આંખના નંબર ઉતારવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય થશે ફાયદો

ઘણીવાર એવું થાય છે કે, લોકોને નાનપણથી આંખમાં નંબર આવી જતા હોય છે. આંખના નંબર આવવાનું મુખ્ય કારણ હોય છે કે, જે લોકો વધારે પડતું ટીવી જુએ છે, મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે અને પૂરતી ઊંઘ નથી લેતા તેથી આંખોને જે આરામ જોઈએ તે આરામ મળતો નથી અને જેના કારણે આંખો નબળી પડે છે અને નંબર આવે છે. ત્યારે આજે અમે તમને એવા કેટલાક ઉપચાર બતાવીશું તેનાથી તમારી આંખોના નંબર દૂર થશે પરંતુ તેની સાથે સાથે તમને અન્ય ફાયદાઓ પણ મળશે.

બદામ

આંખોની રોશની માટે બદામ ખૂબ સારો ઉપાય છે. બદામ ખાવાથી માત્ર આંખોની રોશની નહીં પરંતુ મગજ પણ તેજ બને છે. રોજ રાત્રે 9થી 10 જેટલી બદામને પાણીમાં પલાળીને સવારમાં ઉઠીને તરત જ બદામને છાલ ઉતારીને ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે.

ત્રિફલા

ત્રિફળાને રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેનાથી આંખ ધોવાથી આંખો સ્વચ્છ બને છે અને ધીમે ધીમે નંબર પર દૂર થાય છે.

સરસવનું તેલ

સરસવનું તેલ આંખોને સ્વચ્છ રાખવામાં અને આંખોની રોશની બચાવવા માટે ઘણુ ફાયદાકારક છે. રોજ રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવામાં આવે તો આંખના નંબરની સમસ્યામાં ખૂબ જ ફાયદો મળી શકે છે.

ગાજર

 

ગાજરનો રસ પીવાથી કે, ગાજર ખાવાથી આંખો તેજ બને છે. કારણ કે ગાજરમાં વિટામિન A, B અને Cનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત ગાજરના રસનું સેવન કરવાથી શરીરમાં અન્ય પણ ઘણા ફાયદાઓ થાય છે.

વરીયાળી

1 ચમચી વરિયાળી , 2 ચમચી બદામ અને અડધી ચમચી ખાંડને એકસાથે પીસીને ત્યારબાદ તેને રાત્રે દરરોજ સૂતા પહેલા દૂધ સાથે પીવાથી આંખો સ્વસ્થ રહે છે અને નંબરને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

તાંબાના વાસણમાં પાણી પીવું

ભુતકાળમાં લોકો પાણી પીવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરતા હતા જેના કારણે તેઓને જલ્દીથી આંખોની બીમારી થતી નહોતી. તાંબાના જગમાં એક લીટર પાણી ભરીને આખી રાત રહેવા દેવું અને ત્યારબાદ આ પાણીને સવારે ઉઠીને ખાલી પેટે પી લેવું અને ત્યારબાદ અન્ય જે પાણી વધે તે આખો દિવસ દરમિયાન પીવાથી શરીરમાં પણ ઘણા ફાયદા થાય છે અને આંખોની રોશની પણ તેજ બને છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડન્ટ હોવાથી તે આંખોને રોશની માટે ફાયદાકારક રહે છે તેથી એક દિવસમાં બે અથવા ત્રણ કપ ગ્રીન ટી પીવાથી ફાયદો મળી શકે છે.

આંબળાનો મુરબ્બો

આંબળા ખાવાથી શરીરમાં આંખની રોશની સાથે સાથે ઘણા ફાયદાઓ થાય છે આયુર્વેદમાં પણ આમળાનું ઘણું મહત્ત્વ છે. કેટલીક દવાઓ બનાવવા માટે પણ આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે. આંબળાના મુરબ્બાને દિવસમાં બે વખત ખાવાથી આંખની રોશનીમાં ઘણો ફાયદો મળી શકે છે.

ગાયનું ઘી

ગાયનું ઘી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી ગાયના દૂધમાંથી બનાવવામાં આવેલા ઘીથી રોજ કાનની પાછળ માલિશ કરવામાં આવે તો તેનાથી પણ આખોના નંબર દૂર થાય છે અને આંખોની રોશની વધી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.