ઘોર કળિયુગ! પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો

હવે તો રોજ એવા એવા સમાચારો અને ઘટનાઓ સામે આવે છે જેને જાણીને આપણે સ્વાભાવિકપણે કહી બેસીએ, ઘોર કળિયુગ આવી ગયો છે ભાઈ, શું કરીએ. આપણો સમાજ ક્યાં જવાનો છે ખબર નહીં. કંઈક આવી જ ઘટના ભૂજથી પણ સામે આવી છે.  ભૂજના સામત્રામાં રૂપિયા અને સંપત્તિની લાલચમાં પત્નીએ ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી. પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હતો.

photo_2025-10-13_14-22-48

માનકૂવા પોલીસને જી.કે. જનરલ હૉસ્પિટલમાં દાઝી ગયેલી હાલતમાં ચાલુ સારવાર દરમિયાન સામત્રાના 60 વર્ષીય ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈએ નિવેદન આપી આપ્યું હતું. તે મુજબ આજથી 4 વર્ષ અગાઉ તેની પહેલી પત્ની લક્ષ્મીબેનનું અવસાન થયું હતું અને દોઢેક વર્ષ અગાઉ મહેસાણાથી કૈલાસબેન કનુસિંહ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીના ઘરેણાં તેણે લઈ લીધા હતા. ધનજીભાઈ વારંવાર તે ઘરેણાં માગતો હતો પરંતુ તે ન આપતી અને ઝઘડો કરતી હતી. ત્યારબાદ પત્ની કૈલાસે ભૂજમાં મકાન લીધું હતું, જેના રૂપિયા ભરવા માટે પણ વારંવાર ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપીને માનસિક ત્રાસ ગુજરાતી હતી. પુત્ર અને સમાજના માણસોને પણ વાત કરી હતી.

police station
gujaratsamachar.com

તેણે કહ્યું કે, 11 ઓક્ટોબરના સાંજે પત્ની કૈલાસે ભૂજમાં લીધેલાં મકાનના રૂપિયા ભરવા માટે ફરિયાદી પાસે રૂપિયા માગ્યા હતા. પૈસા આપવાની ના પાડતા પત્નીએ ઘરના આંગણામાં આવેલા ગેરેજમાં હાથ પકડી લઈ ગઈ હતી અને કહ્યું કે, પૈસા નહીં આપે તો જીવતો નહીં મૂકું અને ગેરેજમાં રાખેલી એક બોટલ ઉપાડી, જેમાં કેરોસીન જેવું પ્રવાહી હતું, જે ધનજીભાઈ પર છાંટી દીવાસળી ચાંપી દીધી હતી અને  ગેરેજના નાના દરવાજામાંથી બહાર નીકળી બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. ધનજીભાઈએ બૂમાબૂમ કરતા ફરિયાદીનો દીકરો તથા પાડોશીઓ દોડી આવ્યા હતા અને દરવાજો ખોલી સળગતા ધનજીભાઈ પર કપડું નાખી સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

માનકૂવા પોલીસે હત્યા પ્રયાસ સંબંધિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ હારી હતી અને પોલીસે આરોપી પત્ની કૈલાસની અટકાયત કરી લીધી હતી. તો બીજી તરફ સારવાર દરમિયાન ધનજીભાઈનું હોસ્પિટલમાં મોત થઈ ગયું હતું . પહેલી પત્નીના મૃત્યુ બાદ ધનજીભાઈએ કૈલાસ સાથે બીજા લગ્ન કર્યા હતા. તો કૈલાસના પોતાના પહેલાં પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. ધનજીભાઈને 3 દીકરા છે. તેમાંથી 2 વિદેશમાં છે અને એક તે જ ગામમાં પોતાના પરિવાર સાથે રહે છે. ધનજી પટેલ અને કૈલાસ બંને એકલા રહેતા હતાં. આ દુઃખદ ઘટના બાદ મૃતકના પુત્રએ માનકુવા પોલીસ સ્ટેશનમાં કૈલાસ સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી કૈલાસની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

wife
divyabhaskar.co.in

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પત્નીએ તેના પતિની પ્રથમ પત્નીના 18 તોલા સોનાના ઘરેણાં પણ પોતાની પાસે રાખી લીધા હતા, જેને લઈને પણ વિવાદ ચાલતો હતો. પૈસા અને ઘરેણાંના મુદ્દે ચાલી રહેલા ઝઘડામાં આ કરુણ અને ઘાતકી ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વીઝા નિયમો ઘણા કડક અને વધુ મોંઘા કરી દીધા છે. H1B વીઝા...
Business 
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

નેપાળ ટૂરિઝ્મ બોર્ડના જણાવ્યા અનુસાર, બુધવારે (26 ઓગસ્ટ) નેપાળના રસુવા ક્ષેત્રમાં આવેલા ભયંકર પૂરને કારણે 291 વિદેશી નાગરિકો...
World 
કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

ટ્રેનના ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરતા એક નિવૃત્ત અધિકારીના નાક પર ઉંદર કરડ્યું!

ટ્રેનના ફસ્ટક્લાસ AC કોચમાં આરામ કરી રહેલા 78 વર્ષીય નિવૃત્ત અધિકારીને ઉંદર કરડ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોહીથી...
National 
ટ્રેનના ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરતા એક નિવૃત્ત અધિકારીના નાક પર ઉંદર કરડ્યું!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.