ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાઈ એ પહેલા શખ્સ ઝડપાયો, ગોપાલે કહ્યું- ખૂણામાં લઈ જઈને...

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફરી એકવાર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. માળીયા હાટીનાના ગડુમાં હતી ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ ઘટના હતી. જોકે આ મામલે તેમના પર જૂતું ફેંકાય તે અગાઉ જ શખ્સને પકડી લેવાયો છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે,  ખૂણામાં લઈ જઈને મારતા નહીં. ગોપાલ ઈટાલિયાએ રાજકીય ઈશારે આવા કૃત્યો કરાતા હોવાનો આરોપ લગાવ્યો હતો.  તેમણે કહ્યું કે અમે એવું તે શું ખોટું કર્યું છે કે દરેક સભામાં આવું કૃત્ય થાય છે. ફોન આવે પછી આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે.

કાર્યકર્તાઓએ એ વ્યક્તિને ઝડપી પોલીસને સોંપી દીધો હતો.​ સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે અનિચ્છનીય બનાવ બન્યો નહોતો, પરંતુ રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ગોપાલ ઈટાલિયા જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ અગાઉ જામનગરમાં 5 ડિસેમ્બર, 2025ના રોજ AAPની જન સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Gopal2
divyabhaskar.co.in

આ સભામાં જ્યારે ગોપાલ ઈટાલિયા ભાષણ આપી રહ્યા હતા, ત્યારે છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ જૂતાનો ઘા કરતા હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ AAPના કાર્યકર્તાઓએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો અને AAPના કાર્યકર્તાઓએ છત્રપાલસિંહને ઢોરમાર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15-20 મિનિટ બાદ માંડ-માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હૉસ્પિટલે સારવાર અર્થે લઈ જવાયો હતો.

જામનગરની ઘટનાની તપાસમાં સામે આવ્યું હતું કે, ગોપાલ ઈટાલિયાએ ભૂતકાળમાં જ્યારે તેઓ રાજકારણમાં સક્રિય નહોતા, ત્યારે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભાની બહાર જૂતું ફેંક્યું હતું. જામનગરની ઘટનામાં છત્રપાલસિંહે તેનો બદલો લેવાના ઇરાદે ઈટાલિયા પર હુમલો કર્યો હોવાનું કબૂલ્યું હતું.

Gopal1
divyabhaskar.co.in

જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં જૂતું ફેંકવાનો પ્રયાસ થતા સુરક્ષા-વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસ પકડાયેલા વ્યક્તિની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે તેણે કયા ઈરાદાથી આ કૃત્ય કર્યું હતું. AAPના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં નિંદા કરી હતી.

About The Author

Related Posts

Top News

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.