ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાઈ એ પહેલા શખ્સ ઝડપાયો, ગોપાલે કહ્યું- ખૂણામાં લઈ જઈને...

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફરી એકવાર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. માળીયા હાટીનાના ગડુમાં હતી ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ ઘટના હતી. જોકે આ મામલે તેમના પર જૂતું ફેંકાય તે અગાઉ જ શખ્સને પકડી લેવાયો છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે,  ખૂણામાં લઈ જઈને મારતા નહીં. ગોપાલ ઈટાલિયાએ રાજકીય ઈશારે આવા કૃત્યો કરાતા હોવાનો આરોપ લગાવ્યો હતો.  તેમણે કહ્યું કે અમે એવું તે શું ખોટું કર્યું છે કે દરેક સભામાં આવું કૃત્ય થાય છે. ફોન આવે પછી આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે.

કાર્યકર્તાઓએ એ વ્યક્તિને ઝડપી પોલીસને સોંપી દીધો હતો.​ સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે અનિચ્છનીય બનાવ બન્યો નહોતો, પરંતુ રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ગોપાલ ઈટાલિયા જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ અગાઉ જામનગરમાં 5 ડિસેમ્બર, 2025ના રોજ AAPની જન સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Gopal2
divyabhaskar.co.in

આ સભામાં જ્યારે ગોપાલ ઈટાલિયા ભાષણ આપી રહ્યા હતા, ત્યારે છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ જૂતાનો ઘા કરતા હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ AAPના કાર્યકર્તાઓએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો અને AAPના કાર્યકર્તાઓએ છત્રપાલસિંહને ઢોરમાર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15-20 મિનિટ બાદ માંડ-માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હૉસ્પિટલે સારવાર અર્થે લઈ જવાયો હતો.

જામનગરની ઘટનાની તપાસમાં સામે આવ્યું હતું કે, ગોપાલ ઈટાલિયાએ ભૂતકાળમાં જ્યારે તેઓ રાજકારણમાં સક્રિય નહોતા, ત્યારે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભાની બહાર જૂતું ફેંક્યું હતું. જામનગરની ઘટનામાં છત્રપાલસિંહે તેનો બદલો લેવાના ઇરાદે ઈટાલિયા પર હુમલો કર્યો હોવાનું કબૂલ્યું હતું.

Gopal1
divyabhaskar.co.in

જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં જૂતું ફેંકવાનો પ્રયાસ થતા સુરક્ષા-વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસ પકડાયેલા વ્યક્તિની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે તેણે કયા ઈરાદાથી આ કૃત્ય કર્યું હતું. AAPના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં નિંદા કરી હતી.

About The Author

Related Posts

Top News

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

સહારનપુરના બિહારીગઢ પોલીસ સ્ટેશને દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની દિવાલો પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખવા બદલ...
National 
હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.