ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સુરતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ Chiwenga , ઝિમ્બાબ્વેના કેબિનેટ મિનિસ્ટર રાજ મોદી ઝિમ્બાબ્વેના એમ્બેસેડર શ્રીમતી. Stella Nkomo અને ટોપ સેક્રેટરીએટ્‌સ સાથેનું પ્રતિનિધિ મંડળ તા. રર અને ર૩ ઓગષ્ટ ર૦રપ દરમ્યાન સુરતની મુલાકાતે આવી રહ્યા છે.

SGCCIના વાઇસ પ્રેસિડન્ટ અશોક જીરાવાળાએ કહ્યું હતું કે, ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલીગેશન બે દિવસ દરમ્યાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રોના ઉદ્યોગકારો તથા આગેવાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. ખાસ કરીને એગ્રીકલ્ચર (એપીએમસી), દુધ ઉત્પાદન (સુમુલ), હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, માઇનીંગ સેકટર, શિક્ષણ ક્ષેત્ર અને એનર્જી સેકટર (સોલાર) તથા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનોના હોદ્દેદારો સાથે મિટીંગો કરશે.

તા. રર ઓગષ્ટ ર૦રપના રોજ બપોરે ૧રઃર૦ કલાકે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલીગેશન ભાટપોર સ્થિત હરેકૃષ્ણા ડાયમંડની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે ઐશ્વર્યા ડાઇંગ મિલ્સ અને સાંજે ૪-૧૦ કલાકે સુમુલ ડેરીની મુલાકાત લઇ ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠકો કરશે.

બીજા દિવસે તા. ર૩ ઓગષ્ટના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સુરતની એપીએમસી માર્કેટની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે ૧૧-૧૦ કલાકે કતારગામ ખાતે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ અને બપોરે રઃ૦૦ કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઇ કૃષિ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ તેમજ શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓ સાથે વિચારગોષ્ઠી કરશે.

આ ઉપરાંત સાંજે ૪ઃ૪૦ કલાકે ચેમ્બર ઓફ કોમર્સ સરસાણા ખાતે આયોજિત ઇન્ટરેકટીવ મિટીંગમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ્સ, ડાયમંડસ, એગ્રીકલ્ચર, ટુરિઝમ, ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી અને માઇનીંગ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન ટુ વન ચર્ચા વિચારણા કરશે.

સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે વન–ટુ–વન ચર્ચા વિચારણા દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને ઝીમ્બાબ્વેમાં સીધી બિઝનેસ કનેકિટવિટી, નેટવર્કિંગ તથા ઈન્વેસ્ટમેન્ટની તકો મળશે. ખાસ કરીને માઇનીંગ, કૃષિ આધારિત ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને ઈ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં સહકાર વધવાથી સુરતના વેપાર અને ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક લાભ મળી શકે છે. એકંદરે, આ વિઝીટ દક્ષિણ ગુજરાતના વેપારિક ક્ષેત્રોને નવા વૈશ્વિક બજારો સાથે જોડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

ચેમ્બર દ્વારા શનિવારે પ્લેટિનમ હોલમાં ‘લિગલ કોન્કલેવ– ર૦રપ’ યોજાશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ધી સુરત સિટી એડવોકેટ્‌સ એસોસીએશનની સાથે મળીને શનિવાર, તા. ર૩ ઓગષ્ટ ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે લિગલ કોન્કલેવ– ર૦રપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઇકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલ પધારશે અને માર્ગદર્શન આપશે.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશો પ્રણવ ત્રિવેદી અને ડી.એન. રાય મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી સુરતના ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, વકીલો તથા પ્રોફેશનલ્સને અગત્યનું સંબોધન કરશે. લિગલ કોન્કલેવનો હેતુ કાનૂની મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો, ઉદ્યોગ–વ્યવસાયમાં આવતી કાનૂની અડચણોને સમજવાનો તેમજ કાયદાકીય બાબતોમાં યોગ્ય માર્ગદર્શન આપવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડવાનો છે.

લિગલ કોન્કલેવમાં કોમર્શિયલ કોર્ટસ એકટ અને આર્બિટ્રેશન એન્ડ કોન્સીલેશન એકટ વિષય પર સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવશે. આ કાયદાઓ સાથે સાથે અલ્ટર્નેટિવ ડિસ્પ્યુટ રિસોલ્યુશન (એડીઆર) જેવી પદ્ધતિઓ જેમ કે મધ્યસ્થતા, સમાધાન અને આર્બિટ્રેશન અંગે ચર્ચા કરવામાં આવશે. આ પદ્ધતિઓથી લાંબા સમય સુધી ચાલતા કોર્ટ કેસો ટાળી શકાય છે અને વિવાદો ઝડપથી ઉકેલી શકાય છે. તેના પરિણામે સમાજ અને સોસાયટીને સીધો ફાયદો થાય છે. ખર્ચ ઓછો થાય છે, વ્યવસાય અને વ્યક્તિગત સંબંધોમાં વિશ્વાસ જળવાય છે અને ન્યાયિક તંત્ર પરનો ભાર ઘટે છે. આ રીતે આ કાયદા અને વિવાદ ઉકેલવાની વિકલ્પાત્મક પદ્ધતિ

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.