વડોદરા ભાજપમાં આ શું ચાલી રહ્યું છે? 3 ધારાસભ્યો સંકલન બેઠકમાં ગેરહાજર રહ્યા

વડોદરા જિલ્લાની સંકલન સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદર ગેરહાજર રહ્યા હતા અને જૂના કામો પૂરા ન થાય ત્યાં સુધી બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે.  જ્યારે ધારાસભ્ય શૈલેષ મહેતા અને સાંસદ હેમાંગ જોશીની અલગ બેઠક યોજાઈ હતી. CMને લેટર બાદ ધારાસભ્યોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.

તો અમદાવાદ કલેક્ટર કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક આયોજિત થઈ હતી. આ બેઠકમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરી હતી, પરંતુ આ દરમિયાન તેઓ બેઠકમાંથી વોકઆઉટ કરીને નીકળી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારી રજૂઆતો નહીં પણ ભાજપના ધારાસભ્યોની રજૂઆત પર પણ કામ થતા નથી.

District-Meeting1
divyabhaskar.co.in

divyabhaskar.co.in અહેવાલ મુજબ, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, ‘જૂના વિકાસકામો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી નહીં આપે. આ નિર્ણય તેમણે વહીવટી વિભાગના વલણને લઈને લીધો છે. તેમણે કહ્યું હતું કે, આ મહત્ત્વની બેઠક છે તો પછી આગળના કામ કેમ પૂરા થતા નથી. આમાં કોઈ કારણ નથી, કારણ કે સંકલનમાં એકના એક પ્રશ્નો સંકલનમાં કહેવાના અને તેના જવાબ લઈ ઘરે જવાનું તેનો કોઈ મતલબ નથી. તો અક્ષય પટેલે જણાવ્યું હતું કે હું વડોદરા શહેરની બહાર છું અને એટલે બેઠકમાં હાજર રહી શક્યો નથી.

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું હતું કે, ‘હું સ્થાનિક કોઈ કામગીરીને કારણે બેઠકમાં આવી શક્યો નથી. વડોદરા જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં ત્રણ ધારાસભ્યોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. આ મામલે કલેક્ટર ડૉ. અનિલ ધામલિયાએ કોઈપણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું અને પોતાની કેબિનમાં જતા રહ્યા હતા.

તો બીજી તરફ, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા સાંસદ ડો. હેમાંગ જોશી સાથે અલગ બેઠક કરી હતી. આ બેઠક જિલ્લા સંકલન શરૂ થાય એ પહેલાં તમામ પદાધિકારીઓ વચ્ચે યોજાઈ હતી.

bjp2
vtvgujarati.com

આ બેઠકમાં અંતિમ સમયે વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેયૂર રોકડિયા આજની સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા. બહિષ્કાર અંગે પૂછતાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે મને બહિષ્કાર અંગે કંઈ ખબર નથી. આ વિવાદ વડોદરા જિલ્લાનાં વિકાસકાર્યોને અસર કરી શકે છે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

તાજેતરમાં જિલ્લાના પાંચેય ધારાસભ્યોએ મળીને વિકાસકાર્યોને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. હવે વડોદરા જિલ્લાના વહીવટી વિભાગ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો હોય તેવું લાગી છે.

About The Author

Top News

સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર IT ત્રાટક્યું

થોડા વર્ષો અગાઉ સૂરતની જાહેજલાલી જોઇને સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ લેન્ડ માફિયાઓને ભેગા કરી એક ગેંગ બનાવી હતી જે મહાકાલ...
Gujarat 
સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર  IT ત્રાટક્યું

કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર ચાલી રહ્યું નથી. થરૂર અને પાર્ટી હાઇકમાન્ડ વચ્ચે દૂરીઓ વધી...
Politics 
કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

ભારતીય સંગીત જગતમાંથી એવા સમાચાર આવ્યા છે જેણે લાખો ફેન્સના દિલ તોડી નાખ્યા છે. પોતાના અવાજથી બધાને મોહિત કરનારા ગાયક...
Entertainment 
અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

મંગળવારે વહેલી સવારે વડોદરા પોલીસે નશામાં અને બેદરકારીથી વાહન ચલાવવાના આરોપમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની ધરપકડ કરી હતી. પોલીસના...
Gujarat 
કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.