સિદ્ધપુરમાં 4 દિવસથી પાણી નહોતું આવતું, ખોદકામ કર્યું તો યુવતીની લાશ મળી

ઉત્તર ગુજરાતમાં આવેલા સિદ્ધપુરમાં 4 દિવસથી પાણી આવતું નહોતું. પાલિકાએ  સમસ્યા શોધવા માટે ખોદકામ કર્યું તો એક યુવતીના શરીરના ટુકેડ ટુકડે મળી આવતા ખળભળાટ મચી ગયો છે. માનવ અવશેષો પાણીના પાઇપ લાઇનમાં ફસાઇ જવાને કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો હતો. પાલિકાને પાણી કેમ નહોતું આવતું તેનું સોલ્યુશન તો મળી ગયું છે, પરંતુ બીજી તરફ યુવતીની લાશ મળવાને કારણે પોલીસની એન્ટ્રી થઇ ગઇ છે.

સિધ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષો મળી આવવાની ઘટનાએ ખળભળાટ મચી ગયો છે. ઉપલી શેરી વિસ્તારમાં પાણીની ભૂગર્ભ પાઇપ લાઈનમાં જ્યારે પાલિકાના સ્ટાફે ખોદકામ શરૂ કર્યું ત્યારે  માનવ અવશેષો મળી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, કોઈ અજાણી યુવતીના મૃતદેહના આ અવશેષો છે. માનવ અવશેષ પાણીની પાઇપલાઇનમાં ફસાઈ જવાને કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો હતો.

જાણવા મળેલી વિગત મુજબ લોકોની પાણીની ફરિયાદને આધારે જ્યારે પાલિકાના સ્ટાફે ખોદકામ શરૂ કર્યું તો કોહવાઇ ગયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પાલિકાનો સ્ટાફ આ જોઇને ગભરાઇ ગયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહના અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને યુવતીની લાશ ગટરમાં કેવી રીતે આવી અને યુવતી કોણ છે તેની તપાસ ચાલી રહી છે.

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લાં 4 દિવસથી પાણી આવતું નહોતું અને પાણીમાંથી જબરદસ્ત દુર્ગંધ મારતી હતી. આ બાબતે જ્યારે કોર્પોરેટરને જાણ કરવામાં આવી ત્યારે પાલિકાની ટીમે ખોદકામ શરૂ કર્યું હતું અને ગટરમાંથી લાશ મળી આવી હતી. આ મૃતદેહ કોનો છે તે જાણી શકાયું નથી.

ઘટનાને પગલે સિદ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર ઠાકરે કહ્યું હતું કે, તારીખ 11 અને 12 મેના દિવસે ઉપલી શેરી વિસ્તારમાં પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. જેની ફરિયાદ મળતા પાઇપલાઇન ખોદવાનું કામ શરૂ કર્યું હતું અને અંદર કંઈક ફસાયેલું લાગતા ધ્યાનથી જોયું તો માનવ મૃતદેહ મળી આવ્યો હતો.

ગટરમાંથી યુવતીના કેટલાંક અવશેષો જ મળી આવ્યા છે, બાકીના અંગો હજુ મળ્યા નથી એટલે પોલીસ માટે પણ આ એક મોટો કોયડો છે. સ્થાનિક લોકોએ કહ્યું કે અમે દુર્ગંધથી ભારે પરેશાન હતા, જ્યારે હવે યુવતીનો મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યો છે અને દુર્ગંધ પણ બંધ થઇ ગઇ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.