપ્યા છે. મારામાં શું કમી છે કે મારી વાંધા અરજી કરી નાખી છે. જ્યારે વાંધા અરજી કરનારા ભાજપના કોર્પોરેટરે કહ્યું હતું કે, હાજીભાઈના આધારકાર્ડમાં મીર અટક છે. તે મીર સરનેમથી જ ઓળખાય છે. તેમના જ વિસ્તારમાં હાજીભાઈ રાઠોડ શંકાસ્પદ નામ લાગતા મેં અરજી કરી હતી.

haji ramakadu
divyabhaskar.co.in

આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, એક તરફ આપણે જેને પદ્મશ્રી આપીને સન્માન કરીએ છીએ તેનું જ નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપના કોર્પોરેટર અરજી કરે છે. આ ગોરખધંધાની પરાકાષ્ઠા છે. શાહબુદ્દીન રાઠોડ અને હાજી રમકડું સાથે જો રમત રમાતી હોય તો પછી સામાન્ય નાગરિકો સાથે શું નહીં થતું હોય?. આ બે ઉદાહરણ બાદ ચૂંટણી પંચે જાગી જવાની જરુર છે.

જૂનાગઢ મનપાના નેતા વિપક્ષ લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ હાજી રમકડુંને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી જાહેર કરાયો છે. ત્યારે જ ભાજપના કોર્પોરેટર દ્વારા હાજીભાઈનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાજી રમકડું સ્થળાંતર થયા હોવાની અરજી કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે, બે દિવસ અગાઉ જ ભાજપના ધારાસભ્ય તેમના ઘર પર સન્માન કરવા ગયા હતા તો શું ભાજપના લોકોને ખબર નથી કે હાજી રમકડું જૂનાગઢમાં જ રહે છે.

haji ramakadu
youtube.com

આ મામલે જૂનાગઢ કલેકટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, SIRની કામગીરી દરમિયાન જ્યારે કોઈ વ્યકિત દ્વારા કોઈ મતદારના નામ સામે વાંધો લેવામાં આવે ત્યારે તેની સ્ક્રુટીની કર્યા બાદ વેરિફિકેશન કરવામાં આવે છે. ત્યારબાદ સુનાવણી રાખવામાં આવે છે. જે વ્યકિત દ્વારા વાંધો લેવામાં આવે છે તેણે જ જરુરી પુરાવાઓ રજૂ કરવાના રહે છે.

પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે, વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે ફોર્મ નંબર-7 ભરવામાં આવ્યું હતું. તો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુરેન્દ્રનગરના નાયબ ચૂંટણી અધિકારીએ મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું, જેમાં તેમણે પ્રક્રિયાની સ્પષ્ટતા કરી છે અને નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે. અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થઈ જતું નથી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, નામ કમી કરવા માટે મળેલી કોઈપણ વાંધા અરજી પર સંબંધિત મતદારને સુનાવણીની યોગ્ય તક આપવામાં આવે છે.

નામ કમી કરવાની પ્રક્રિયા

સંપૂર્ણ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ નામ કમી કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે છે. નાયબ ચૂંટણી અધિકારીએ નાગરિકોને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમામ કાર્યવાહી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જ ચુસ્તપણે કરવામાં આવી રહી છે.

About The Author

Top News

સુહાગરાત પર પત્ની બોલી- ‘પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે...’, થોડા સમય બાદ બની ગઈ માતા

‘સાંભળો! મને ખૂબ જ પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે. હું તે સહન કરી શકતી નથી...’, સુહાગરાત પર કન્યાએ...
National 
સુહાગરાત પર પત્ની બોલી- ‘પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે...’, થોડા સમય બાદ બની ગઈ માતા

ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા

ગુજરાતને દેશ-વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંને 2 દિવસ અગાઉ જ હાજી રમકડુંને પદ્મશ્રી...
Gujarat 
ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા

લો કોલેજના કેમ્પસમાં શ્રેયસ દેસાઇના હસ્તે 5 કોલેજનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કેમ્પસ ખાતે 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ, વી.ટી.ચોક્સી સાર્વજનિક...
Gujarat 
લો કોલેજના કેમ્પસમાં શ્રેયસ દેસાઇના હસ્તે 5 કોલેજનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

સુરતમાં પત્નીએ જ પતિનો જીવ લઈ લીધો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

સુરતના લિંબાયત વિસ્તારમાં એક પત્નીએ પોતાના જ પતિનો જીવ લઈ લીધો. હત્યા પાછળનું મુખ્ય કારણ જાણીને તમે પણ ચોંકી જશો....
Gujarat 
સુરતમાં પત્નીએ જ પતિનો જીવ લઈ લીધો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.